આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ અને બાળકો બહારનું ખાવા પીવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દરેક લોકોને બહારનું હરવા ફરવા અને ખાવા પીવા જોઈએ છે. જેના કારણે અનેક રેસ્ટોરન્ટ અથવા તો ઓનલાઇન મંગાવીને લોકો બહારનું ખાઈ રહ્યા છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે જેમાં બહારનું ખાતા જ એક દીકરીએ પોતાના જેવીને ગંભીર હાલતમાં મૂક્યો હતો.
આ ઘટના પેરુમબલાની રહેવાસી દીકરી સાથે બની હતી. દીકરીનું નામ અંજુ શ્રીપાર્વતી હતું. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. અંજુની ઉંમર 20 વર્ષની હતી. તે કેરળના કાસરગોડમાં રહેતી હતી. માતા-પિતા પણ હરવા ફરવાના ખૂબ જ શોખીન હતા. અંજુ એક દિવસ બહાર ખાવા જતી હતી અને તે અનેક રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન પણ મંગાવતી હતી.
એક દિવસ દીકરીએ કાસરગઢમાં આવેલી રોમાન્સ નામની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું અને આ ફૂડમાં તેમણે પુલાવ મંગાવ્યો હતો. થોડીવાર પછી પુલાવ આપવા માટે એક ડીલેવરી બોય ઘરે આવ્યો હતો અને તે પાર્સલ આપી ગયો હતો. ત્યારબાદ દીકરીએ આ પુલાવને ખાધો હતો. ખાતા તેને ખૂબ જ મજા આવી હતી.
પરંતુ થોડો સમય જતા અંજુને પોતાની તબિયત બગડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે તેમણે પોતાના માતા-પિતાને તેમની તબિયત બરાબર નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે માતા-પિતા તેને તરત જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે ચેકિંગ કરતા સમયે જણાવ્યું કે અંજુને ફૂડ પોઈઝિંગ થઈ ગયું છે.
જેના કારણે તેની હાલત ખૂબ જ નાજુક બની ગઈ હતી. માતા-પિતા પણ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. તેમણે વિચાર્યું કે અંજુએ એવું શું ખાધું હતું કે જેના કારણે તેની સાથે આ ઘટના બની હતી. ત્યારે યાદ આવ્યું કે તેમણે ઓનલાઈન પુલાવ મંગાવ્યો હતો. પરંતુ આ પુલાવમાં ખાતા જ તેમની તબિયત બગડી હતી.
ત્યારબાદ અંજુની તબિયત ખૂબ જ નાજુક હોવાને કારણે તેણે તેને કર્ણાટકના મેંગલોરોની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન અંજુનું મૃત્યુ થઈ ગયું હતું. અંજુના મૃત્યુની જાણ પરિવારના લોકોને થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. તેમના માતા-પિતા ખૂબ જ રડવા લાગ્યા હતા.
અને અંજુને યાદ કરીને તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ તરત જ માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઓનલાઇન પુલાવ ખાતા તેમની દીકરીની તબિયત બગડી હતી અને રેસ્ટોરન્ટ સામે તેમણે આરોપ લગાવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
અને ખાદ્ય સુરક્ષા કમિશનરએ આ રેસ્ટોરન્ટમાં જઈ દરેક પદાર્થોના સેમ્પલ લીધા હતા. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે છતાં પણ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. હલકી ગુણવત્તાનું ખાઈને તેઓ પોતાની સાથે વધારે ગંભીર બીમારીઓને આમંત્રિત કરી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]