Breaking News

5 મિનીટમાં આવું કહીને ઘરેથી નીકળેલા 16 વર્ષના ચેતનની લાશ નદીના કિનારેથી મળી આવતા પરિવારમાં મચી ગઈ અફરાતફરી, કારણ છે હોશ ઉડાવે તેવું…!

આપડે પતિ-પત્ની, સાસુ-સસરા અને પરિણીતાને સાસરીયાઓ ના ઝગડા વિશે તો સાંભળ્યું જ છે. પરંતુ હાલ નાની ઉંમરમાં થયેલા ઝઘડાઓ પણ મૃત્યુની મંજિલ સુધી જવા લાગ્યા છે. એટલે કે નાના બાળકો વારંવાર નાની-નાની બાબતો લઈને મારામારી કે ઝઘડાઓ કરતા હોય છે..

પરંતુ એવી બાબતોમાં ક્યારે આત્મહત્યા કે કોઈની હત્યા કરવામાં આવતી નથી.. પરંતુ હાલ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ અમદાવાદના એક કિશોર સાથે એવું બન્યું છે જે વાંચીને તમારા પર રુંવાડા બેઠા થઈ જશે. હકીકતમાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે એક ચાલીમાં નગવાડીયા પરિવાર રહે છે..

પરિવારમાં 16 વરસનો દીકરો ચેતન પણ રહે છે. તે અવારનવાર પોતાના મિત્રો સાથે નજીકના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા માટે જતો હતો ચેતનને ક્રિકેટ રમવાનો ખૂબજ શોખ હતો. તે આજથી છ મહિના પહેલા ક્રિકેટ મેચ રમવા માટે પોતાના મિત્રો સાથે ગયો હતો. તે રમીને ઘરે પાછો આવી રહ્યો હતો..

એ સમય દરમ્યાન ઘર પાસેના બગીચામાં પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. એ સમય દરમિયાન ભૂદરપુરા વિસ્તારમાં મહાત્મા ગાંધી કુંજ સોસાયટીમાં રહેતા પારધી પરિવારનો એક દીકરો કે જેની કોઈવાતને લઇને ચેતન સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. નાની વાતમાં ઉત્પન્ન થયેલી બોલાચાલી ખૂબ મોટો ઝઘડામાં પરિવર્તન પામી ગઈ હતી…

એવામાં સુરેશભાઈ અશોકભાઈ પારધી પોતાના દીકરાની ભેર તાણવા માટે પોતાના સાઢુભાઈ અશ્વિનભાઈ રણછોડભાઈ જીતયાને લઈને પહોંચી ગયા હતા. એક બાજુ 16 વરસનો ચેતન અને તેના મિત્રો પૂરતી સમજ ન હોવાને કારણે બોલાચાલીનો ભોગ બન્યા હતા. તો બીજી બાજુ સુરેશભાઈ તેના સાઢુભાઈ સાથે પોતાના દીકરાની ભેર તાણવા માટે પહોંચી ગયા હતા..

માત્ર ૧૬ વર્ષના દીકરાને તેમજ તેના પરિવારને નાના ઝઘડાને લઇને ખૂબ મોટી ધમકીઓ આપવા લાગ્યા હતા. સુરેશભાઈ તેમજ અશ્વિનભાઈએ ચેતનના પરિવારને જણાવ્યું હતું કે તમને હું ખોટા કેસમાં ફીટ કરી દઈશ અને જેલ ભેગા કરી દઈશ. આ વાતને છ મહિના વીતી ચુક્યા હતા છતાં પણ સુરેશ અને અશ્વિન ચેતન અને તેના પરિવારને અવારનવાર ધમકીઓ આપતા હતા…

તેમજ હેરાન-પરેશાન કરતા હતા. આ બાબતોને લઈને 16 વરસનો ચેતન ખૂબ જ ડરી ગયો હતો. તે દિવસ રાત્રે જમ્યા બાદ તેની માતા ગીતાબેનને જણાવ્યું કે હું માત્ર પાંચ મિનિટમાં રોડ પર એક આંટો મારીને આવું છું.. એમ કહીને તે ઘરે થી નીકળ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી ચેતન ઘરે પરત ન ફરતા પરિવારને ખૂબ જ ચિંતા સતાવવા લાગી હતી..

એટલા માટે તેઓએ ચેતન મિત્રોનો સંપર્ક કર્યો હતો અને ક્યાં છે..? એને શા માટે હજુ સુધી ઘરે આવ્યો નથી..? તેની પૂછતા જ કરવા લાગ્યા હતા. પરંતુ મિત્રોએ પણ મનાઈ કરી દીધી હતી કે તેઓને ચેતનના કોઈ સમાચાર મળ્યા નથી. લાંબો સમય વીતી ગયા બાદ પણ ચેતનની ભાળ ન મળવાથી પરિવાર પોલીસ સ્ટેશનના દ્વારે પહોંચ્યો હતો..

અને ફરિયાદ નોંધાવી હતી. એવામાં અચાનક બીજા દિવસે સવારે નદીના કિનારે થી અજાણ્યા કિશોરીની લાશ મળી આવતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતાં જણાયું કે આ કિશોર બીજું કોઈ નહીં પરંતુ 16 વરસનો ચેતન છે. આ સમાચાર જ્યારે તેમના પરિવારને મળ્યા ત્યારે તેઓ ખુબજ આઘાતમાં મુકાઈ ગયા હતા.

કારણ કે ખૂબ નાની વાતને લઈને 16 વર્ષના ચેતને નદીમાં કુદીને આપઘાત કરી લીધો છે કે પછી તેને કોઈએ નદીમાં ધક્કો દીધો છે તે વિચારવા પર મજબૂર બની ગયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરિવાર નાનકડા દીકરાના મોતના માતમમાં શોકમગ્ન બન્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *