ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે કમાણી કરવી ખૂબ જ જરૂરી છે. વગર કમાણીએ જો બિનજરૂરી ખર્ચો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો એક ને એક દિવસે ઘર સંસાર કંગાળ બની જતો હોય છે. અને હવે એના સમયમાં તો જે વ્યક્તિ પાસે પૈસા ન હોય તે વ્યક્તિને કોઈ માન સન્માન પણ આપતું નથી..
અને પરિવારમાં પણ નીચું જોવાનો વારો આવી જતો હોય છે, આવો અનુભવ ઘણા બધા વ્યક્તિઓ કરે છે. પરંતુ મનોમન મૂંઝાઈ જઈ તેઓ આવું અપમાનને સહન કરતા હોય છે. આવા અપમાનને સહન કરવાની બદલે દિવસના જ મહેનત કરવાની શરૂ કરી દેવી જોઈએ અત્યારે એક વિધવા મહિલાઓ ઉપર ખૂબ જ મોટી આફત આવી પડી હતી..
આ વિધવા મહિલાનું નામ અમિતાબેન હોવાનું સામે આવ્યું છે. અમિતાબેન અને તેમના પતિ હરકિશન ભાઈ ગામડામાં રહીને જીવન ગુજારતા હતા. તેઓને સંતાનમાં છ દીકરીઓ હતી તેમને એક પણ પુત્ર હતો નહીં, તેમની છ એ છ દીકરીઓ હાલ શાળાનો અભ્યાસ કરી રહી છે. જેમાં સૌથી મોટી દીકરી હવે કોલેજના અભ્યાસમાં પ્રવેશમાં જઈ રહી છે..
આ તમામ દીકરીઓનું ભરણ પોષણ અને તેમનું ભવિષ્ય ઉજવળ બનાવવા માટે અમિતાબેન અને હરકિશનભાઈ દિવસ મહેનત કરતા હતા. પરંતુ એક માર્ગ અકસ્માતમાં હરકિશન ભાઈનું મૃત્યુ થઈ ગયા બાદ પરિવારની તમામ જવાબદારી વિધવા મહિલા અમિતા બહેન ઉપર આવી ગઈ હતી..
આવા સમયે મોટાભાગે કોઈપણ વ્યક્તિ હિંમત હારી જતા હોય છે. પરંતુ અમિતાબેને હિંમત હારવાની બદલે સાહસથી કામ ઉપાડ્યું હતું તેમને સિલાઈ મશીન ચલાવતા આવડતું હોવાથી તેઓ શહેર નહીં વેપારીનો કોન્ટેક્ટ કરીને સિલાઈ મશીનનું કામકાજ લેવા લાગ્યા હતા. અને તેઓ મહિનાની 18 થી 25 હજાર સુધીની કમાણી શરૂ કરી દીધી હતી..
ધીમે ધીમે તેઓએ આ મશીનની કામગીરી અન્ય મહિલાઓને પણ શીખવી હતી અને તેમની મોટી દીકરી પણ હવે આ મશીન ચલાવતા શીખી ગઈ હતી. ત્યારબાદ અમીતાબેન શહેરના વેપારી પાસેથી કામકાજ લઈ આવતા હતા અને ગામની મહિલાઓને વહેંચી દેતા હતા. આ કામકાજ પૂર્ણ કરીને જે પૈસા કમાતા તેમનાથી તેમના પરિવારનું ઘર સંસાર ચાલતું હતું..
આવા સમયે હરેરી જવાને બદલે જો હિંમત અને સાહસથી કામ લેવામાં આવે તો એકને એક દિવસ જરૂર સફળતા મળતી હોય છે. છ દીકરીઓની વિધવા માતા અમિતાબેને સાહસિક કામકાજ શરૂ કરી દીધું હતું અને ધીમે ધીમે તેઓની કમાણી નો આંકડો 50,000 સુધી પહોંચી ગયો અત્યારે ગામની ઘણી બધી મહિલા અમિતાબેન ની સાથે પાર્ટનરશીપમાં કામકાજ કરી રહી છે..
આ મહિલા એ દિવસ રાજ મહેનત કરવાની જરૂર રાખી અને એ મહેનતને પ્રતાપે આજે તેઓ મહિનાની દોઢ લાખથી 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. અને તેમનો પરિવાર તેમ જ ઘર સંસાર ખૂબ જ સારી રીતે જીવન જીવી રહ્યું છે. જો એ દિવસે હરકિશન ભાઈના મૃત્યુ બાદ તેઓ હિંમત હારી ગયા હોત અને અન્ય કોઈ વ્યક્તિના ભરોસે બેઠો હોત..
તો આજે તેમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી હોત, પરંતુ અત્યારે તેઓ તેમના પગ ઉપર ઉભા છે. અને મહેનત કરીને કમાણી કરી રહ્યા છે. એટલા માટે આવનારું જીવન તેમના માટે અને તેમની છ એ છ દીકરીઓ માટે પણ ઉજ્જવળ સાબિત થવા જઈ રહ્યું છે. આ ઘટનાની જાણ કરી જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિ સુધી પહોંચી ત્યારે તેઓ પણ આ મહિલાની મહેનતને સલામ કરી ગયા હતા..
જ્યારે હરકિશન ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે શરૂઆતના સમયમાં તો અમિતાબેન માટે સુકો રોટલો અને છાશ પીને સૂવાનો વારો આવ્યો હતો. પરંતુ તેમને સિલાઈ મશીન ચલાવવાની આવડત હોવાને કારણે ધીમે ધીમે તેઓ મહેનત કરતા ગયા અને કુદરતનો સાથ અને નસીબ હોવાથી તેમનો ધંધો રોજગાર સારો ચાલવા લાગ્યો..
હાલ તેઓ ખૂબ જ સુખેથી જિંદગી જીવી રહ્યા છે. અને તેમની મોટી દીકરીના લગ્ન માટે મુરતિયો પણ તેઓ શોધી રહ્યા છે. જ્યારે જ્યારે આપણે સમાજના લોકોમાંથી આવી પ્રેરણાદાયી વાતો સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે જો ભગવાને આપણને આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો સુખ આપ્યું ન હોય તો આપણે દિવસના જ મહેનત કરવાની શરૂ કરી દેવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]