કોઈને કોઈ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ ખૂબ જ વધી રહ્યા છે, જેને કારણે તેમના પરિવારજનોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ક્યારેક આવા ઝઘડાઓમાં પતિ-પત્ની ઉશ્કેરાઈ જઈને એકબીજાના જીવ પણ લઈ રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અલવાર જિલ્લામાં બની હતી.
એક મહિલા સાથે કરુણ ઘટના બની જતા તેમના પરિવારજનો શોકમાં આવી ગયા હતા. આ પરિવાર કમલા ગામમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના સાસુ-સસરા રહે છે જેમાં પત્નીનું નામ પૂજા હતું. તેની ઉંમર 30 વર્ષની હતી અને તેના પતિનું નામ જીતરામ છે. જીતરામની ઉંમર 26 વર્ષની હતી. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.
પૂજા મનોતા કલાની રહેવાસી હતી. તેના જીતરામ સાથે ત્રીજા લગ્ન હતા. એ પહેલા બે લગ્ન કર્યા હતા, જેમાં પહેલા લગ્ન ગુંદરપુરમાં થયા હતા અને તેને પૂજાને લગ્ન બાદ બે બાળકો હતા પરંતુ તેમણે પહેલા પતિ સાથે કોઈ અણબનાવને કારણે છોડી દીધો હતો અને તેના લગ્ન બીજી વાર યુપીના એક યુવક સાથે થયા હતા. તેના લગ્ન બાદ તેને એક બાળક હતું.
પરંતુ આ પત્તિને પણ પૂજાએ છોડી દીધો હતો અને તેણે જીતરામ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. જીતરામ સાથે લગ્ન થયા તેના પહેલા પૂજા જીતરામને બખ્તલ ચોકી પાસે આવેલા ધાબામાં મળી, જેના કારણે બંનેની આંખો મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો, પૂજા ઢાબામાંથી ખાવાનું મંગાવતી હતી અને તે ચોકી પાસે જ રહેતી હતી.
પૂજા ઢાબાનું ખાવાનું ખાવા માટે આવતી હતી. તે સમયે તેનો પરિચય જીતરામ સાથે થયો હતો અને તેણે જીતરામનું વીઝીટીંગ કાર્ડ પણ લીધું હતું. જેના કારણે ધીમે ધીમે તે પોતાના ઘરે ખાવાનું ઓર્ડર કરવા લાગી હતી અને જીતરામ સાથે તે ખૂબ જ સારા એવા પરિચયમાં આવી હતી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
અને બંને લગ્ન કરી લીધા હતા ત્યારબાદ થોડો સમય જતા પૂજા જીતરામ પાસે ખૂબ જ પૈસા માંગવા લાગી હતી અને તે ખૂબ જ મોજ શોખથી પોતાની જિંદગી જીવવા માગતી હતી જેના કારણે પત્નીને વારંવાર પૈસા માગવાથી જીતરામ ખૂબ જ પરેશાન રહેતો હતો અને તે પોતાની પત્નીથી કંટાળી ગયો હતો. તે બંને વચ્ચે અવારનવાર આ વાતને લઈને ઝઘડાઓ પણ થતા હતા.
જેના કારણે એક દિવસ જીતરામ પોતાના ઘરે કોઈ ન રહેતા પૂજાને રૂમમાં એકલી જોઈને ગુસ્સામાં આવીને તેણે પૂજાનું ઘણું દબાવીને તેને મારી નાખી હતી. ત્યારબાદ રાતનો સમય રહેતા તે પૂજાના મૃતદેહને ઘરથી 70 કિંમી દૂર લઈ ગયો હતો અને ત્યાં લઈ જઈને પૂજાના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. જેના કારણે પરિવારજનો ને આ ઘટનાની જાણ થઈ ન હતી.
ગામના લોકો કુવા પાસેથી પસાર થયા હતા અને ત્યારે તેમને કુવામાં કોઈ અજાણી મહિલાનો મૃતદેહ દેખાતા ગામના લોકોએ તરત જ અલવર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એટલે તમામ તપાસને હાથ ધરી હતી તે સમયે પોલીસની તપાસ કરતા સમયે જણાયું કે આ મૃતદેહ પૂજાનો હતો.
જેના કારણે જીતરામને શોધવા માટે પોલીસ તેમના ઘરે પહોંચી હતી તે સમયે જીતરામેં તમામ સાચું જણાવી દીધું હતું કે તે પોતાની પત્નીને 70 km દૂર કેમલા ગામમાં ટેમ્પામાં મૂકીને લઈ ગયો હતો અને ગામ પાસેના ખેતરમાં કુવામાં ફેંકી દીધી હતી. તે પોતાની પત્નીથી ખૂબ જ કંટાળી ગયો હોવાને કારણે તેણે આ ઘટના કરી નાખી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]