પોતાની નજર સામે પોતાના જ સંતાનને આપઘાત કરતા જુવા કોઈ પણ મા બાપ માટે સહેલું નથી. મધ્યપ્રદેશના ભોપાલમાં એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પોતાની જુવાન દીકરી માત્ર બે ફૂટની અંતરે જ ઉભી હતી. માતા તેને સમજાવી રહી હતી. પરંતુ દીકરીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું..
આ બનાવને લઈ પોલીસ પણ આવી પહોંચી હતી. ત્યારબાદ તેના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી રાની શર્મા પહેલા ઈન્દોરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજર તરીકેની નોકરી કરતી હતી. પરંતુ તેની કંપનીમાંથી જ તેનો ટ્રાન્સફરનું ષડ્યંત્ર રચવામાં આવ્યું અને તેને ટ્રાન્સફર ભોપાલમાં કરી દેવામાં આવ્યું હતું..
ઈન્દોરમાં તે પોતાની નોકરીથી ખૂબ જ ખુશ હતી અને ખૂબ જ મન લગાવીને કામકાજ કરતી હતી. રાની શર્માના પિતા વેદરામ શર્માએ જણાવ્યું કે, કંપનીના મેનેજર ડિરેક્ટરએ ભોપાલમાં રહેલા હેડ ક્વાર્ટર માં એક મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં જવા માટે રાનીને લેટર પણ આપી દેવામાં આવ્યો હતો..
અને રાની આ મિટિંગમાં જવા માટે તૈયારીઓ પણ કરવા લાગી હતી. પરંતુ ઇન્દોરમાં રહેલા ઓફિસના મુખ્ય બોસે રાનીને જણાવ્યું કે, મિટિંગમાં તારે જવાનું નથી.. પરંતુ તે જશે આ ઉપરાંત રાની આજે પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હતું. તેનો તમામ ડેટા એ સરે માંગી લીધો હતો. અને ત્યારબાદ એ સર ભોપાલમાં આ મિટિંગમાં ચાલ્યા ગયા હતા..
જ્યારે મિટિંગમાં એમ ડી સાહેબે પૂછ્યું કે, ઈન્દોરથી કોણ આવ્યું છે. અને તેઓને જાણ થઈ કે, રાની શર્માને લેટર મોકલ્યા બાદ પણ તે મિટિંગમાં આવી નથી. ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સો કર્યો હતો. અને તેની માત્ર સાત દિવસની અંદર અંદર બદલી કરી નાખી હતી રાની શર્માની બદલી તથા તેની સાથે જ નાની-નાની વાતોમાં તેનો ખૂબ જ ટોર્ચર કરવામાં આવતું હતું..
અને તેને આ જગ્યા ગમતી હતી નહીં. દિન પ્રતિદિન તે ખૂબ જ હતાશ રહેતી હતી. આ વાતને લઈને તેને જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું હશે. અને અંતે તેને જીવન ટૂંકાવી પણ દીધું છે. રાનીની માતા હજુ પણ ખૂબ જ ઊંડા આઘાતમાં છે. કારણ કે તેઓને તેમની દીકરીની અંતિમ શબ્દો હજુ પણ કાનમાં ગુંજી રહ્યા છે..
તેઓ તેમની દીકરીને બચાવવા માટે તેમની પાછળ પાછળ દોટ મુકતા હતા. જ્યાં રાની બાલકની તરફ દોડીને ઉભી રહી ગઈ અને તે કૂદવા જતી હતી એ જ સમય દરમિયાન રાની શર્માની માતાએ તેને હાથ પકડવાની પણ કોશિશ કરી પરંતુ હાથમાં રહેલું રબરબેન્ડ હાથમાં રહી ગયું અને તેમની દીકરી નીચે પડી ગઈ હતી.
જ્યારે તેઓ તાબડતોબ નીચે પહોંચી ત્યારે તે છેલ્લા શબ્દોમાં તેની માતાને કહેવા લાગી કે મમ્મી મને શું થયું છે..? બસ માત્ર આટલા શબ્દો વારંવાર રાની શર્માની માતાના કાનમાં ગુંજી રહ્યા છે. પોતાની નોકરીનું કામ એટલું બધું ગમતું હતું કે નોકરી ઉપર મળતા ત્રાસને કારણે તેને જીવન ટૂંકાવી દીધું છે..
રાની શર્માએ તેના માતા પિતાનું નામ ખૂબ જ રોશન કર્યું હતું. કારણ કે તે ધોરણ 10માં 90% માર્ક સાથે તેમજ ધોરણ 12 માં ટોપ થ્રી સ્ટુડન્ટ તરીકે પાસ થઈ હતી. આ ઉપરાંત તે કંપનીમાં પણ ખૂબ જ સારું કામકાજ કરતી અને દરેક વ્યક્તિ તેને ખૂબ જ આદર્શ વ્યક્તિ તરીકે સમજતા હતા. પરંતુ તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા તેના માતા પિતાની હાલત હાલ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]