તાઉતે અને ગુલાબ વાવાઝોડા બાદ હવે ગુજરાત પર એક નવું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ શાહીન વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે.
જેમાં આગામી 12 કલાકમાં ચક્રવાત તોફાન શાહીન વાવાઝોડાનું મજબૂત રૂપ ધારણ કરી લેશે તેવા એંધાણ દર્શાવ્યા છે. આ પેહલા 26 સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ તેમજ ઓડિશાના દરિયાકાંઠે ગુલાબ વાવાઝોડાએ પ્રવેશ કરીને ભારે તબાહી મચાવી હતી. જેમાં ટોટલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
તે વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડીશા માંથી પ્રવેશીને ગુજરાત તરફ આગળ વધ્યું હતું. અને ૩ થી ૪ રાજયો અને વીંધીને ગુજરાતમાં પ્રવેશી ગયું હતું. ઉચ્ચ દબાણને કારણે દરિયામાં રહેલું ચક્રવાત શાહીન વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. જે ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં અને ઈરાનમાં પણ તબાહી મચાવી શકે છે.
આ ચક્રવાતી તોફાનની વધારે અસર બિહાર, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ રાજયોમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેથી સૌ કોઈએ સાવચેત રહેવું જરૂરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન શાહીન 1 તારીખે સાંજે અથવા 2 તારીખે સવાર સુધીમાં ખતરનાક રૂપ ધારણ કરી લેશે. જેના કારણે ગુજરાત રાજ્યના કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
‘Shaheen’ over northeast Arabian Sea and neighbourhood is very likely to further intensify into a Severe Cyclonic Storm during the next 12 hours. It is moving away from the Indian coast: India Meteorological Department (IMD) pic.twitter.com/hHJqpf7qGE
— ANI (@ANI) October 1, 2021
અરબ સાગરમાં આ વાવાઝોડાએ પ્રવેશ કર્યા બાદ ચક્રવાતી તોફાન શાહીન પાકિસ્તાન તરફ આગળ વધશે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. ચક્રવાતી તોફાન શાહીમાં પરાવર્તિત થઈ ગયા બાદ તેની ગતિ 90 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે. આ વાવાઝોડાની અસર રાજધાની દિલ્હીમાં પણ પડશે સમગ્ર દેશમાં ત્રણ દિવસ માટે હવામાન વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]