અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે, ક્યારે કયો વ્યક્તિનો જીવ બદલાઈ જાય અને આપણી સાથે શું કરી નાખે તેનું નક્કી હોતું નથી. અત્યારે ચાર વખત છુટા છેડા લીધા પછી વિરેન્દ્ર નામના યુવકના પાંચમી વખત પણ લગ્ન થયા હતા. વિરેન્દ્ર નામના યુવકને દારૂ પીવાની કુટેવ હોવાને કારણે ચાર વખત તેના છૂટાછેડા થઈ ગયા હતા..
પરંતુ તેના પરિવારજનોએ તેના પાંચમી વખત પણ લગ્ન કરાવ્યા અને એક દિવસ પાંચમી પત્નીએ એવો ખેલ ખેલી નાખ્યો હતો કે, વિરેન્દ્રનો ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના દસ દિવસ વીતી ચુક્યા છે અને દસ દિવસ બાદ પોલીસને વિરેન્દ્રના મૃત્યુનો કિસ્સો સુલજાવી નાખ્યો છે..
આ ઘટના ઉરતી ગામની છે. આ ગામમાં વિરેન્દ્ર ગુજ્જર નામનો યુવક તેના પરિવારજનોની સાથે રહે છે. થોડા દિવસ પહેલા જ તેની કંચન નામની મહિલા સાથે પાંચમી વખત લગ્ન થયા હતા. આ અગાઉ ચાર વર્ષ પત્ની તેને છોડીને જતી રહી હતી અને પાંચમી પત્નીને પરણ્યા બાદ પરિવારજનોને લાગ્યું કે, હવે વિરેન્દ્ર તેની ખોટી ટેવોને મૂકી દેશે..
અને રાજી ખુશીથી જીવન જીવશે. પરંતુ તેને લગ્ન કર્યાના થોડા જ દિવસોની અંદર અંદર દારૂ પીવાની ટેવ શરૂ કરી દીધી હતી. તે વારંવાર ઘરે આવીને તેની પત્નીને નશાની હાલતમાં હેરાનગતિ પહોંચાડતો હતો. થોડા સમય સુધી તો કંચને અને આ બધી બાબતો પરેશાન થઈને સહન કરતી રહી પરંતુ એક દિવસ તેણે કંટાળી જઈને તેના પતિને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી નાખ્યું હતું..
તેણે વિચાર્યું કે, આગળ ચાર પત્નીની જિંદગી આ યુવક બરબાદ કરી ચૂક્યો છે. અને હવે મારી જિંદગી પણ બરબાદ કરવા ઉપર ઉતરી આવ્યો છે. હવે આ વ્યક્તિને જીવવાનો કોઈ અધિકાર નથી તેમ વિચારીને તેણે સાંજના ભોજન ની અંદર એકસાથે 20 જેટલી ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી..
જ્યારે તેનો પતિ ખૂબ જ ઊંડી ઊંઘમાં સુઈ ગયો ત્યારે કુહાડી લઈને તેને ઉપર તૂટી પડી હતી અને તેને મોતને ઘાટ ઉતારીયા બાદ એક કપડાની અંદર તેની લાશ ને વીંટીને સાયકલ ઉપર લઈ તેમના ઘરથી થોડીક અધૂરો રોડ કાંઠે ફેંકી દીધી હતી. જ્યારે બીજા દિવસે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને વિરેન્દ્રની લાશ દેખાઈ આવી ત્યારે તેઓએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી..
પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનોને નોંધવામાં આવ્યા હતા. તેમાં જુદી-જુદી પૂછપરછ દરમ્યાન પોલીસને વિરેન્દ્રની પત્ની ઉપર શંકા ગઈ હતી. એટલા માટે તેણે અલગથી પૂછપરછ ગોઠવી અને તેમાં વિરેન્દ્રની પત્ની આ તમામ ભાંડો ફોડી નાખ્યો અને કબૂલી લીધું હતું કે..
તેણે જ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. વિરેન્દ્ર માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શકયા નહીં જ્યારે તેમને ખબર પડી કે વિરેન્દ્રની પાંચમી પત્ની જ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે તેમની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. વિરેન્દ્રની પત્ની કંચને વિરેન્દ્રને મોતને ઘાટ ઉતારીયા બાદ તેના કપડાં અને તેના ચપ્પલને પણ સળગાવી નાખ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]