આધુનિક ટેકનોલોજીના સમયમાં હજુ પણ ઘણા બધા પરિવારના લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. લોકો અંધશ્રદ્ધામાં માનીને તેમની મુશ્કેલીઓ દૂર કરવાને બદલે પોતાના પર જ મુશ્કેલીઓ વધારી રહ્યા છે. આવી એક ઘટના હાલમાં એવી સામે આવી હતી. જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના બનાસકાંઠામાં રહેતા પરિવાર સાથે બની હતી.
પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓ સાથે રહેતા હતા. પરિવારમાં ઘણી બધી મુશ્કેલીઓ હોવાને કારણે બંને ભાઈઓને એક દિવસ અજાણ્યા 5 તાંત્રિક મળયા હતા. આ તાંત્રિકે તેમને ભાઈના પરિવારમાં આટલી વિધિ કરવાથી શાંતિ આવી જશે તેમ ખાતરી અપાવી હતી. જેના કારણે બંને ભાઈઓ ખૂબ જ મુશ્કેલીમાં હોવાને લીધે તાંત્રિકની વાતમાં ફસાઈ ગયા હતા.
ત્યારબાદ આ તાંત્રિકો ધોનેરા અને થરાદ ગામના હતા. એકસાથે 5 તાંત્રિક મળીને દરેક લોકો સાથે મુશ્કેલી દૂર કરવાની વિધિ કરતા હતા. બંને ભાઈઓ ધોનેરાના ગોલા ગામના રહેવાસી હતા. એક દિવસ તેઓ તાંત્રિકના કહેવા પ્રમાણે એક કરોડ સુધીની રકમ લઈને આ પાંચેય તાંત્રિક પાસે ગયા હતા. નવરાત્રીનો સમય ચાલી રહ્યો હતો.
ત્યારે આ 5 તાંત્રિકોએ મળીને થોડી વિધિ કરી ત્યારબાદ બતાવ્યું હતું કે, ‘બંને ભાઈઓના પરિવારમાં 82 વર્ષ પહેલાં એક માતાજી ઘરે મુકેલા છે અને તમે જો આ માતાજીની બાધા લેશો તો તમારી મુશ્કેલી દૂર થશે અને આ વિધિ કરવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થશે’ તેમ જણાવ્યું હતું. જેના કારણે બંને ભાઈઓ એક કરોડ રૂપિયા આપવા રાજી થઈ ગયા હતા.
પરંતુ તેઓની મુશ્કેલી દૂર થાય તે માટે તાંત્રિકને કહ્યું હતું. ત્યારબાદ તાંત્રિકોએ માતાજીની બાધા બંને ભાઈઓને રખાવી હતી અને થોડા મહિના પછી સારું થઈ જશે તેમ કહ્યું હતું પરંતુ ઘણા મહિના થઈ ગયા પછી પણ બંને ભાઈઓની મુશ્કેલીઓ બરાબર થઈ ન હતી અને તેઓના એક કરોડ રૂપિયા પણ ગયા હતા.
તાંત્રિક નકલી હોવાને કારણે બંને ભાઈઓએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ 5 તાંત્રિકો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તે બંને પાસેથી એક કરોડ રૂપિયા પડાવી લીધા છે અને આ બંને ભાઈઓને તાંત્રિકે છેતર્યા હોવાને પોલીસને કડક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. તાંત્રિક સામે પોલીસ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]