અત્યારે કોઈપણ વ્યક્તિને જ્યારે પણ કોઈ દુઃખ આવી પડે ત્યારે એ દુઃખમાંથી બહાર નીકળવાની બદલે અમુક વ્યક્તિ એટલા બધા હતા થઈ જાય છે કે, આ દુઃખની અંદર ઊંડા ઉતરી જતા હોય છે અને જ્યારે તેમનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે તેઓ અવળું પગલું ભરીને હંમેશા હંમેશા માટે જીવન ટૂંકવી દેતા હોય છે..
આવી ઘણી બધી ઘટના આપણી નજર સામેથી પસાર થઈ ચૂકી છે અને કેટલીક ઘટના તો આપણા નજીકના વ્યક્તિઓ સાથે પણ બનેલી હશે. અત્યારે બિહારના જમાઈમાંથી કંઈ આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે. અહીં કોલહુવા વિસ્તાર પાસે રામ બલીરામ નામનો 35 વર્ષનો એક વ્યક્તિ એકલવાયુ જીવન જીવતો હતો..
કારણકે તેની પત્ની છેલ્લા પાંચ વર્ષથી રિસામણે તેના પિયરે રહેતી હતી. તેને સુખી લગ્નજીવન દરમિયાન બે બાળકોનો જન્મ થયો હતો. પરંતુ દિન પ્રતિ દિન તેની પત્ની સાથે વધતા જતા વિવાદને કારણે તેની પત્ની પાંચ વર્ષ પહેલા જ પોતાના પિયરે લેવા માટે જતી રહી હતી. તેની પત્ની અત્યારે બંગાળના રાણીગંજ વિસ્તારમાં રહેતી હતી..
અને ત્યાં તે મજૂરી કામ કરીને તેના બાળકોનું ભરણપોષણ કરી તેને ભણાવતી હતી. તો બીજી બાજુ રામ બલિરામ પણ મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો. પરંતુ તે તેની પત્ની સાથે ક્યારેય જીવન ગુજારશે તેની રાહ જોઈને બેઠો હતો. પાંચ વર્ષ વીતી ચૂક્યા છતાં પણ હવે તેની પત્ની અહીં આવવા માટે રાજી હતી નહીં.
એક વખત તેને રાત્રે તેની પત્નીને મોબાઇલ ફોન પર વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, તું હવે સાસરે આવી જા અને અહીં આપણે જીવન જીવીશું ત્યારે તેની પત્ની તેને ચોખ્ખી મનાઈ કરી દીધી હતી અને જણાવી દીધું કે, હવે હું ક્યારેય પણ ત્યાં આવીશ નહીં અને હવે મારે તમારું મોઢું પણ જોવું નથી..
ત્યારબાદ આ ફોન કપાઈ ગયો અને રામ બલરામ ગુસ્સે થઈને પોતાની રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો. તો બીજી બાજુ પિયરમાં બેઠેલી પત્નીને અડધી રાત્રે પોતે બોલેલા શબ્દો ઉપર ખૂબ જ અફસોસ થવા લાગ્યો હતો. એટલા માટે તેણે તેના પતિને ફરી પાછો ફોન કર્યો પરંતુ તેના પતિએ ફોન ઉંચા ક્યાં નહીં તેની પત્ની વારંવાર ફોન કરતી રહી..
પરંતુ એક પણ વાર ફોન ઉંચકતા તે ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. બીજા દિવસે જ્યારે સવારે રામ બલરામ પોતાના રૂમની બહાર આવ્યો નહી ત્યારે આસપાસના પાડોશીઓ તેને જગાડવાની કોશિશ કરી હતી. પરંતુ વારંવાર દરવાજો ખટખટાવવા બાદ પણ નામ બલીરામ બહાર ન આવતા પાછળની બાલકની માંથી જોવાની કોશિશ કરી ત્યારે દેખાયું કે..
રામ બલિરામએ આપઘાત કરીને જીવન ટૂંકકાવી દીધું છે. જ્યારે આ મૃત્યુના સમાચાર રીસામણે બેઠેલી તેની પત્ની અને તેના બંને બાળકો સુધી પહોંચ્યા ત્યારે તેમના પણ રોઈ રોઈને ખૂબ જ ખરાબ હાલ થઈ ગયા હતા. રામ બલિરામના મા બાપ પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી છે.
જ્યારે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘટનાનો ભોગ બનનાર પરિવારજનોના માથા ધ્રુજી જતા હોય છે. અને તેઓ વિચારવા મજબૂર બને છે કે કદાચ જો આ વ્યક્તિએ પોતાની સાથે રહેલી દુઃખની કોઈપણ વાત અન્ય કોઈ વ્યક્તિને જણાવ્યું હોત તો આજે બનાવ બન્યો ન હોત. પરંતુ જ્યારે પણ માણસ આટલા બધા દુઃખની અંદર જતો હોય છે ત્યારે તેઓને કશું સુજતું નથી અને અંતે તેઓ આપઘાત જેવું ઊંધું પગલું પણ ભરી લે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]