સંબંધોની માન મર્યાદા ભૂલાવી દઈને અમુક લોકો એવી રાહ ઉપર ચાલવા લાગ્યા છે કે, જે સમાજની નજરે ખૂબ જ ખોટું છે. હાલ ભલભલા લોકોના મગજ કામ કરતા બંધ થઈ જાય તે પ્રકારની ઘટના બિહારના સમસતીપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં 65 વર્ષના રોશનલાલ તેમના પરિવાર સાથે રહે છે..
તેમના દીકરા પપ્પુના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પપ્પુ અન્ય કોઈ યુવતીને પ્રેમ કરતો હતો. પરંતુ પરિવારના દબાણે તેણે લગ્ન કરવાની હા પાડી દીધી હતી, જેના થકી રોશનલાલે તેમના દીકરા પપ્પુ માટે સારી કન્યા પણ શોધી નાખી હતી. અને ટૂંક સમયની અંદર જ લગ્ન પ્રસંગ શરૂ થવા જવાનો હતો ત્યારે એવી ઘટના બની છે કે, તે જાણીને સૌ કોઈ લોકોમાં હડકપ મચી ગયો છે..
રોશન લાલ 21 વર્ષની સપના નામની યુવતી સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. જ્યારે તેઓ જાન લઈને સપનાના ઘર સુધી ગયા ત્યારે અચાનક જ પપ્પુ શેરવાની પહેરીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. અને તે તેના મિત્રોની સાથે અચાનક જ ગાયબ થઈ જતા, રોશનના તેમજ પરિવારના અન્ય સભ્યો ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..
કારણ કે હવે પપ્પુના ફેરા ફરવાનો સમય આવી ગયો હતો અને એ સમયે જ તે પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયો હોવાની માહિતી તેમને સુધી પહોંચી ગઈ હતી. ત્યારે રોશનલાલ એવું પગલું ભરી લીધું છે, જે સૌ કોઈની આંખે ચડી ગયું છે. રોશનલાલે પોતે જ શેરવાની પહેરીને તેમના દીકરા માટે શોધેલી 21 વર્ષની કન્યા સપના સાથે ફેરા ફરી લીધા હતા..
અને લગ્ન કરી લીધા હતા. ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે, શા માટે તમે આ કારનામા કર્યું છે. ત્યારે તેઓ સૌ કોઈ લોકોને જણાવતા કે મેં મજબૂરીમાં આ પગલું ઉઠાવી લીધું છે. પરિવારની ઈજ્જત ખરાબ ન થાય એટલા માટે મેં આ પગલું ભર્યું છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે કેટલાક લોકો રોશનલાલને કહી રહ્યા છે કે, તમારામાં અક્કલ નામની કોઈ ચીજ વસ્તુ છે કે નહીં..
કારણકે જે યુવતીને તેમના દીકરા સાથે પરણાવાની હતી. તે તેની સાથે રોશનલાલ ખુદ પરણી ગયા છે. આ ઉપરાંત 21 વર્ષની દીકરીની આ જિંદગી ખરાબ થઈ જવા પામી છે, કેટલાક લોકો સપનાના પરિવારજનોનો પણ વાંક કાઢી રહ્યા છે. અને કહેવા લાગ્યા છે કે, તેઓએ તો તેમની દીકરી વિશે થોડો ઘણો વિચાર કરવો જોઈએ અને કોની સાથે લગ્ન કરાવી રહ્યા છે..
તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, મુરતિયા સાથે લગ્ન કરવાને બદલે મુરતિયાના પિતા સાથે લગ્ન કરાવી દેવા એ સારી બાબત નથી. આ ઘટનાને લઈને સમાજમાં ખૂબ જ ઊંધો સંદેશો જઈ રહ્યો છે. આ ઉપરાંત તેમની દીકરીની જિંદગી પણ બરબાદ થઈ જવા પામી છે. આ હચમચાવી દેતો કિસ્સો સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે..
આ અગાઉ આવું ક્યારે પણ બન્યું નથી કે, દીકરાના લગ્નના ફેરા ફરવાના હોય અને અંતિમ સમયે દીકરાને બદલે દીકરાના પિતા એ યુવતી સાથે લગ્નના ફેરા ફરી લે અને પરણીને તેને ઘરે લઈ આવે એ ખૂબ જ ચકચાર મચાવતો કિસ્સો સાબિત થયો છે. આવી ઘટનાઓ લોકોને શરમમાં મૂકી દે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]