રાજ્યમાં ઘણા બધા લોકો એવી ગંભીર બીમારીથી પીડાતા હોય છે કે, એ બીમારીની દવા તેમજ ઈલાજ કરાવવા માટે સમગ્ર પરિવાર ખાલીખમ થઈ જાય છે. શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા પરિવારજનો માટે મુખ્યમંત્રીની ઘણી બધી સ્વાસ્થ્ય યોજનાઓ ખૂબ જ વરદાન રૂપ સાબિત થઈ છે..
વધતા જતા મોંઘવારીના સમયમાં મેડિકલ અને સ્વાસ્થ્યની સુવિધાઓ સંસ્થા તેમજ નિશુલ્ક ભાવે મેળવવી એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે દરેક રાજ્યમાં જુદી-જુદી યોજનાઓ હેઠળ લોકોને સ્વાસ્થ્ય સંબંધી તો સેવાઓમા રાહત આપવામાં આવે છે. અત્યારે લંકા કોલોની વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની લાવ્યા નામની દીકરી એક ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી..
તેની આ બીમારીને સરખી કરવા માટે તેમને લગભગ ચાર થી પાંચ લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. પરંતુ પરિવાર ખૂબ જ સાધારણ હોવાથી એટલા બધા રૂપિયા એકઠા કરી શકે તેમ ન હોવાથી અંતે તેઓ ખૂબ જ મૂંઝાઈ ગયા હતા. પરંતુ રાજ્ય સરકારની સ્વાસ્થ્ય લક્ષી યોજનાનો લાભ મેળવવાને કારણે આજે એ ત્રણ વર્ષની દીકરીને નવું જીવન મળ્યું છે..
ત્રણ વર્ષની લાવ્યા રાઠોડ નામની દીકરી અમારા તેના માતા પિતાને જણાવતી કે, તેમને અતિશય પેટમાં દુખાવો થઈ રહ્યો છે. હકીકતમાં તેને પેટમાં નહીં પરંતુ છતિના ભાગે દુખાવો થતો હતો. પરંતુ નાની દીકરીને વધુ ખબર ન પડતા તે પેટમાં દુખાવાની વાતચીત તેના માતા-પિતાને કરતી હતી. તેના પિતા દીપક રાઠોડ તેને નાના દવાખાને બતાવવા માટે લઈ જતા હતા..
અને ડોક્ટર જણાવતા કે, તેણે ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ધ્યાન રાખ્યું નહીં હોય એટલા માટે પેટમાં દુખાવો થઈ રહ્યો છે. પરંતુ આ દુખાવો સતત ને સતત વધવા લાગ્યો હતો. જ્યારે આ દુખાવાથી પીડાઈ રહેલી આ દીકરી રડવા લાગતી ત્યારબાદ આ દીકરીને વધારે તપાસ માટે એક મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી..
જ્યાં તપાસ કરીને ડોક્ટર જણાવ્યું કે, દીકરીના હૃદયની અંદર કાણું છે. તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ઘટના સાંભળતા જ તેના માતા-પિતા ચોકી ઉઠ્યા હતા. લાવ્યાની માતાએ પણ જણાવ્યું કે, તેની દીકરી હતી કે મમ્મી મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને અતિશય મુંજારાનું અનુભવ થઈ રહ્યો છે..
પરંતુ આ નાનકડી દીકરીને એવી કોઈ ગંભીર બીમારી નહીં હોય તેમ સમજીને પરિવારજનો નજર અંદાજ કરતા ગયા અને ધીમે ધીમે આ બાબત ખૂબ જ ગંભીર સાબિત થઈ હતી. આ દીકરીના હૃદયમાં કાણું હોવાને કારણે તેને તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવાની ફરજ આવી પડી હતી..
પરંતુ તેનો કુલ ખર્ચ 3 લાખથી રહી પાંચ લાખ સુધીનો હોવાને કારણે પરિવારજનો મૂંઝાઈ ગયા હતા. અંતે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાને કારણે તમારો આ ઈલાજ બિલકુલ ફ્રીમાં થઈ શકે છે. બસ આ વાક્ય સાંભળતાની સાથે છે તેના માતા પિતાએ ઓપરેશનની મંજૂરી આપી હતી અને ત્યારબાદ આ દીકરીનું ઓપરેશન કરવી હાલ તેને સ્વસ્થ બનાવી દેવામાં આવી છે..
ડોક્ટરનું કહેવું છે કે આ યોજનાનો લાભ ઘણા બધા લોકો મેળવી રહ્યા છે અને નવી જિંદગી પણ મેળવવા લાગ્યા છે. જો માધ્યમ અને ગરીબ વર્ગના લોકો સુધી આ યોજનાઓ પહોચે નહી તો કોઈ વાર પૈસાની તંગીના કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. જે કોઈ વ્યક્તિથી સહન થઈ શકે નહી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]