Breaking News

3 બાળકો અને પતિને સૂતેલો મૂકીને મહિલા ટ્રેન નીચે છલાંગ લગાવીને આપઘાત કરી લીધો, બાળકો રડતા રહ્યા અને માતાએ અડધી રાત્રે જ…

જીવનમાં બધાનો સમય સરખો રહેતો નથી, અમુક સમયે આપણને સુખની અનુભૂતિ થતી હોય છે. તો અમુક સમયે દુઃખની ઘડીઓ પણ માથે ત્રાટકી પડતી હોય છે. જ્યારે દુઃખ આવી પડે ત્યારે પરિવારજનોનો સાથ સહકાર હોવો ખૂબ જ જરૂરી છે, જો એવા સમયે પરિવારનો કોઈ સભ્ય આપણને સાથ સહકાર પૂરો ન પડે તો આપણું મન ખૂબ જ એકલાપણું અનુભવીને ન કરવાના કારનામ કરવા પર પણ મજબૂર બની જતું હોય છે..

અત્યારે ત્રણ બાળકો અને તેના પતિને સુતેલો મૂકીને એક મહિલા એ એવડું મોટું અવળું પગલું ભરી લીધું છે, જેનાથી સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ બનાવો રાજસ્થાનના બિલવાળાનો છે. અહીં ધાર પાસેના કુવા નજીક ગોપાલ મીણા નામનો યુવક તેના ત્રણ બાળકો અને તેની પત્ની કંચનની સાથે જીવન ગુજારતો હતો..

ગોપાલ મીણા નામના યુવકના લગ્ન થયા તેના ચાર વર્ષ વીતી ચૂક્યા છે, અને આ ચાર વર્ષના સુખી લગ્નજીવન દરમિયાન એની પત્ની એ ત્રણ બાળકોને પણ જન્મ આપી દીધો હતો. 22 વર્ષની કંચન તેના ત્રણેય બાળકોને રાજી ખુશીથી સાચવણી કરીને પાલનપોષણ કરી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક જ અડધી રાત્રે ગોપાલનો આઠ મહિનાનો દીકરો રડવા લાગ્યો હતો..

આ દીકરાને રડતો જોઈને ગોપાલની આંખ ઉઘડી ગઈ અને તે તેના ઘરની અંદર નજર નાખીને જોયું તો તેની પત્ની કંચન ઘરે હાજર હતી નહીં, અડધી રાત્રે તેની પત્ની ક્યાં ગઈ હશે..? અને શા માટે તેને અડધી રાત્રે ઘરની બહાર જવું પડ્યું..? તે વિચારવા લાગ્યો હતો, તેને માંડ માંડ તેના દીકરાને ચૂપ કરાવ્યો અને ત્યારબાદ તેની પત્નીને શોધવા માટે તે નીકળી પડ્યો હતો..

જેમાં સવારના સમયે પોલીસને માહિતી મળી કે, બરોદની પારસોલી રેલવે ટ્રેક ઉપર એક મહિલાની લાશ મળી છે. અને આ મહિલાના શરીર ઉપરથી ટ્રેન પસાર થઈ જવાને કારણે સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ છે. આ વાતની જાણકારી ગોપાલ સુધી પહોંચી ત્યારે તે માથે હાથ બેસીને ત્યાં નીચે ઢળી પડ્યો હતો..

કારણ કે, તેની પત્નીએ તેના ત્રણ બાળકો અને તેના પતિને રાત્રે સુતેલા મૂકીને રેલવે ટ્રેક ઉપર જઈ છલાંગ લગાવીને આંખ કરી લીધો હતો ગોપાલએ જણાવ્યું કે, તેમનું લગ્નજીવન ખૂબ જ વ્યવસ્થિત ચાલતું હતું. આ ઉપરાંત કંચનને કોઈ પણ પ્રકારની દુઃખ પણ ન હતું છતાં પણ તેણે શા માટે આ પગલું ભર્યું છે..

તે તેને હજુ પણ સમજાઈ રહ્યું નથી. આસપાસના પડોશીઓનું પણ કહેવું છે કે, કંચન વ્યવહાર ખૂબ જ સારો હતો. અને તેમના પારિવારિક જીવનમાં પણ કોઈ પણ દખલગીરી ન હતી છતાં પણ કંચન શા માટે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. તેની હાલ તપાસ થઈ રહી છે. જુદા જુદા કારણોસર લોકો આમ કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે..

જેને લઇ તેમના પરિવારજનોને પાછળ જતા ખૂબ જ મોટી હેરાનગતિ પણ સહન કરવી પડતી હોય છે, નાની નાની બાબતોથી કંટાળી જઈને આવું પગલું ભરવાને બદલે મુશ્કેલીના સમયમાં કોઈ સારા વ્યક્તિ પાસે સલાહ શિખામણ લેવી જોઈએ અને મુશ્કેલીનો હલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *