Breaking News

3 દીકરી બાદ ઘણીબધી માનતાઓ માની અને વર્ષો બાદ દીકરો જનમ્યો, અકસ્માતમાં કાર ચાલકે બાપ-દીકરાને કચડી નાખ્યા, વાંચો..!

અકસ્માતમાં થતું મોત ખૂબ દર્દનાક હોય છે. એમાં પણ જો પરિવારના કોઈ મોભીનું મૃત્યુ થાય તો તેનું દુઃખ સહન કરવું પરિવારજનો માટે મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન હોય છે. કારણ કે જેના ઉપર પરિવારની તમામ જવાબદારી હોય આખરે એ વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં સમગ્ર પરિવાર રઝળી જતો હોય છે..

અત્યારે ગાંધીનગરના ઇન્દ્રોડા રોડ ઉપર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સગા બાપ-દીકરાનું મૃત્યુ થયું છે. ગાંધીનગરના સેક્ટર 8 માં કાચા છાપરા વિસ્તારમાં મકવાણા હરેશભાઈ કાંતિભાઈ રહેતા હતા. તેઓ સફાઈ કામદાર તરીકે છૂટક મજૂરી કામ કરતા હતા અને પરિવારના લોકોનું જીવન ગુજારતા હતા..

તેમની પત્ની નંદુબેન તેમજ તેમની ત્રણ દીકરી અને તેમનો ચૌદ વરસનો દીકરો પૃથ્વીરાજ તેમની સાથે રહેતો હતો. લગ્નજીવન દરમિયાન તેઓને શરૂઆતમાં ત્રણ દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ પુત્રની તલાશમાં તેઓએ અથાક પ્રયત્નો કર્યા હતા અને અંતે ઘણી બધી માતાઓ માન્યા બાદ તેમને લાંબા વર્ષો બાદ તેમના ઘરે દીકરા પૃથ્વીરાજ નો જન્મ થયો હતો..

હરેશભાઈના મોટી બે દીકરીઓના લગ્ન થઈ ચૂક્યાં છે. તેઓ સવારના સમયે તેમના દીકરા પૃથ્વીરાજને લઈને એકટીવા ગાડી ઉપર ઇન્દ્રોડા રોડ પર શાકભાજી લેવા માટે જતા હતા ત્યારે સરિતા ઉદ્યાન પાસે પહોંચ્યા ત્યારે એક કાર ચાલકે પુરઝડપે પાછળથી આવીને આ એક્ટિવાને ટક્કર મારી દીધી હતી અને ટક્કર મારતા ની સાથે જ બન્ને બાપ-દીકરો કાર નીચે કચડાઈ ગયા હતા..

પૃથ્વીરાજને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. એટલા માટે તેણે ઘટનાસ્થળે જીવ ગુમાવી દીધો હતો. જ્યારે પૃથ્વીરાજ ના પિતા હરેશભાઈ મકવાણા ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી પરંતુ તેઓની શ્વાસ ચાલતો હોવાથી તેઓને તાત્કાલિક ૧૦૮ને બોલાવી ને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં તેઓને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા..

પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. અને ત્યારબાદ તેઓએ વધુ સારવાર માટે હરેશભાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું હતું. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલે પહોંચ્યા ત્યાં ગણતરીની મિનિટોમાં જ હરેશભાઈ નું મૃત્યુ થયું હતું..

એક જ પરિવારના બાપ દીકરા નું મૃત્યુ થતાં હરેશભાઈ ની પત્ની નંદુબેન તેમજ તેમની ત્રણે દીકરીઓ નિરાધાર બની હતી. તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેઓ શાકભાજી લેવા જતા હતા. ત્યારે તેઓ સાથે ગંભીર અકસ્માત થવાનો છે. હરેશભાઈના પરિવારજનોએ અકસ્માત સર્જનાર કાર સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે..

તેમના પરિવારજનો માટે આ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ સમાચારે પરિવારના બધા સભ્યો ને મળ્યા ત્યારે તેઓ એકાએક સ્તબ્ધ થઈ ગયા હતા અને શોકની લાગણીમાં તણાઈ ગયા હતા. પરિવારના એકના એક દીકરાના વિરહમાં માતા અને બહેનો રડી રડીને અડધા થઇ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *