આજના સમયમાં યુવક-યુવતીઓ પોતાના પરિવારને ભૂલીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની તેમના સંબંધોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. જેના કારણે તેમને બાળકો નિરાધાર થઈ રહ્યા છે. આવી જ ઘટના હાલમાં હરિયાણાના અંબાલામાં બની છે.
ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો રહે છે. પતિ-પત્નીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા, ત્યારબાદ લગ્ન બાદ તે બંનેને બે બાળકો છે. પતિનું નામ મહેશ છે. તેમને એક દીકરી અને દીકરો છે. દીકરી મોટી છે અને દીકરો નાનો છે. પત્નીની ઉંમર 27 વર્ષની છે. પત્ની તેમના બંને બાળકોની ખૂબ જ સારી રીતે સાચવી રહી હતી.
અને તે પોતાના પતિ સાથે પણ રહેતી હતી. પરંતુ છ મહિના પહેલા મહિલા સાથે કોઈ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાનો પગ ભાંગી ગયો હતો. જેના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરી તે સમયે વિશાલ નામનો કોઈ અજાણ્યો યુવક મહિલાને મળવા આવ્યો હતો.
તે સમયે મહિલાને પતિ મહેશે આ યુવક કોણ છે, તેમ પૂછતા મહિલાએ તેમનો દૂરના સંબંધીનો ભાઈ હોવાનો જણાવ્યું હતું, જેના કારણે મહિલાએ તેના પતિને વિશાલની ઓળખ બરાબર કરાવી ન હતી. ત્યારબાદ વિશાલ અવારનવાર ઘરે આવવા લાગ્યો હતો અને મહેશભાઈની પત્ની વિશાલ સાથે ફોન પર અવારનવાર વાત કરતી હતી.
જેના કારણે મહેશભાઈને તેમના સગા સંબંધીઓએ પોતાની પત્નીનું બીજા સાથે ચક્કર હોવાનું જણાવ્યું જેના કારણે મહેશભાઈને વિશાલ સાથે ચક્કર હોવાની શંકા હતી જેના કારણે પત્નીને વિશાલને નહીં મળવા કહ્યું હતું અને વાત કરવાની ના પાડી હતી. તે સમયે પત્ની હવે તે ફરી વાત નહીં કરે તેમ જણાવ્યું હતું.
પરંતુ થોડા દિવસો થતા પત્ની ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે મહેશભાઈએ નગર પોલીસ સ્ટેશનમાં તેમની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ઘરમાંથી 17,000 રૂપિયા રોકડા પણ ગાયબ હતા. તેની સાથે સાથે સોનાના દાગીના અને મહેશની માતાના ગળાનો સેટ પણ ગાયબ હતું.
જેના કારણે મહેશભાઈને શંકા હતી કે તે વિશાલ નામના યુવક સાથે ભાગી ગઈ છે, પત્નીના ગુમ થયાને કારણે તેમનો નાનો દીકરો પણ આખો દિવસ ‘મમ્મી… મમ્મી કરીને રડી રહ્યો હતો’ પરંતુ પત્નીએ એક પણ વાર તેમના બાળકો અને પતિની સામુ ન જોઈને તેમને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]