Breaking News

6 વર્ષનો લાડકવાયો દીકરો રમતા રમતા છઠ્ઠા માળેથી નીચે પડતા લોકોની રાડ ફાટી નીકળી, માં-બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે…

છેલ્લા છ મહિનાની અંદર-અંદર એવા ઘણા બધા બનાવો બન્યા છે કે, જેમાં નાના બાળકો સાથે ન થવાની હરકતો થવા લાગે છે. કોઈ બાળક રમત રમતમાં એવું પગલું ભરી બેસે છે કે, જેના કારણે તેના માતા-પિતાને આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે. જ્યારે કેટલાય નાના બાળકોના જીવ પણ જવાનો મામલો સામે આવી ગયો છે..

થોડા દિવસ પહેલા જ વલસાડના એક પરિવારજનોને તેમની લાડકવાયી ત્રણ વર્ષની દીકરીને ખોવાનો વારો આવ્યો હતો. કારણ કે ત્રણ વર્ષની આ દીકરી સવારના સમયે રમતા રમતા રમકડાના બેટરીનો સેલ ગળી ગઈ હતી. તેમજ અન્ય એક રમકડું પણ ગળી જતા તેના આંતરડાના ભાગે સોજો આવી ગયો હતો..

અને જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. અને હવે હાલ ગાંધીનગરના કલોલમાંથી ખૂબ જ ગંભીર બનાવ સામે આવ્યો છે. પરંતુ આ બનાવવામાં ક્યાંક ને ક્યાંક ભગવાનના ચમત્કાર અને આશીર્વાદનો સાથ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે માત્ર છ વર્ષનો એક બાળક છઠ્ઠા માળાથી નીચે પડ્યો છે. છતાં પણ તેનો જીવ બચી ગયો છે..

કલોલની ઓમ શાંતિ રેસિડેન્સીના A વીંગની અંદર 604 નંબરના ફ્લેટમાં બ્રિજેશ સિંગ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમના છ વર્ષના દીકરા શ્રેયસનો પણ સમાવેશ થાય છે. શ્રેયાંશ રોજની જેમ પોતાના મિત્રો સાથે છઠ્ઠા માળના પેસેજમાં રમી રહ્યો હતો અને અચાનક જ તેનો પગ લપસતા તે સીડી માંથી નીચે પટકાયો અને તેને ખૂબ જ ગંભીર પહોંચી હતી.

જયેશને શરીર ઉપર ગંભીર ઈજા પહોંચવાના કારણે તાત્કાલિક તને સારવાર માટે કલોલની રાજેશ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેને વધારે સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં સારવાર દરમિયાન જણાવ્યું કે, શ્રેયસની હાલત હવે સ્થિર છે.

આ સમાચાર સાંભળતા તેના માતા પિતાએ શાંતિનો અનુભવ કર્યો હતો. હકીકતમાં બાળકો રમતા રમતા મસ્તી મજાક માં એવી હરકતો કરી નાખે છે કે, જેમાં ક્યારેક અન્ય બાળકના જીવને જોખમ પણ રહે છે. આ અગાઉ એક બાળક રમતા રમતા ખેતરમાં પડેલી દવા છાંટવાની સીરપ પી ગયો હતો. જેના કારણે ઘટના સ્થળે તેનું માત્ર બે કલાકમાં મૃત્યુ થયું હતું.

બાળકો સાથે થતા આવા અવનવા બનાવવાની પગલે સૌ કોઈ લોકો અપીલ કરી રહ્યા છે કે, માતા પિતાએ જ્યાં સુધી તેમનો બાળક સમજણો ન થાય ત્યાં સુધી પોતાની પાસેથી કરશે દૂર જવા દેવો જોઈએ નહીં. માતા પિતાથી વિખુટુ પડેલું બાળક ક્યારે શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી. અને તેનું પરિણામ માતા પિતાને સમગ્ર જિંદગી દરમિયાન ભોગવવું પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *