Breaking News

75 વર્ષના દાદાએ ઘરવાળીથી કંટાળી જઈને છૂટાછેડા લીધા, ઘટના જાણીને તમે પણ કહેશો કે, જતી જિંદગીએ ભજન કરવાને બદલે આ દાદા તો….

દિન પ્રતિ દિન સમાજની અંદર ઘણા બધા લગ્ન સંબંધો તૂટી જતા હોય તેવી માહિતીઓ સામે આવે છે. કોઈક ઘટનાની અંદર ઘરેલુ કંકાસ ના કારણે લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી. તો કોઈ પરિવારની અંદર નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો તેમજ આર્થિક સંકળામણને કારણે પણ લગ્નજીવન તૂટી જવાના કિસ્સા હવે સામે આવવા લાગ્યા છે..

અત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો કહી બેઠા છે કે, જતી જિંદગી ભગવાનનું નામ લેવાને બદલે એવું તો શું થયું હશે કે, 75 વર્ષના એક દાદાએ તેની 70 વર્ષની પત્નીથી છુટાછેડા લઈ લીધા છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં મુકાઈ ગયા હતા..

આ ઘટના કર્ણાટકના મૈસુરની છે. અહીં છેલ્લા 35 વર્ષથી એક વિસ્તારની અંદર એક દાદા અને દાદી રહે છે. આ દાદા દાદીને ઉંમર ખૂબ જ વધુ છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. આ ત્રણેય દીકરી પરણીને સાસરે જતી રહી છે. આ ત્રણે દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ ઉપરાંત ત્રણેય દીકરીઓના પ્રેમ લગ્ન તેના માતા પિતાથી વિરુદ્ધ જઈને કરવામાં આવ્યા હોવાથી તેના પિતાને ક્યારેય પણ આ બાબતની મંજૂરી હતી નહીં..

તેમને સંતાનમાં કોઈ દીકરો હતો નહીં, 75 વર્ષના દાદા અને 70 વર્ષની દાદી એક જુદા જ મકાનની અંદર રહીને વસવાટ કરતા હતા. જતી જિંદગી એ સુખ ચેનથી રહીને ભગવાનનું નામ લેવાને બદલે બંને વચ્ચે રોજ રોજ વાત વિવાદ વધી જતા હતા. એક દિવસ કંટાળી જઈને 75 વર્ષના દાદાએ તેની પત્ની થી છુટાછેડા લઈ લેવા માટે અરજી કરવાનું વિચારી હતુ..

ત્યારે તેની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને જણાવ્યું કે આપણે ત્રણ દીકરીઓ છે, ત્રણે ત્રણ દીકરીઓ મોટી થઈને સાસરે પણ ચાલી ગઈ છે અને તેમને પણ ઘરે દીકરા દીકરીઓના જન્મ થઈ ગયા છે. આ ઉંમરે આપણે છૂટાછેડા લેવા જોઈએ નહીં. પરંતુ આ દાદા તેની પત્નીથી એટલો બધા કંટાળી ગયા હતા કે તેણે અરજી કરી દીધી હતી..

જ્યારે આ ઘટના સામે આવી કે એક 75 વર્ષના દાદા તેની 70 વર્ષની પત્નીથી છુટાછેડા લેવા માંગે છે. ત્યારે એક બાજુ સૌ કોઈ લોકો હસવા લાગ્યા હતા તો બીજી બાજુ વિચારમાં મુકાઈ ગયા કે બિચારા હા દાદા તેની પત્ની થી કેટલા કંટાળી ગયા હશે કે હવે તે એક પણ મિનિટ તેની પત્ની સાથે રહેવા માટે તૈયાર નથી..

તો આ સાથે સાથે ઘણા લોકોનું કહેવું છે કે, તાળી ક્યારે પણ એક હાથે વાગતી નથી. આ ઘટનાની અંદર બંને વ્યક્તિનો વાંક હોવો જોઈએ આ બાબતને લઈને ખૂબ જ ચર્ચા વિચારણાઓ ચાલી હતી અને ત્યારબાદ ફેમિલી કોર્ટ ની અંદર આ દાદાની અરજીને મંજૂર કરવામાં આવી હતી અને જતી જિંદગી એ આ દાદા અને દાદી ના છૂટાછેડા થઈ ગયા બાદ તેઓ જુદા જુદા રહેવા માટે મજબૂર બન્યા છે..

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ શા માટે છૂટાછેડા લેવા માંગે છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેમની પત્ની તેમને રોજબરોજ હેરાન ગતી પહોંચાડી રહી છે. કોઈક વખત બરાબર ખાવાનું પણ આવતી નથી અને હંમેશા તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યું છે. જેનાથી તેઓ ખૂબ જ કંટાળી ગયા છે અને હવે તેઓ તેમની સાથે રહેવા માંગતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *