Breaking News

5 બહેનોના એકના એક ભાઈએ ફેક્ટરીમાં લટકીને આપઘાત કરી લેતા પરિવાર હિબકે ચડ્યો, કારણ જાણીને બધાના મોતિયા મરી ગયા..!

અત્યારના સમયમાં લોકો પોતાની નાની-નાની વાતમાં કંટાળી રહ્યા છે. તેઓની મુશ્કેલીઓને દૂર કરવાને બદલે પોતાના જીવનને ગુમાવી રહ્યા છે, જેને કારણે બનતા ચોકાવનારા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો હરિયાણાના પાણીપતમાં આવેલા પસીના રોડ પર આવેલા સચદેવા ફેક્ટરીમાં બન્યો હતો.

યુપીના હરદોઈના રહેવાસી યુવક આ ફેક્ટરીમાં કામ કરતો હતો. યુવકનું નામ ગોવિંદ હતું. ગોવિંદ તેમના પરિવાર સાથે હરદોઈમાં રહેતો પરંતુ થોડા સમયથી તે પાણીપતમાં કામ કરવા માટે આવ્યો હતો. ફેક્ટરીમાં કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગોવિંદને પરિવારમાં 5 બહેનો અને માતા-પિતા છે.

પાંચ બહેનો ગોવિંદથી નાની હતી. પાંચેય બહેનો તેના માતા-પિતા સાથે રહીને ગામડામાં ગામમાં ખેતી કરતી હતી. ગોવિંદ પાણીપતના આસાની કલામ ગામમાં રહેતો હતો. તેને થોડા સમયથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને તે આ યુવતી સાથે લગ્ન કરવા માગતો હોવાને કારણે ઘણા સમયથી તે યુવતીને મળવા જતો હતો.

ત્યારબાદ યુવતી પણ ગોવિંદને મળવા માટે અવારનવાર ફેક્ટરી અને તેના ઘરે આવતી હતી. ગોવિંદ લેબર ક્વોટરમાં રહેતો અને ફેક્ટરીમાં નોકરી કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો અને વધેલી બચત તે પોતાના પરિવારજનોને ગામ મોકલતો હતો ત્યારબાદ ગોવિંદ તેમની પ્રેમિકા સાથે લિવિનમાં રહેવા લાગ્યો હતો.

બંને સાથે રહેતા હોવાને કારણે તેઓ પોતાના પરિવારજનોને પણ તેમના લગ્નની વાત કરવાના હતા પરંતુ એક દિવસ તેને ફેક્ટરીમાં રજા હોવાને કારણે તે એક મહિના પહેલા ગામમાં પાછો ગયો હતો. ત્યારબાદ ગોવિંદે પરત આવતા તેમની પ્રેમિકા તેમનાથી રિસાઈને જતી રહી હતી. ગોવિંદે તેમની ફેક્ટરીનો હિસાબ પણ તેમની પ્રેમિકાને આપ્યો હતો.

પરંતુ પ્રેમિકા તેને છોડીને જતી રહી હતી. જેના કારણે ગોવિંદને ખૂબ જ આઘાત લાગ્યો હતો. ગોવિંદે આઘાત લાગવાને કારણે તે પોતાને સમજી શક્યો નહીં અને એક દિવસ તે ફેક્ટરીમાં ગયો અને તે સમયે કોઈ પણ બીજા કર્મચારીઓ ન હતા. ત્યારે ગોવિંદે ફેક્ટરીના એક ગોડાઉનમાં જઈને લટકીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ તેણે પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. થોડા સમય પછી ફેક્ટરીના સુપરવાઇઝર ફેક્ટરીમાં ગોડાઉનમાં પહોંચ્યા હતા. ત્યારે તેમણે જોયું તો ગોવીંદ લટકી રહ્યો હતો. જેના કારણે તરત જ ફેક્ટરીના માલિકને આ ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસને પણ ગોવિંદના આપઘાતની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને તમામ તપાસને હાથ ધરી હતી. ફેક્ટરીના માલિક ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા તેમની ફેક્ટરીમાં એક કર્મચારીએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. પોલીસે ફેક્ટરીમાં ગોવિંદે આપેલી માહિતી મુજબ પોતાના ઘરે તેમના પિતાને ફોન કરીને ગોવિંદના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.

ગોવિંદના મૃત્યુની જાણ થતા જ આ બહેનો અને માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ ગોવિંદની બહેને પોલીસ સ્ટેશનમાં જઈને તેમની સાથે રહેતી તેમની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના કારણે પોતાના ભાઈએ આ પગલું ભર્યું હોવાની જાણ કરી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી….

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *