Breaking News

બે બાળકોને મૂકીને માતાએ દવા પી લીધી, માસૂમ બાળકોનો શું વાંક? જાણો શું છે કારણ..!

કોરોનાના કપરા સમયમાં જીવને ટૂંકો કરી દેવાના સમાચારમાં સતત વધારો થતો જાય છે. કોઈક આર્થિક તંગીના કારણે આ પગલા લે છે તો કોઈક દેવામાં ડૂબવાના કારણે.. પરતું રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે..

રાજકોટમાં એક મહિલાએ પોતાના ફૂલ જેવા બે બાળકોને નિરાધાર મૂકીને દવા ગટ ગટાવી નાખી હતી. આ મહિલા રાજકોટના રેલ્વે સ્ટેશનના સામેના વિસ્તારમાં રેહતી હતી. દવા ગટગટાવી જતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે અને હાલ પોલીસ સમગ્ર બાબતોની ચકાસણી કરી રહી છે કે શા માટે મહિલાએ આ પગલું ભર્યું.

જીવ ટૂંકાવનાર મહિલાનું નામ રીનાબેન પરમાર છે. તેમની ઉંમર 28 વર્ષની હતી.  રીનાએ દવા પીધી છે તેવી જાણ થતા જ તેના પતિને કોલ કરીને જાણ કરવમાં આવી હતી અને તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ડોકટરે મહિલાના વધારે સારવાર માટે સિવિલમાં ખસેડવા કહ્યું હતું.

રીનાને હોસ્પિટલ પહોચાડે એ પહેલા જ તે જીવ ગુમાવી બેઠી હતી. પોલીસના મોટા અધિકારી પણ સિવિલ પહોચ્યા હતા અને બોડીને પોસ્ટ મોટર્મ કરવા માટે કહ્યું હતું. રીનાના નાના ભાઈએ પોલીસને જણાવ્યું કે થોડાક સમય પહેલા જ રીના ઘરેલું કંકાસથી કંટાળીને રીસામણે આવી ગઈ હતી.

તે પારિવારિક જીવનથી ના ખુશ હતી કારણકે તેના પતિ ખીમજીને અન્ય મહીલા સાથે પણ સબંધો હતા. તેના પતિની આ હરકતોથી રીના કંટાળી ગઈ હતી  તેથી તેણે આ પગલું ભર્યું હશે તેવી પોલીસની ચકાસણી છે. રીનાન લગ્ન આશરે 5 વર્ષ પેહલા થયા હતા. તેને એક દીકરો અને એક દીકરી છે જે હજુ સમજણા પણ નથી થયા ત્યાં તો પોતાની માતાને ગુમાવી બેઠા છે.

પતિના બીજી મહિલા સાથે સબંધો હતા તેથી તેની રીના સાથે વાંરવાર બાધણ થતી હતી. રીના કંટાળીને પોતાના માતા-પિતા પાસે પણ ચાલી આવી હતી પરતું તેના માતા-પિતાએ તેને સમજાવીને સાસરે પાછી મોકલી હતી. રીનાએ દવા પીધા બાદ પણ તેને સારવાર માટે લઈ જવામાં સાસરીયા વાળાએ મોડું કર્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *