જીવનમાં અમુક સમયે સંતોષ આવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સંતોષી જીવન જીવવામાં ન આવે તો માણસના મગજને ક્યારેય પણ ચેન બેસતું નથી, અત્યારે એક સુખી લગ્ન જીવન પ્રસાર કરી રહેલી મહિલા એ એવું કરી નાખ્યું છે, જેને જાણીને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે..
આ ઉપરાંત ઈજ્જત આબરૂના ધજાગરા ઉડી જતા કંટાળેલા પતિએ પણ અંતે એવું પગલું ભરી લીધું હતું કે સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા, હકીકતમાં ઘટના પારસમણિ ચોક પાસે આવેલા કામિની કોલોની છે. આ કોલોનીમાં સુભાષભાઈ તેની પત્ની વનિતાની સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા..
સુભાષભાઈ અને વનીતાબેનના સુખી લગ્નજીવન દરમિયાન તેમને ચાર બાળકોને પણ જન્મ આપ્યો હતો, બે દીકરા અને બે દીકરીઓની સાથે આ પરિવાર હમેશા હસતો ખેલતો હતો, બિચારા સુભાષભાઈને એવી તો શી ખબર કે, એક દિવસ તેમની પત્ની ઘરના તમામ લોકોને દગો આપીને ખૂબ જ મોટું અને કાળું કારનામું કરી નાખશે..
સાંજના સમયે સૌ કોઈ લોકોએ સાથે ભોજન લીધા બાદ દરેક વ્યક્તિઓ સૂઈ ગયા હતા અને જ્યારે સવારે સુભાષભાઈ જાગ્યા ત્યારે તેઓએ જોયું તો તેમની પત્ની ઘરે હાજર હતી નહીં. જ્યારે જ્યારે બાળકો પણ વારાફરતી ઊઠીને રડવા લાગ્યા હતા, કારણ કે તેમની માતા ન હોવાને કારણે આ ચારેય બાળકોને પણ ચેન આવ્યું નહીં..
જ્યારે સુભાષભાઈએ તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે તેમના પડોશમાં રહેતા મૌલિક નામનો યુવક પણ સવારથી ગાયબ થયો છે, જ્યારે વધારે તપાસ ચલાવવામાં આવી ત્યારે મૌલિકના પરિવારજનોને જાણકારી મળી કે, મૌલિક સુભાષભાઈની પત્ની વનિતાને લઈને ભાગી ગયો છે..
અને તેઓ એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા અને હવે તેઓ જુદું લગ્નજીવન શરૂ કરવા માંગે છે, આ વાતની જાણકારી જ્યારે સુભાષભાઈના કાન સુધી પહોંચી ત્યારે તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. કારણ કે તેઓ આ બાબતને લઈને ક્યારેય પણ એવો વિચાર કર્યો હતો નહીં કે તેમની પત્ની તેમને દગો આપીને જતી રહેશે..
તેમની પત્નીએ એક પણ વાર પરિવારના સભ્યો વિશે વિચાર કર્યો નહીં કે, તેના ચાર બાળકોનું ભવિષ્યમાં શું થશે તેમજ સુભાષભાઈ આ ચાર બાળકોને કેવી રીતે સાચવશે અને તેમનું લગ્ન જીવન ભાંગી જવા પડશે આ તમામ બાબતોનો વિચાર કર્યા વગર વનીતા તેના પડોશમાં રહેતા મૌલિક નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં આંધળી થઈ ગઈ અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખીને ઘર મૂકીને તેઓ ભાગી ગયા હતા..
જ્યારે આ મામલો આસપાસના સૌ વિસ્તારમાં ફેલાઈ ગયો ત્યારે ઈજ્જત આબરુના ધજાગરા થઈ જવાની વાતચીતને લઈને સુભાષભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા, અને તેઓએ અંતે કંટાળી જઈને આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો, પરંતુ આસપાસના પડોશીઓ સમયસર તેમના ઘરે આવી પહોંચ્યા અને સુભાષભાઈનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો..
હકીકતમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે, આખરે એક વ્યક્તિને કારણે સમગ્ર પરિવાર બરબાદ થઈ જવા પામતો હોય છે. આવી ઘટનાઓ ન બને એટલા માટે દરેક પરિવારની જાગૃતિ ખૂબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]