જ્યારે માણસ પાસે કોઈ ઉપાય બાકી રેહતો નથી ત્યારે તેઓ કંટાળી જઈને ન ભરવાનું પગલું ભરી લેતા હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. કૈથલ જિલ્લાના સાકરા ગામની રહેવાસી પૂજાના લગ્ન કરનાલ જિલ્લાના નિસિંગ શહેરમાં થયા હતા. નાનપણમાં જ પૂજાના માતા ગુજરી ગયા હતા..
પછી થોડા વર્ષો પછી પિતાનો પરછાયો પૂજાના પણ માથા પરથી જતો રહ્યો હતો. પૂજાને તેના દાદાએ મોટી કરી હતી. દાદાને લાગ્યું કે આ દીકરીને બાળપણમાં માતા-પિતાનો પ્રેમ નથી મળ્યો એટલે સારા કુટુંબમાં લગ્ન કરાવી દીધા હતા. તેઓએ વિચાર્યું કે લગ્ન પછી તેને આખા પરિવારનો પ્રેમ મળશે અને તે ખુબ જ ખુશ રેહશે..
પણ લગ્ન પછી પ્રેમને બદલે તેની સાથે ન થવાનું થવા લાગ્યું હતું. તેનો પતિ આખો સમય દારૂના નશામાં રેહતો હતો. તો સાસુ તેને ઢોરમાર મારતી હતી. આ ઉપરાંત વાતે વાતે મહેણાં ટોણા મારતી હતી. લગ્નજીવન દરમિયાન તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. આજે એ દીકરો 3 વર્ષનો થઈ ગયો છતાં પણ પરિવારજનોની હેરાનગતી ઓછી થતી ન હતી..
સાસરિયાંમાં ચાલી રહેલી પરેશાનીઓથી પૂજા ખૂબ જ દુઃખી હતી. તે રોજીરોટી કરીને પોતાના બાળકોનું ધ્યાન રાખે છે. તેનો પતિ મન ફાવે એટલો દારૂ પીવે છે. કોઇપણ ધંધો કરતો નથી. પૂજા મજૂરીકામ કરવા લાગી અને તેનાથી મળતા પૈસા બાળકોની દવા અને કેટલાક ઘરખર્ચ માટે જતા રેહતા હતા.
આટલો ખર્ચ કર્યા પછી પણ સાસુ અને સસરા પૈસા માંગતા અને જો તેઓ પૈસા ન આપે તો તેમને માર મારતા હતા. આ બધાથી કંટાળીને તે તેના બાળક સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવા માંગતી હતી. તે પોતાના ત્રણ વર્ષના બાળક સાથે આપઘાત કરવા નહેર પર પહોંચી તો તેની સાથે ખુબ જ અજુગતું થયું હતું..
કદાચ ઈશ્વર પણ નહી ચાહતા હોઈ કે આ વ્યક્તિ આપઘાત કરે. સાંજના સમયે પૂજા પોતાના બાળક સાથે ઘરની તકલીફોથી કંટાળીને કેનાલમાં કૂદીને આપઘાત કરવા કૈથલ રોડ પર આવેલી કેનાલ પર પહોંચી હતી. ત્યાંથી એક મહિલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે તેને પૂજાના આ ખરાબ ઈરાદાની જાણ થઈ અને તરત જ તેની પાછળ ગઈ.
પૂજાએ બાળકને નહેરમાં ફેંકવાનો પ્રયાસ શરૂ કરતાં જ મહિલાએ બાળકને પકડીને પૂજાને બીજી બાજુ ધકેલી દીધી હતી. ત્યાં સુધીમાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મોટા ભાગે આ વિસ્તારમાં સાંજના સમયે કોઈ વ્યક્તિ દેખાતું પણ હોતું નથી. એના બદલે આ દિવસે તેને બચાવવા માટે અંતિમ ઘડીએ ઘણા લોકો હાજર થઈ ગયા હતા..
આ ઈશ્વરનો ખુબ મોટો ચમત્કાર હતો કે તેને અંતિમ ઘડીએ બચાવવા માટે લોકો ત્યાં હાજર હતા નહીતો આજે કઈક જુદા જ સમાચાર સામે આવ્યા હોત. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૂજા અને તેના બાળકને પોતાની સાથે લઈ ગઈ. સાથે જ પૂજાના સાસરિયાંના લોકોને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે પૂજાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રામનગર પોલીસ સ્ટેશનથી ઘટનાસ્થળે પહોંચેલા તપાસ અધિકારી સંદીપે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે એક મહિલાએ કેનાલમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. બાળક સાથે મહિલા ઝડપાઈ ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]