હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં રસ્તા પર રખડતા પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. જેના કારણે ઘણા લોકોને મુશ્કેલી ભોગવી પડે છે. જૂનાગઢમાં એક 2 વર્ષ નું નાનું બાળક રસ્તા પર રખડતા શ્વાન નો ભોગ બન્યો છે. જુનાગઢ જિલ્લાના માણાવદર વિસ્તારના ગણા ગામમાં એક પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી અર્થ આવ્યો હતો.
તેઓ ગણા ગામના કરશનભાઈની વાડીએ રહેતા હતા. તેમજ નજીકમાં રહેલી ભીમાભાઇની વાડીએ કામ કરતા હતા. તેઓ છોટાઉદેપુરના કવાટ તાલુકાના નાનાવટા ગામના મૂળ રહેવાસી હતા. નાનાવટા ગામમાં રહેતા જગદીશભાઈ રાઠવા ને 2 વર્ષનો એક પુત્ર રવિન્દ્ર હતો. ગઈકાલે જગદીશભાઈ અને તેના પત્ની ભીમાભાઇની વાડીમાં કામ કરતા હતા.
ત્યારે તેમને પોતાના પુત્ર રવીન્દ્રને વાડીમાં રમવા માટે છૂટો મૂક્યો હતો. અચાનક જ ત્યાં રખડતા ત્રણ-ચાર કુતરાઓ રવિન્દ્ર પાસે આવી પહોંચ્યા હતા. પરંતુ જગદીશભાઈ અને તેના પત્ની પોતાના કાર્યમાં મશગુલ હોવાને કારણે તેમને આ બાબતની જાણ રહી ન હતી. ત્રણેય કુતરાઓએ રવિન્દ્ર પર હુમલો કર્યો હતો.
કુતરા દ્વારા હુમલા કર્યા બાદ બાળકે ચીસા ચીસ કરવાની શરૂ કરી હતી. પરંતુ કૂતરાઓના અવાજની વચ્ચે તેનો અવાજ દબાઈ ગયો હતો. જ્યારે જગદીશભાઈને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ તરત જ રવિન્દ્રને કુતરાની જાળ માંથી છોડાવ્યો હતો. કુતરા દ્વારા પહોંચાડવામાં આવેલી ઈચ્છા ખૂબ જ ગંભીર હોવાને કારણે જગદીશભાઈ તરત જ 108 ને જાણ કરી હતી.
તેથી એમ્બ્યુલન્સ દ્વારા રવીન્દ્રને તરત જ માણાવદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. માણાવદર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે રવીન્દ્રની સારવાર શરૂ કરી હતી. થોડી સારવાર બાદ ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. તેમજ તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી પોસ્ટમાર્ટમ બાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]