નાના બાળકો સાથે આજકાલ એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે તેમના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘણા બધા પરિવારો હજુ પણ નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. તેઓ દીકરા દીકરીઓમાં ભેદભાવ કરીને માસુમ બાળકીઓને છોડી રહ્યા છે. આવો જ એક કરુણ કિસ્સો હાલમાં સામે આવ્યો છે.
આ કિસ્સો જયપુરના જંગલ વિસ્તારમાં બન્યો છે. જયપુરના રીંગરોડ દેવ હોટલના પાછળના જંગલ વિસ્તારમાં બપોરના સમયે એક માસુમ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે આસપાસના પસાર થતા લોકોએ આ રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે, તેમ શોધવાનું ચાલુ કર્યું હતું.
જો કે ઘણા બધા રાહદારીઓ આ અવાજ સાંભળ્યો હોવા છતાં ધ્યાન ન આપીને ચાલવા લાગ્યા હતા. પરંતુ અમુક રાહદારીઓએ આ અવાજ સાંભળ્યો હતો. રાહદારીઓએ જંગલ વિસ્તારમાં ગયા અને તેમણે જોયું તો એક ઝાડિયો પાસે ધાબળામાં લપેટાયેલું એક બાળક હલી રહ્યું હતું અને આ બાળક ખૂબ જ રડી રહ્યું હતું.
રાહતદારિયો બાળકને ત્યાંથી ઊંચકીને જોયું તો માસુમ નવજાત બાળકી ખૂબ જ રડી રહી હતી. તરત જ સ્થાનિક લોકોએ મુહાના પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત બાળકીને જેકે લોન હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવી હતી..
ત્યારબાદ ધાબળામાં લપેટાયેલી નવજાત બાળકીના માતા પિતાને પોલીસે શોધવાનું ચાલુ કર્યું હતું. તે સમયે તપાસ કરતા જાણવા મળ્યું કે નવજાત બાળકી લગભગ પાંચ દિવસની હતી. બાળકીનો જન્મ જે હોસ્પિટલમાં થયો હતો. ત્યાંથી તેમના માતા પિતાની શોધવાનું પોલીસે ચાલુ કર્યું હતું. નવજાત બાળકીને મરવા માટે જંગલમાં પરિવારના લોકો છોડીને ભાગી ગયા હતા.
પોલીસને સ્થાનિક લોકોએ બાળકીને તરછડીને પરિવારના લોકો ભાગી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ તેમના પરિવારના લોકોને શોધી રહી હતી. બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ જ્યાં તેમની સારવાર દરમિયાન 9 કલાકમાં બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બાળકીનું મૃત્યુ થયું હતું.
બાળકીનું મૃત્યુ થઈ જતા હોસ્પિટલના કર્મચારીઓમાં શોકનો માહોલ જવાઈ ગયો હતો. એક નવજાત બાળકીને જન્મતા જ તેને આટલી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાળકી દુનિયામાં આવતા જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]