નાના બાળકો સાથે ઘટના ઘટવાનો સીલસીલો હજુ પણ યથાવત છે. બિચારા નાના બાળકની શું ભૂલ હશે કે તેને ખુબ જ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ સહન કરવાનો વારો આવ્યો છે. આ બનાવ બન્યા બાદ ભલભલા લોકો ચોંકી ઉઠ્યા છે. ભરતપુરના સીકરી વિસ્તારમાંથી માત્ર અઢી વર્ષના એક બાળકની શોધખોળ કરવામાં માં-બાપ અડધા થઈ ગયા હતા..
અને અંતે એ બાળક જીવતો નહી પરતું મૃત હાલતમાં મળી આવ્યો છે. શહેરના હદ વિસ્તારમાં સુહાન તેના માતા-પિતા અને દાદા-દાદી સાથે રહે છે. પરિવાર રાજી ખુશીથી જિંદગી જીવતો હતો પરતું અચાનક જ તેમની જિંદગીમાં હડકંપ મચી ગયો છે. કારણ કે પરિવારના એક નાં એક અને લાડકવાયા દીકારા સુહાન સાથે ન થવાનું થયું છે..
એક દિવસ સુહાનની માતા ખેતરમાં ઘાસચારો લેવા માટે ગઈ હતી. ત્યારે જ સુહાનના દાદા ઘરે હતા પરતું તેઓ થોડીવાર માટે ઘરની બહાર નીકળી આંટો મારવા ગયા હતા. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે સુહાન ઘરે ન હતો. તેણે ઘરમાં દરેક જગ્યાએ સુહાનને શોધ્યો, પણ તે મળ્યો નહીં. થોડી વાર પછી સુહાનની માતા પણ ઘરે આવી.
સુહાનના ગુમ થવાના સમાચાર તેણે સુહાનની માતાને જણાવ્યા, ધીમે ધીમે આખા ગામમાં આ સમાચાર ફેલાઈ ગયા હતા. તમામ ગ્રામજનોએ એકઠા થઈને આખા ગામમાં સુહાનને શોધ્યો પણ તેનો ક્યાય અતો પત્તો લાગ્યો ન હતો. અંતે માં-બાપ પોલીસ સ્ટેશને જઈને સુહાન ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ભરતપુરના સીકરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી સુહાનને શોધવાની કામગીરી તો શરુ કરી દીધી પરતું 2 દિવસ બાદ પણ આ કેસમાં કોઇપણ કડી મળી ન હતી. એક બાજુ સુહાનના માં-બાપ ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા કારણ કે તેઓને તેમના એકના એક દીકરા સુહાનની ખુબ જ ચિંતા થતી હતી..
આ અઢી વર્ષના દીકરાએ ખાધું હશે કે નહી, તે ક્યા ગયો હશે તે વિચારવા સૌ કોઈ મજબુર બન્યા હતા. 5માં દિવસે સવારે ઘાસચારો લેવા જતી મહિલાઓને કુવા પાસે અતિશય દુર્ગંધ આવતા તેઓએ કૂવામાં ડોકિયું કર્યું હતું. ત્યારે કુવામાં કોઈ બાળકનો મૃતદેહ પડેલો હોઈ તેવું જણાયું હતું.
મહિલાઓએ તરત જ બાળકના પરિવારને જાણ કરી. તેઓએ પોલીસને જણાવ્યું અને પોલીસે રેસ્ક્યુ કરી આ લાશને બહાર કાઢી હતી. બાળકના પરિવારજનોનો આરોપ છે કે કોઈએ બાળકનું અ.પ.હ.ર.ણ. કરીને તેની હ.ત્યા. કરી કરવામાં આવી છે અને બાળકની લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
આ બનાવ નક્ચા ના બસ ગામથી સામે આવ્યો છે. આ કૂવો બાળકના ઘરથી માત્ર 700 મીટર જ દૂર છે. ત્યારે આ બાળક સાથે શું થયું હશે..? તેમજ તે અજાણતા આ કુવામાં પડી ગયો છે કે કોઈ વ્યક્તિએ તેને ધક્કો આપી દીધો છે એ જાણવા સૌ કોઈ મજબુર બન્યા છે. હકીકતમાં આ બનાવને લઈને આસપાસના વિસ્તારોમાં ફફળાટ મચી ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]