કેટલાક વ્યક્તિ સાથે ખૂબ જ રહસ્યમય કિસ્સાઓ પણ બને છે. જ્યારે આવા રહસ્યમય બનાવો સામે આવે ત્યારે બનાવવાનો ભોગ બનનાર વ્યક્તિને માતા પિતા તેમજ પરિવારજનોની સાથે સાથે તપાસ કરનાર વ્યક્તિઓ પણ ડોળા ફાટી જતા હોય છે. અને વિચારવા પર મજબૂર બને છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામમાં વધુ એક ચોંકાવનારો મામલો બની ચૂક્યો છે..
જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. કુડલા ગામમાં કુલદીપ ઉર્ફે બાલો જેસીંગભાઇ જતાપર પોતાના પરિવારજનો સાથે રહેતો હતો. એક દિવસ અચાનક જ કુલદીપ ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનો એ કુલદીપ ની શોધખોળ શરૂ કરી હતી..
તેઓ વિચાર્યું કે, તે કદાચ તેમના મિત્રો સાથે કંઈક બહારગામ ગયો હશે. તેના તમામ મિત્રોને પણ જાણ કરવામાં આવી. પરંતુ મિત્રો એ પણ કુલદીપની કોઈ ભાળ નથી. એવું જણાવી દેતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. અને તેઓ ચિંતામાં ગરકાવ પણ થઈ ગયા હતા. તેઓ વારંવાર વિચારવા લાગ્યા અને કુલદીપની શોધખોળ પણ કરવા લાગ્યા હતા..
પરંતુ કોઈ પણ અતોપતો ન મળતા પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો. બીજા દિવસે કુડલા ગામના સ્મશાન પાછળ આવેલા એક તળાવને કાંઠે કુવો આવેલો છે. આ કુવાની અંદર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો દેખાયો છે. એવી વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી ગામના એક વ્યક્તિને આ બાબતની જાણ થતા તેણે ગામના તમામ લોકોને જણાવી ગામના સૌ કોઈ લોકો આ કુવાના કાંઠે એકઠા થઈ ગયા હતા..
કુલદીપ તેના ઘરે પરત આવ્યો નહીં તેના બે દિવસ વીતી ચૂક્યા હતા. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. અને વિચારતા કે આખરે કુલદીપને એવું તો શું થયું હશે કે, તે ઘર મૂકીને ચાલ્યો ગયો છે. કુવાને કાંઠે રહેલા લોકોની મદદહી આ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો અને જોયું તો આ બે દિવસ પહેલા ગુમ થયેલા કુલદીપની લાશ હતી..
પરિવારજનોએ આ દ્રશ્ય જોતા તેમના પર આફતોનું આભ ફાટી નીકળ્યું હતું. કારણ કે કુલદીપ અચાનક જ ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ હવે સીધી તેની લાશ મળતા તેની સાથે શું થયું છે. તે જાણવા માટે અન્ય લોકો પણ ખૂબ જ ચર્ચા વિચારણામાં કરવા લાગ્યા હતા હકીકતમાં કુલદીપએ આત્મહત્યા કરી છે..
કે પછી તેને ધક્કો મારીને કોઈ હત્યા કરી નાખી છે. તે જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. પરંતુ આ રહસ્યમય મોતનું કારણ હજુ પણ અકબંધ છે. તેના વિશે તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને સમગ્ર ગામમાં ગયો છે. ગામના સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે આ કુલદીપને વિદાય આપી હતી..
સૌ કોઈ લોકો હિબકે ચડ્યા હતા. જ્યારે પરિવારજનો માટે તો આ સ્થિતિને સહન કરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હકીકતમાં દિન પ્રતિ દિન કઈકને કૈક એવા બનાવો હવે ઘટવા લાગ્યા છે કે જેની જાણ અન્ય વ્યક્તિને થાય ત્યારે તેઓ ખુબ જ હચમચી જતા હોઈ છે. ભગવાન કુલદીપના પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]