Breaking News

2 મહિનાની દીકરીને એકલી સુવડાવી માતા શાકભાજી લેવા ગઈ, પરત આવીને દીકરીની હાલત જોતા જ માતાના ટાંટીયા ધ્રુજી ગયા.. જાણો..!

રાજકોટ શહેરમાંથી એક અજીબો ગરીબ બનાવ સામે આવી ગયો છે. આ બનાવ બન્યા બાદ પરિવારજનોની સાથે સાથે તપાસ કરનાર પોલીસની ટીમ પણ ચકિત રહી ગઈ છે. અને વિચારવા પર મજબૂર બની કે, આખરે આ બનાવ કેવી રીતે બન્યો હશે. રાજકોટ શહેરમાં જીવરાજપાર્ક પાસે એક રેસિડેન્સી આવેલું છે..

જેમાં ચોકીદાર તરીકે એક નેપાળી પતિ પત્ની કામકાજ કરી રહ્યા છે. તેઓ અંબી રેસીડેન્સીમાં જ કેમ્પસમાં રહેલી રૂમમાં રહેતા અને ચોકીદારીનું કામકાજ કરી તેઓ પોત પોતાનું જીવન ગુજારતા હતા. આ નેપાળી પતિ-પત્નીનું નામ અનુજ પરિહાર અને કલ્પના હતું. તેઓને લગ્ન જીવન દરમિયાન બે માસની એક દીકરી પણ હતી..

તેઓ છેલ્લા સાત મહિનાથી આ બિલ્ડિંગમાં રહીને ચોકીદારીનું કામકાજ કરી રહ્યો હતો. આ ઉપરાંત અનુજ છે ખાનગી હોટલમાં પણ કામ કરવા માટે જાય છે. એક દિવસ અનુજ સાંજના સમયે હોટલના કામકાજ માટે ગયો હતો. જ્યારે 6:30 વાગ્યા આસપાસ કલ્પના પોતાની બે મહિનાની દીકરીને રૂમમાં એકલી સુવડાવી તે નજીકની શાક માર્કેટમાં ચીજ વસ્તુઓ લેવા માટે ગઈ હતી..

તેણે વિચાર્યું કે હું માત્ર 10 થી 15 મિનિટની અંદર જ આ માર્કેટમાંથી પરત આવી જાય ત્યાં સુધી તે તેની દીકરીને રૂમમાં એકલી સુવડાવીને ગઈ હતી. પરંતુ તે જ્યારે પોતાના ઘરે પરત આવી અને ત્યારે બેડ ઉપર નજર મારતા તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેની દીકરી બેભાન હાલતમાં જોવા મળી હતી..

તેણે તાત્કાલિક પોતાના પતિ અને સગા સંબંધીઓને જાણ કરીને પોતાના ઘરે બોલાવ્યા અને ત્યારબાદ આ દીકરીને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં તેને ડોક્ટરે ચેકિંગ કર્યા બાદ મૃત જાહેર કરી દીધી હતી..

આ ઘટનાને લઈને એની માતા ખૂબ જ વિચારમાં પડી ગઈ કે આખરે મારી દીકરીને એવું તો શું થયું કે તે ઘડીક વારમાં જ મૃત્યુ પામી છે. આ દીકરીની માતા શાકમાર્કેટ માંથી પરત ફરી એવામાં તો તેની દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. આ બાળકીની માતાને જણાવ્યું કે, તે જ્યારે શાક માર્કેટથી પરત ફરી ત્યારે તેની દીકરી બેભાન હાલતમાં હતી..

આ ઉપરાંત તેમની બાળકીના શરીર ઉપર ઇજા જેવા કેટલાક નિશાનો પણ મળી આવ્યા હતા. પરંતુ ઘરમાં કોઈપણ ચીજ વસ્તુ વેર વિખેર થઈ નથી. તેમજ ઘરનો દરવાજો પણ તૂટ્યો નથી. તો તેની દીકરીનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણવા માટે સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

આ બનાવને લઈને પોલીસે બે મહિના દીકરીનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યો છે. ત્યારબાદ મૃત્યુના કારણ જાણવા માટે જરૂરી તાજ વીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેટલાક વ્યક્તિઓનો નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે…

સીસીટીવી કેમેરામાં દેખાયું કે, બાજુની બિલ્ડિંગમાં રહેતો એક નેપાળી પરિવારનો યુવક અને એક યુવતી આ બિલ્ડીંગનીઅંદર આવ જા કરતા નજરે પડ્યા છે. પોલીસે આ દંપતીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *