ઘરની અંદર વ્યવસ્થિત રીતે જિંદગી જીવવી હોય તો પરિવારોના કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. એ સમયસર ઉઠી જવું જોઈએ અને સમયસર ભોજન પણ લઈ લેવું જોઈએ પરંતુ અત્યારે એક પરિવારનો દીકરો છ કે સાત મહિને તેના ઘરે રખડતી જિંદગી જીવીને પરત આવતો અને ત્યારબાદ નજીવા બહાનાબાજી કરીને લડાઈ ઝઘડો કર્યા બાદ ઘર મૂકીને ફરી પાછો કોઈ બીજી જગ્યાએ રહેવા માટે ચાલ્યો જતો હતો..
તે છેલ્લા ચાર વર્ષથી આવી રખડતી જિંદગી જીવતો હતો, જ્યારે પરિવાર તેને પૂછવાની કોશિશ કરી કે દીકરા તું ક્યાં જાય છે. અને કયું કામ કરે છે. આ ઉપરાંત કોની સાથે જિંદગી જીવી રહ્યો છે, ત્યારે આ દીકરો તેના મા બાપને ખૂબ જ ખરાબ ખરાબ શબ્દોમાં લડાઈ ઝઘડો કરવા લાગતો હતો..
આ દીકરો તેના માતા-પિતાના કહ્યામાં રહ્યો નહીં અને રખડું જિંદગી જીવવા લાગ્યો હતો, એક દિવસ પરિવાર બપોરના સમયે ભેગા મળીને જમી રહ્યો હતો. ત્યારે અચાનક જ વિમલભાઈ નામના વ્યક્તિ કિશોરદાસની પાસે આવ્યા અને કહ્યું કે, તમારો દીકરો મૃત્યુ પામ્યો છે. તેવા સમાચાર મળ્યા છે, આ ઘટના વીણા નગર થી પાંચ કિલોમીટર દૂર આવેલા કનયાળા ગામની છે..
આ ગામમાં કિશોરદાસ તેની પત્ની અમરાવતીબેનની સાથે જિંદગી જીવે છે. તેમનો એકનો એક દીકરો મિલન રખડતી જિંદગી જીવતો હતો અને હવે તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ આ મા બાપ ભોજનનો કોળિયો અધુરો મૂકીને તાબડતોબ દોડતા થયા હતા અને આ સમાચાર ક્યાંથી આવ્યા છે, તેમજ તેનું મૃત્યુ કઈ જગ્યાએ થયું છે..
તેની માહિતી મેળવવા લાગ્યા હતા. વિમલભાઈએ કહ્યું કે, તેમના દીકરાના મૃત્યુના સમાચાર તેઓએ જ્યારે મોબાઈલ પર સાંભળ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. હાલ આ ઘટનાની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાંથી મળી જશે એટલા માટે તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં જતાની સાથે જ ખબર પડી કે મિલન તેના મિત્રોની સાથે શહેરમાં હરી ફરી રહ્યો હતો..
ત્યારે એક અજાણ્યા વ્યક્તિ સાથે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી અને આ વ્યક્તિએ અન્ય સાથીદારોની સાથે મળીને મિલનને મોતને ઘાટ ઉતારી દીધો છે. મિલનનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું છે. તેવા સમાચાર માતા-પિતાને મળ્યા ત્યારે તેઓ તેને ત્યાં નીચે ઢળી પડ્યા હતા કારણ કે, દીકરો ગમે તેવા કારનામા કરે..
પરંતુ તેમના મા બાપ માટે તો તેમનો દીકરો અન્ય લોકોની સરખામણીમાં ખૂબ જ સારો હોય છે. કિશોરદાસ તેના દીકરાના મૃત્યુના સમાચારને સહન કરી શકયા નહીં અને જોર જોરથી રડવા લાગ્યા હતા, તો પરિવારના બીજા સભ્યો પણ આ દુઃખમાં કિશોરદાસનો સાથ સહકાર આપી રહ્યા હતા..
મિલનના મૃત્યુ બાદ ગામના અમુક લોકો કિશોરદાસની સંગાથે શોક વ્યક્ત કરવા માટે આવી પહોંચ્યા તો કેટલાક લોકો કહેવા લાગ્યા કે, તેમનો આ રખડુ દીકરો કિશોરદાસની ઇજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું હતું અને હવે તે ન કરવાના કારનામાં કરી બેસ્યો હશે, તેના કારણે છે તેને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું લાગી રહ્યું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]