Breaking News

580 વર્ષ પછી આ દિવસે દેખાશે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન..! વાંચો.!

અવકાશમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીનું સૌથી લાંબું ચંદ્ર ગ્રહણ યોજાવા જઇ રહ્યું છે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષશાસ્ત્રીઓ માં આ ગ્રહણની ઘણી ઉત્સુકતા ઓ દેખાઈ રહી છે. કારણ કે આ ચંદ્રગ્રહણ 2021 નું છેલ્લું તેમજ આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે.

આ ચંદ્રગ્રહણ ને આ સદીનું સૌથી સૌથી લાંબુ ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. સો વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ યોજાવાનું છે. તેથી જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણ નું મહત્વ ખૂબ મોટું છે. શાસ્ત્રો મુજબ ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તેમજ ગ્રહણ હોય તે દિવસે કોઇપણ શુભ કાર્ય પણ ન કરવું જોઈએ.

પૌરાણિક કથાઓના મુજબ જ્યારે ગ્રહણ ચાલતું હોય તે સમયે ગ્રહો રાહુ અને કેતુને ચંદ્રગ્રહ કરે છે. આ ગ્રહણ જ્યારે સર્જાય ત્યારે ચંદ્ર પર થોડા સમય માટે ગ્રહણ થાય છે. તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિકો અને શાંતિ સોના મત મુજબ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. તેથી આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. સદીનો સૌથી મોટો ચંદ્રગ્રહણ 19 તારીખ ના રોજ અવકાશમાં દેખાશે.

ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે ૧૯ તારીખે થનારા ચંદ્રગ્રહણ 580 વર્ષ પછીનો સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે. જે કાર્તિક પૂર્ણિમાના દિવસે થશે. તેમજ આ ચંદ્ર ગ્રહણ નુ મહત્વ ખૂબ મોટું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં ખૂબ ઓછા સમય માટે દેખાવાનું છે.

જે અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક વિસ્તારોમાં જ્યારે સૂર્ય આથમતો હશે. ત્યારે જ જોઈ શકાશે આ ગ્રહણ 19 તારીખે બપોરે ૧૨ વાગ્યે 48 મિનિટે શરૂ થશે. તેમજ ચાર વાગીને ૭ મિનિટે પૂર્ણ થઇ જશે. આ ચંદ્રગ્રહણ નો સમયગાળો ત્રણ કલાક અને ૨૮ મિનિટનો રહેશે.

જે 580 વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેસેફિક, આફ્રિકા અને પૂર્વ એશિયાના દેશોમાં દેખાવાનું છે. આ અગાઉ આટલું લાંબુ ચંદ્રગ્રહણ 1840માં 18 ફેબ્રુઆરીના રોજ થયું હતું. અને આવનારા સમયમાં આટલું લાંબું ચંદ્ર ગ્રહણ 2669માં યોજાશે.

આ ચંદ્રગ્રહણ ક્યારે યોજાશે ત્યારે ચંદ્રનો 97 ટકા ભાગ પૃથ્વીના મોટા પડછાયાથી ઢંકાય જવાનો છે. જે બપોરે 2 વાગીને 30 મિનિટે દેખાશે. ભારતમાં આગામી ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં જ દેખાશે તેવું ખગોળશાસ્ત્રીઓ નું કહેવું છે. આ ચંદ્ર ગ્રહણ વૃષભ અને કૃત્તિકા નક્ષત્રમાં થવાનો છે. જેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *