આજકાલ આપઘાતના બનાવો દિન પ્રતિ દિન ખૂબ જ વધવા લાગ્યા છે. આ બનાવોના ચોંકાવનારા આંકડા સાંભળીને સૌ કોઈ લોકો ચિંતામાં મુકાયા છે કે, આખરે એવું તો શું દુઃખ આવી પડ્યો હશે કે, જેના કારણે પરણિત વ્યક્તિઓ આપઘાતનું ખૂબ જ મોટું પગલું ભરી લે છે. અત્યારે વધુ એક આપઘાતનો બનાવ આગરા જિલ્લામાંથી સામે આવ્યો છે..
કાનન ફોરેસ્ટ કોલોનીમાં લક્ષ્મણ સિંઘલ તેની પત્ની સોની સિંઘલ તેમજ ત્રણ બાળકો સાથે રહે છે. સોની સિંઘલ મુળ મુંબઈની છે. તેના લગ્ન 13 વર્ષ પહેલાં આ કોલોની ની અંદર રહેતા લક્ષ્મણ સાથે થયા હતા. આ લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ બાળકો પણ છે, જેમાં 12 વર્ષનો આસી, નવ વર્ષની ગોલુ અને ચાર વર્ષના કેસુનો સમાવેશ થાય છે..
લક્ષ્મણ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. એક દિવસ તેઓના ઘરે ખૂબ જ મોટો અણબનાવ બન્યો છે. રાત્રે 12:30 વાગ્યે આસપાસ તેની 35 વર્ષની પત્ની સોની સિંઘલ છત ઉપર ચાલી ગઈ હતી. પરિવારના સભ્યો તેને રોકે એ પહેલા તો તે છત ઉપર પહોંચી ગઈ અને ત્યાંથી તે મોતની છલાંગ લગાવી દીધી હતી…
જ્યારે તે ઉપરથી નીચે કૂદી ગઈ ત્યારે તેની અંતિમ ચીખો ગુંજી ઉઠી હતી. જે સાંભળીને હજુ પણ પરિવારજનોના કાન ગુંજી રહ્યા છે. તે જ્યારે નીચે પડી ગઈ ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. સોની સિંઘલ બે માળના મકાનમાં રહે છે..
તે પોતાના ધાબા પર ગઈ અને ત્યાંથી તેણે પડતું મૂક્યું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘરની બહાર નીકળ્યા ત્યારે તેઓને સોની સિંઘલનો મૃતદેહ પડેલો દેખાયો હતો. આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતક વ્યક્તિના પતિ તેમજ સાસુ સસરા અને માતા-પિતાને પણ પૂછપરછ કરવામાં આવી હતી..
પરંતુ આ બાબતને લઈને કોઈ પણ વ્યક્તિએ કશું પણ નિવેદન આપ્યું નથી, સોની સિંઘલે શા માટે આપઘાત કર્યો છે તે જાણવા માટે પણ સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. આ ઉપરાંત ફોરેસ્ટિંગ એક્સપર્ટ ને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. હાલ સોની સિંઘલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
હજુ સુધી કોઈ પણ પ્રકારના આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. જો આગામી ફરિયાદ મળશે તો પોલીસ તેની કાર્યવાહી કરશે. જયારે સોની સિંઘલના 3 બાળકોની માથેથી માતાની છત્રછાયા ચાલી ગઈ છે. આ બાળકોએન હવે માતા વગર જ આખી જિંદગી વિતાવવી પડશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]