દરેક બાબતો મનુષ્યના ધાર્યા પ્રમાણે કામ થાય તેવું નક્કી હોતું નથી, કારણ કે અમુક ઘટનાઓનો આધાર મનુષ્યના હાથમાં પણ હોતો નથી. કુદરતી કરામત અને નસીબના આધારે ઘણી બધી ચીજ વસ્તુઓ ને છોડી મૂકવી પડે છે, એવી જ રીતે અત્યારે એક પરિવારમાં ખૂબ જ મોટો હોબાળો બચી જવા પામ્યો છે..
કારણ કે, પરિવારના દરેક સભ્યોને તેમની પુત્ર વધુ પાસેથી એક દીકરો જન્મે તેવી આશા હતી. પરંતુ આ મહિલાએ એક પછી એક એમ કુલ ચાર દીકરીઓને જન્મ આપ્યો હતો, એટલા માટે ઘરના તમામ સભ્યો હવે આ મહિલાને તરછોડવા લાગ્યા હતા અને હદ તો ત્યારે વટી ગઈ કે જ્યારે આ મહિલાની સાસુએ તેને કહી દીધું કે, હવે જો તે દીકરો ન જાણ્યો તો આ ઘરની અંદર પગ મુકતી નહીં..
તારે જ્યાં પણ રહેવા જવું હોય ત્યાં તું જઈ શકે છે, પરંતુ જો તે દીકરાને જન્મ નહીં આપ્યો, તો તું આ ઘરની અંદર રહી શકીશ નહીં. બસ આટલું કહી દેતાની સાથે જ ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો અને આ મહિલા માટે ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટના શેતાનપુર ગામની છે..
આ ગામની અંદર અસ્મિતા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે, તેના લગ્ન આજથી 11 વર્ષ પહેલા દીપક નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ અસ્મિતા એક પછી એક કુલ ચાર દીકરીઓને જન્મ આપ્યો હતો. આ ચાર દીકરીઓની સાચવણી અસ્મિતા એકલા હાથે કરતી ક્યારેય પણ અસ્મિતા અને તેની સાસુએ આ દીકરીઓની સાચવણી કરવામાં મદદ કરી નથી કારણ કે..
આ ચારમાંથી કોઈ પણ દીકરી તેની સાસુને વાહલી હતી નહીં, અસ્મિતાને તેની સાસુ અવારનવાર કહેતી કે, તારે હવે દીકરાને જન્મ આપવો પડશે. જો તું દીકરાને જન્મ નહીં આપે તો તું અમારા માટે કોઈ પણ કામની નથી, આ ઉપરાંત ઘણા બધા કડવા વેણ વચનો કહીને અસ્મિતાને લાગણીને ખૂબ જ ઠેસ પહોંચાડતા હતા..
બિચારી અસ્મિતા ઘણી બધી વાર આ વાતની જાણકારી તેના પતિને કહેતી અને પોતાની આપવીતી જણાવતી કે, તેને દીકરો જન્મશે કે દીકરી જન્મશે તેનો આધાર તેની પાસે નથી. ઈશ્વરની જે ઈચ્છા હશે તે ને આપણા ઘરે મહેમાન રૂપે મોકલે છે, ક્યારેય પણ દીકરા અને દીકરીઓમાં ભેદભાવ રાખવો જોઈએ નહીં..
પરંતુ અસ્મિતાની સાસુ દીકરાને દીકરીમાં ભેદભાવ રાખીને દીકરીઓને તરછોડવા લાગી હતી, આ ઘટનાને લઇ તાત્કાલિક ધોરણે અસ્મિતા મહિલા સશક્તિકરણની ટીમ પાસે પહોંચી અને જણાવ્યું કે, તેના સાસરીયાના લોકો તેને હેરાન પરેશાન કરી રહ્યા છે. એક વખત તો તેના સસરા એ પણ અસ્મિતા ઉપર હાથ ઉપાડી લીધો હતો..
તો બીજી બાજુ હવે દીપક પણ અસ્મિતાને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો, આ તમામ બાબતોથી કંટાળી જઈને વિચારી અસ્મિતા ને ખૂબ જ માઠુ લાગી આવ્યું હતું અને એક દિવસ તેણે જીવન ટૂંકાવી દેવાનું પણ વિચાર્યું પરંતુ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે, જો તે જીવન ટૂંકાવી દેશે તો તેની ચારે દીકરીઓની સાચવવાની કોણ કરશે..
કારણ કે, તેનો પરિવાર તો આ ચારેય દીકરીઓની તદ્દન વિરુદ્ધ ચાલી રહ્યો છે. એટલા માટે તેણે ન્યાય મેળવવા પોલીસની મદદ પણ લીધી હતી કે, તેની સાસુ સસરા ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા છે. જ્યારે જ્યારે આપણે આવા સામાજિક કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણું પણ લોહી ગરમ થઇ જતું હોય છે, અને વિચારમાં મુકાઈ જઈએ છીએ કે ક્યારે આવી ઘટનાઓ બનવાનું બંધ થઈ જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]