અત્યારે વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. હોસ્પિટલમાં ત્રણ વર્ષની નામની દીકરીને દાખલ કરવામાં આવી હતી કારણ કે, તેને પેટમાં ઇન્ફેક્શન થયું હતું. તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ બીમાર હતી. પોતાની દીકરીને બીમાર જોઈને માતા પિતાએ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.
ત્યાં તેની સારવાર ચાલતી હતી. પરંતુ તેની હાલત દિન પ્રતિદિન ખૂબ જ બગડવા લાગી હતી. અને એક દિવસ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. જ્યારે ડોક્ટરે આ સમાચાર તેના માતા-પિતાને આપ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયા અને ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. તેમની ત્રણ વર્ષની દીકરી હજુ મહિના પહેલા બિલકુલ સ્વસ્થ હતી..
પરંતુ એક મહિનાની અંદર અંદરથી એવી ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ કે તેમાંથી બહાર નીકળી શકી નહીં અને અંતે તેનો જીવ પણ ચાલ્યો ગયો. ત્યારબાદ આ દીકરીના મૃતદેહને તેવો ઘરે લઈ ગયા હતા. જ્યાં પરિવારના સૌ કોઈ સભ્યો પણ હાજર થયા અને સ્નેહીજનોને પણ આ માઠા સમાચાર આપવામાં આવ્યા હતા..
સૌ કોઈ હાજર થયા ત્યાર બાદ તેની અંતિમવિધિ નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ બાળકીનું મૃત્યુ થયું તેના 12 કલાક બાદ તેની અંતિમ વિધિ કરવા પરિવાર જઈ રહ્યો હતો. એવામાં અચાનક જ આ બાળકીનું શરીર હલવા લાગ્યું હતું. આ જોતા જ શરૂઆતમાં તો સૌ કોઈને લાગ્યું કે, આ શરીર માત્ર બે થી ત્રણ સેકન્ડ માટે હલબલશે અને ત્યારબાદ તેમાંથી જીવ જતો રહેતા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે..
પરંતુ આ બાળકીમાં હકીકતમાં જીવ હોય એ પ્રમાણે તેનું શરીર હલતું હતું. તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તે બાળકી જીવિત હોય તેવું જણાવ્યું હતું. એટલે કે સૌપ્રથમ સારવાર દેનારા ડોક્ટરની બેદરકારીને કારણે તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ દીકરીનો શ્વાસ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો..
તેને અન્ય કોઈ રીતે શ્વાસ શરૂ કરવાને બદલે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. આ ડોક્ટરની સૌથી મોટામાં મોટી મૂર્ખામી હતી. આ બાળકી જીવિત હતી અને હાલ સારવાર હેઠળ છે. જો અંતિમ સમય સુધી આ બાળકી નું શરીર હલબલ્યુ ન હોત તો આજે તેના જીવતા અંતિમ સંસ્કાર થઈ ગયા હોત જ્યારે આ ખુશીના સમાચાર આવ્યા ત્યારે તેના માતા પિતા ખૂબ જ રડવા લાગ્યા હતા.
પહેલી વખત સાંભળીએ કોઈપણ વ્યક્તિને વિશ્વાસ ન થાય તે પ્રકારનો આ બનાવ બનવા પામ્યો છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો ડોક્ટરની આ બેદરકારી સામે ડોળા ફાડી ગયા છે. અને તેને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. કારણકે આજે બેદરકારીને કારણે ત્રણ વર્ષની દીકરીનો જીવ જતા જતા રહી ગયો છે.
આવતીકાલે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ બેદરકારી કરી શકે છે. આ ડોક્ટરની સામે કાર્યવાહી કરતાં તેનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે.આ અગાઉ પણ એવા ઘણા બધા બનાવો બની ગયા છે કે, જેમાં ડોક્ટરની બેદરકારીને કારણે વ્યક્તિને મૃત જાહેર કરી દીધા હોય પરંતુ ત્યારબાદ અંતિમયાત્રા વખતે જે તે વ્યક્તિમાં જીવ પાછો પણ આવતો હોય છે.
કેટલાક લોકોને તો હજુ પણ વિશ્વાસ થતો નથી કે, તેમની બાળકી હકીકતમાં જીવતી છે. ડોક્ટરે જણાવ્યું છે કે, હાલ તેને સારવારમાં રાખવામાં આવી છે. 10 થી 15 દિવસની અંદર તેની સારવાર પૂર્ણ થયા બાદ તે ફરી પાછી હલનચલન કરી શકશે. આ ચોંકાવનારો બનાવ મેક્સિકોથી સામે આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]