કહેવાય છે કે પ્રેમ કોઈ પણ ઉંમરે થતો હોય છે. પરંતુ પ્રેમ કરતા પહેલા જો પોતાના પરિવારજનોનું પણ વિચારવામાં ન આવે તો તે બિલકુલ ખોટી બાબત છે. એવા ઘણા બધા મામલાઓ આપણી નજર સામે આવી ચૂક્યા છે કે, જેમાં એક વખત લગ્ન થયા બાદ પણ તેઓ બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કરી બેસે છે..
અને ત્યારબાદ પોતાનું પ્રથમ ઘર ભાંગવું પડતું હોય છે. આ સાથે સાથે પરિવારના સભ્યો પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે. આ ઉપરાંત સમાજના અન્ય લોકોના કડવા વેણ વચન સાંભળવાના એ તો અલગ જ.. આવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. અને અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના નતોરના ભીલાડીપારા પાસેથી સામે આવી છે
અહીં એક ભાડાનું ઘર રાખીને 42 વર્ષની શિક્ષિકા રહેતી હતી. તે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી અને તે ફિલોસોફી ડિપાર્ટમેન્ટની શિક્ષિકા હતી. તેને તેનાથી 20 વર્ષ નાના મામુન નામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. મામુન ની ઉંમર 22 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જ્યારે શિક્ષિકા ખેરૂનની ઉંમર 42 વર્ષ છે..
આ બંને વચ્ચે ઉંમરનો એટલો બધો તફાવત હતો. છતાં પણ બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા અને એક દિવસ તે બંને લગ્ન પણ કરી લીધા હતા. ખેરૂન નામની આ મહિલાએ એક પણ વાર પોતાના પરિવારજનો વિશે વિચાર્યું હતું નહીં અને પોતાના દીકરાની ઉંમરના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ આ લગ્નજીવન લાંબો સમય સુધી ચાલી શક્યું નથી..
અને લગ્નના માત્ર 14 દિવસમાં જ એવી ઘટના બની ગઈ છે કે, જે દરેક વ્યક્તિએ જાણી લેવી જોઈએ. તેઓના લગ્નના 14 દિવસ થયા ત્યારે અચાનક જહેરોના ઘરમાંથી તેની લાશ મળી આવી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી..
આ ઉપરાંત આસપાસના પડોશી એ જણાવ્યું કે, ખેરુંન આજથી ચૌદ દિવસ પહેલા જ પોતાની દીકરાની ઉંમરનો યુવક સાથે પરણી છે. પરંતુ આ લગ્ન બાદ તે ખુશ ન હોય તેવું લાગી રહ્યું હતું. અને હવે તેની લાશ જોતા ભારે હોબાળો મચી ગયો છે. તો અન્ય પૂછપરછ કરતા જણાયું કે મામુન નામનો 22 વર્ષના યુવક દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો..
આ ઉપરાંત તે ઘણા બધા કાળા કારનામા પણ જોડાયેલો હતો. તે પહેલેથી જે આરોપી હતું અને તેણે 42 વર્ષની આ શિક્ષિકા સાથે લગ્ન કર્યા બાદ તેણે વાપરવા માટેના પૈસા મોંઘી બાઇક સહિતની અન્ય ચીજ વસ્તુઓની પણ માંગણી કરી હતી. જ્યારે મામુને પોલીસે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, તેની 42 વર્ષની પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે.
પરંતુ આ મોતનો મામલો કોઈ પણ કાળે આપઘાત જેવો લાગતો હોતો નહીં, એટલા માટે આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલા મામલાની તમામ જાણકારીઓ મેળવાય રહી છે. દિન પ્રતિ જયારે આવા મામલાઓ સામે આવે છે ત્યારે માણસનું મગજ પણ કામ કરતુ બંધ થઈ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]