જે ઘરોમાં લગ્ન પ્રસંગ આવે તે ઘરના સૌ કોઈ સભ્યો તેમ જ પરિવારજનોની ખુશી જુદી જ હોય છે. જ્યારે જ્યારે પણ શુભ પ્રસંગ આવી પહોંચે ત્યારે ઘરમાં વડીલો ભગવાનને પ્રાર્થના કરતા હોઈ છે કે, શુભ પ્રસંગ કોઈપણ વિધ્ન વગર સંપૂર્ણ થઈ જાય પરંતુ કહેવાય છે કે, જ્યારે શુભ પ્રસંગની ઘડી આવી પહોંચી હોય ત્યારે જ અશુભ પ્રસંગો પણ બનવાના યોગ ખૂબ જ જોર કરતા હોય છે..
હાલ એક ગરીબ ઘરમાં ભારે માતમ છવાઈ ગયો છે. આ બનાવ હિમાચલ પ્રદેશના ગાગરેટ વિસ્તારનો છે. અહીં કોડી ગામમાં ગુરપાલ નામનો વ્યક્તિ રહે છે. તે ચા-સમોસાની લારી ચલાવીને તેમના પરિવારજનોના દરેક સ્વપ્નનને પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યો હતો. પરિવારમાં તેને પાંચ દીકરીઓ અને એક પત્ની નો સમાવેશ થતો હતો..
તેણે મોટી બંને દીકરીઓના લગ્ન ગમે તે રીતે પૈસા ભેગા કરીને કર્યા હતા. અને હવે વચેટ દીકરીના લગ્નની તારીખો લેવાઈ હતી, લગ્નના માત્ર બે દિવસ પહેલા જ ગુરુપાલ સાથે એવો આકસ્મિક બનાવ બન્યો છે કે, જેમાં તેનો જીવ ચાલ્યો ગયો છે. જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે ગુરપાલનું મૃત્યુ થયું છે..
ત્યારે ઘરમાં ચાલતી લગ્નની ખુશી એકાએક મોતના માતમમાં છવાઈ ગઈ હતી. માત્ર બે દિવસ પછી જે ઘરેથી હવે દીકરીની ડોલી ઉપડવાની હતી હવે એ જ ઘરેથી મોતની અર્થી ઉઠતા ભારે શોક છવાઈ ગયો હતો. ભગવાને ગુરપાલના ભાગ્યમાં કંઈક જુદું જ લખ્યું હશે, માત્ર બે દિવસ બાદ તેની દીકરીના લગ્ન હતા..
પરંતુ લગ્નની વિધીઓ શરૂ ને મા-બાપ દીકરીને આશીર્વાદ આપે એ પહેલા જ દીકરી તેના પિતા વગરની થઈ ગઈ છે. જ્યારે ગુરપાલના મૃત્યુના સમાચાર પરિવારજનોને આપવામાં આવ્યા ત્યારે પાંચે પાંચ દીકરીઓ રડી રડીને ખૂબ જ બેહાલ થઈ હતી. તો ગુરપાલની પત્ની પણ હોશ ખોઈ બેઠી હતી..
પરિવારજનોની આ સ્થિતિને સંભળાવી અન્ય સ્નેહીજનો માટે પણ ખૂબ જ મુશ્કેલ બની જતી હતી. હાલ આ પાંચ દીકરીઓ તેમજ ગુરુપાલની પત્ની સહિત અન્ય ઘણા બધા વ્યક્તિઓની હાલત ખૂબ જ ગંભીર છે. કારણ કે તેમની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગુરપાલ પોતાની દીકરીની લગ્ન પ્રસંગની તૈયારીઓ માટે ચીજ વસ્તુ લેવા માટે ગયા હતા..
જ્યાં એક અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. આ પ્રકારનો બનાવ સહન કરવો કોઈ પણ પરિવારજનો માટે સહેલો નથી. પરિવારના અન્ય લોકો રડતા મુખે ગુરપાલને અંતિમ વિદાય આપી હતી. ગુરપાલનો અકસ્માત કેવી રીતે થયો તેની હાલ કોઈ જાણકારીઓ પ્રાપ્ત થઈ નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]