જતી જિંદગી એ ભગવાનના નામ લઈને સ્વર્ગવાસ મળે તેવી પ્રાર્થના કરવાને બદલે વધુ એક ડોસાએ પોતાના લખાણને ભૂલ્યા નથી. અને ન કરવાના કામો કરી નાખ્યા છે. જેના કારણે તેમના પરિવારજનોને પણ ખૂબ મોટી મુશ્કેલીમાં સપડાઈ જવું પડ્યું છે. આ ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છે.
આ વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં એક પરિવાર રહે છે. આ પરિવારની નવ વર્ષની દીકરી ધોરણ ચારની અંદર અભ્યાસ કરે છે. તે શાળાએથી છૂટીને પોતાના ઘરે પરત આવતી હતી. તેઓ 11માં માળે રહેતા હોવાથી બાળકી લિફ્ટ મારફતે પોતાના ઘરે જતી હતી. આ લિફ્ટમાં તેની સાથે તેમની જ બિલ્ડિંગમાં રહેતો વર્ષનો ડોસો ભાનુપ્રતાપ રાણા પણ રહે છે..
તેણે લિફ્ટની અંદર આ બાળકી સાથે ખૂબ જ ખરાબ હરકતો કરીને તેની છેડતી તેમજ તેની સાથે શારીરિક અડપલા પણ કર્યા છે. માત્ર નવ વર્ષની દીકરી વધુ કંઈ સમજે એ પહેલા તો આ ડોસાએ બાળકીની એકલતાનો કેટલા ઉઠાવીને તેની સાથે હડપલા કરવા લાગ્યો હતો. બાળકી એ તાત્કાલિક ઘરે જઈને તેની માતાને જાણ કરી હતી કે, 62 વર્ષના ભાનુપ્રતાપ રાણાએ તેની સાથે છેડતી અને અડપલા કર્યા છે..
આ સાંભળતા જ માતા પિતા ચોકી ગયા હતા. તેઓએ તાત્કાલિક બિલ્ડીંગની લીફ્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજને ચેક કર્યા હતા. જેમાં આ નરાધમ ડોસાની તમામ હરકતો ખુલ્લી પડી ગઈ હતી, ત્યારબાદ તેઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ ડોસો કે જેનું નામ ભાનુપ્રતાપ રાણા છે. તેની સામે ગુનો નોંધાવ્યો હતો..
પોલીસે આ આરોપી સામે પોકસો હેઠળની કલમો નોંધી છે. ત્યારબાદ તેની અટકાયત પણ કરી છે. પોલીસે આ ડોસાના મોબાઇલ ફોન ને તપાસ માટે મોકલ્યા છે કે, શું તેણે ભૂતકાળમાં પણ કોઈ બાળકીઓ સાથે આવા અડપલાના કાળા કામો તો કર્યા છે કે નહીં..? આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, અત્યારે તે નિવૃત્ત જીવન જીવી રહ્યો છે..
અને તેણે એમ કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. ભણેલ ગણેલ હોવા છતાં પણ તે માનવતા ભૂલી ગયો છે. એને માત્ર નવ વર્ષની દીકરી સાથે અડપલા કરવા લાગ્યો હતો. પોતાના પૌત્રની ઉંમરની દીકરીઓને સાથે આ પ્રકારનું વર્તન કરવા બદલ સોસાયટીના રહીશો પણ ખૂબ જ રોષે ભરાયા છે..
હકીકતમાં આવા લોકોને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ જેથી કરીને ક્યારેય પણ નાની ઉંમરની બાળકીઓ સાથે ખરા હરકતો કરવાનો વિચાર પણ કોઈને ન આવે ભાનુ પ્રતાપ રાણાને પુત્રના ઘરે પણ સંતાનો છે. છતાં પણ તેઓએ આવી હરકતો કરતા પરિવારજનો પણ શરમમાં મુકાઈ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]