Breaking News

21 વર્ષના વિદ્યાર્થીએ મારફાટ સીનીયરોના ત્રાસથી કંટાળીને 3 પાનાની અંતિમ નોટ લખી પોતાની સાથે કર્યું એવું કે, પોલીસ અંતિમ નોટ વાંચતા જ…!!!

આજના સમયમાં બાળકો સાથે બનતા અનેક ચોકાનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળકોને ભણવા માટે શાળા અને કોલેજોમાં પ્રવેશ કરાવે છે પરંતુ બાળકોને એવો માનસિક અને શારીરિક ત્રાસ લાગી જાય છે કે, જેના કારણે બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં લખનૌમાંથી સામે આવી છે.

આ ઘટનામાં લખનૌમાં આવેલી જવાહર નેહરુ યુવા કૌશલ કેન્દ્રમાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીનું નામ જયદીપ યાદવ હતું. તેમની ઉંમર 21 વર્ષની હતી. જયદીપના પિતાનું નામ સંત કુમાર યાદવ હતું. જયદીપ ઘણા સમયથી જવાહર નેહરુ યુવા કૌશલ્ય કેન્દ્રમાં રહીને પોતાનો અભ્યાસ કરતો હતો.

માતા-પિતાથી દૂર રહીને તે પોતાના મિત્રો અને શિક્ષકો સાથે રહીને સારો એવો અભ્યાસ મેળવતો પરંતુ જયદીપને શાળામાંથી બીજા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હેરાન કરવામાં આવતો હતો. લખનૌમાં આવેલી શિવપુરી કોલોનીમાં આ કૌશલ્ય કેન્દ્રમાં જયદીપ ઘણા સમયથી રહી દરેક લોકો સાથે ખૂબ જ સારો એવો વ્યવહાર કરતો હતો.

પરંતુ જયદીપને અવારનવાર તેમના સિનિયરો દ્વારા હેરાન કરવામાં આવતો અને જયદીપના સિનિયર વિદ્યાર્થીઓ જયદીપને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપીને હેરાન કરતા હતા. સિનિયર વિદ્યાર્થીઓ મળીને જયદીપને અવારનવાર ગમે તેવો ખરાબ ડાન્સ કરવાનું કહેતા અને જયદીપને મૂર્ખ કહેવામાં આવતો હતો.

અને તેમને પાગલ બનાવવાનો કોશિશ કરી રહ્યા હતા. જયદીપ સાથે ગમે તેવું નાટક અને ખરાબ શબ્દો કહેવામાં આવતા હતા. એક વખત જયદીપને સિનિયરો મારવા લાગ્યા અને જયદીપ સાથે ખૂબ જ ખરાબ મજાક મસ્તી કરી હતી. જેના કારણે જયદીપએ સિનિયરો સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. સિનિયરએ મારતા જયદીપએ પણ સિનિયરોને માર્યું હતું.

જેના કારણે શિક્ષકો આવ્યા અને જયદીપએ આ ઝઘડો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. જેના કારણે શિક્ષકો પણ તેમના સિનિયરો સાથે મળી ગયા શિક્ષકોએ જયદીપને એક રૂમમાં બંધ કરી દીધો અને જયદીપને ધમકાવવા લાગ્યા હતા. જયદીપને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી હતી.

શિક્ષકો અને સિનિયરો મળી ગયા હોવાને કારણે જયદીપ શિક્ષકને અવારનવાર હેરાન કરવાની વાત જણાવે ત્યારે શિક્ષકો પણ જયદીપને માથામાં, કાન ઉપર અને મોઢા પર જોરથી મારતા હતા. જેના કારણે જયદીપને આ માર ખૂબ જ વાગતો હોવાને કારણે જયદીપને ખોટું લાગી ગયું હતું. જયદીપએ પોતાના જ રૂમમાં એક દિવસ જઈને ખૂબ જ રડ્યો હતો.

પરંતુ તે આ વાત કોઈને પણ જણાવી શકે તેમ ન હોવાને કારણે જયદીપ કંટાળી ગયો હતો અને તે પોતાના મિત્રને પણ આ વાત જણાવતો પરંતુ તેના મિત્રો પણ કશું કરી શકતા ન હતા. જયદીપને તે પાગલ થઈ ગયો છે જેના કારણે પાગલખાનામાં મૂકી આવશે તેમ ધમકીઓ આપતા હતા. જયદીપ ખૂબ જ માનસિક રીતે કંટાળી ગયો હતો.

જેના કારણે એક દિવસ જયદીપએ પોતાના જ રૂમમાં લટકીને આપઘાત કરી દીધો હતો. જયદીપના મિત્રો તેમના રૂમમાં આવ્યા ત્યારે જોયું તો જયદીપ લટકી રહ્યો હતો અને જયદીપએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જેના કારણે કેન્દ્રના સંચાલકોએ પોલીસના ઘટનાની જાણ કરી હતી અને જયદીપના પરિવારના લોકોને પણ જયદીપએ આપઘાત કર્યા હોવાની જાણ કરી હતી.

જયદીપના પરિવારના લોકો તરત જ કેન્દ્રમાં પહોંચ્યા હતા અને પોલીસને રૂમની તપાસ કરતા સમયે 3 પાનાની અંતિમ નોટ મળી આવી હતી. આ અંતિમ નોટ વાંચીને પોલીસ પણ ખૂબ જ ચોકી ગઈ હતી. અને પોલીસ પણ નિરાશ થઈ ગઈ હતી. એક દીકરાએ એટલો બધો અત્યાચાર સહન કર્યો હોવાને કારણે જયદીપના પિતા સંતકુમાર પણ સિનિયર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામે ફરિયાદ કરી હતી.

અવારનવાર જે શિક્ષક જયદીપને હેરાન કરી રહ્યા હતા. તે શિક્ષકનું નામ રાજેન્દ્રસિંહ ઠાકોર છે અને તે તેના સર છે તેમ પણ જણાવ્યું હતું. જેના કારણે પોલીસ રાજેન્દ્રસિંહની ધરપકડ કરીને તેમની કડક પૂછપરછ કરી રહ્યા હતા. સિનિયર વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવો વ્યવહાર કરતા હોવાને કારણે પોલીસ વિદ્યાર્થીઓની પણ કડક પૂછપરછ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *