માતા અને પિતા બંનેની જવાબદારી તેમના બાળકોને જન્મથી માંડીને સમજણા ઉંમરના ન થાય ત્યાં સુધી તેમનું પાલનપોષણ કરવું તેમજ તેમના દરેક મોત શોખને પૂરા કરવા અને સારા સંસ્કારીનું વાવેતર કરવાની હોય છે, પરંતુ અત્યારે ત્રણ દીકરીઓને રડતી મૂકીને તેની માતાએ એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે પરિવાર દોડતો થઈ ગયો હતો..
આ હોશ ઉડાડતી ઘટના જ્યારે સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, આવી માતાને કોઈપણ બાળકને જન્મ આપવાનું કોઈ પણ અધિકાર નથી. જો કોઈ માતા તેના બાળકોને રખડતા મૂકી શકતી હોય તો બિચારા બાળકોનું ભવિષ્ય ખૂબ જ ધૂંધળું બની જતું હોય છે, જે માતાને તેના બાળકોને સાચવવાની કોઈ પણ ભાન પડતી નથી..
તેવી માતાને બાળકોને જન્મ આપવાનો પણ કોઈ પણ અધિકાર નથી, આ ઘટનાને લઇ ચારેકોર ચર્ચા વિચારણા ઉઠી જવા મામી છે, કારણ કે રમીલા નામની એક મહિલા તેના પરિવારની સાથે રહે છે. રમીલાના લગ્ન થયા તેના 11 વર્ષ વીતી ચુક્યા છે, 11 વર્ષના સુખી લગ્નજીવન દરમિયાન રમીલાએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હતો..
આ ત્રણ દીકરીઓ જન્મતા રમીલાનું મન ખૂબ જ ફરી ગયું હતું અને તે તેની દીકરીઓ સાથે ખૂબ જ અન્યાય કરવા લાગી હતી, કોઈ વખત તેને જમવાનું પણ આપતી હતી નહીં, આ ઘટનાને લઇ રમીલાનો પતિ નવીન ખૂબ જ હેરાન પરેશાન હતો. તે મોટાભાગે તેની ત્રણેય દીકરીઓને પાલનપોષણ કરવામાં મદદરૂપ બનતો હતો..
એક દિવસ સવારના સમયે જ્યારે નવીન જાગ્યો ત્યારે તેની ત્રણેય દીકરીઓ રડી રહી હતી, અને ઘરની અંદર ક્યાંયથી રમીલાનો અતો પતો મળી આવ્યો નહીં, તેણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ પૂછપરછ કરી પરંતુ કોઈ પણ વ્યક્તિને રમીલાનો કોઈ અતો પતો નથી તેવું જણાવી દીધું હતું..
રમીલાને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હોવાને કારણે નવીન ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, કારણકે તેની ત્રણેય દીકરીઓ વારંવાર રડી રહી હતી અને તેની માતા ક્યાં ગઈ છે અને ક્યારે આવશે તેવું પૂછતી હતી. જ્યારે નવીને આ વાતમાં તેના કાકાના દીકરાને મદદ માટે ફોન કર્યો હતો કે, રમીલા ઘરેથી ગાયબ થઈ ચૂકી છે અને ક્યાંયથી તેનો અતોપતો મળી આવ્યો નથી..
એ સમયે તેના કાકાના દીકરા ધર્મેન્દ્રએ જણાવ્યું કે, રમીલા તેની સાથે છે. હકીકતમાં રમીલા છેલ્લા ચાર વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે, આ પ્રેમ સંબંધનો મામલો પરિવારમાં અંદરો અંદર જોડાયેલો હોવાથી તેઓ આ વાતની જાણકારી કોઈ વ્યક્તિને આપી શક્યા નહીં અને તેમનો આ પ્રેમ સંબંધ ક્યારેય પણ સમાજ સ્વીકારશે નહીં તેવું વિચારીને હવે તેઓ..
હંમેશા માટે ઘર મૂકીને અન્ય જગ્યાએ લગ્નજીવન વિતાવવા માટે નીકળી પડ્યા છે, આજ પછી તેઓ ક્યારે પણ તેમના ઘરે પરત નહીં આવે તેવું જણાવી દીધું હતું. બસ એટલું શબ્દ સાંભળતા જ નવીનને ચક્કર આવી ગયા હતા કારણ કે, તેનો સગા કાકાનો દીકરો તેની સગી પત્નીને ભગાવીને લઈ ગયો હતો અને તેની ત્રણેય દીકરીઓ માતા વગરની થઈ ચૂકી હતી..
નવીન ખૂબ જ ગુસ્સે ભરાયો હતો તેણે તરત જ પોલીસ સ્ટેશનમાં જઈને જાણકારી આપી દીધી કે, તેના કાકાના દીકરાએ તેની સાથે ખૂબ જ ખોટું કામ કર્યું છે. તેના કારણે તેની ત્રણેય દીકરીઓની માથેથી માતાની છત્રછાયા નીકળી પડી છે. રમીલાને એક પણ વાર તેની ત્રણેય દીકરીઓનો વિચાર આવ્યો નહીં કે, તેના ગયા બાદ આ ત્રણેય દીકરીઓને કોણ સાચવણી કરશે..
અને તેમની ત્રણેય દીકરીઓને ભવિષ્ય કેવી રીતે નીકળશે આવી કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર તેના સગા દિયર સાથે તે ભાગી ચૂકી હતી, ઘરની અંદર જ ચાલતા આ પ્રેમ પ્રકરણના કિસ્સાને લઈ હાલ સજ્જન વ્યક્તિઓ પણ ઊંડા વિચારમાં મુકાઈ ચુક્યા છે કે, આવનારો સમય હવે ખૂબ જ મુશ્કેલ સાબિત થવા જઈ રહ્યો છે. કારણ કે હવે લોકો માન મર્યાદા ભૂલી રહ્યા છે, અને પરિવારના સભ્યો સાથે જ ખરાબ કામ કરવાનો ઇરાદો દાખવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]