પરિવારમાં લોકો પોતાના અંગત સંબંધોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે, અવારનવાર આવા પ્રેમ સંબંધને કારણે બનતા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ કિસ્સો ભરતપુરમાં બન્યો હતો. ભરતપુરમાં રહેતા પરિવારના યુવક સાથે કરુણ ઘટના બની ગઈ હતી.
ભરતપુરના રહેવાસી પરિવારના યુવકનું નામ પવન શર્મા હતું, પવન શર્મા તેમના માતા પિતા અને પત્ની અને બાળકો સાથે રહેતા હતા. પવન શર્માના પિતાનું નામ હરિપ્રસાદ હતું અને તેમની પત્નીનું નામ રીમા હતું. પવન શર્માની ઉંમર 37 વર્ષની અને રીમાની ઉંમર 23 વર્ષની છે. તે બંનેને સંતાનમાં બે બાળકો છે, જેમાં એક દીકરી અને એક દીકરો છે.
દીકરો 6 વર્ષનો અને દીકરી 4 વર્ષની છે તેઓ પરિવારમાં ખૂબ જ સુખીથી રહેતા હતા અને રાજી ખુશીથી પરિવારમાં રહેતા પવન ના લગ્ન ખાનપુર ની રીમા સાથે 7 વર્ષ પહેલાં થયા હતા, પવન સામાન્ય પરિવારમાંથી હતો, તેને બે બહેનો હતી અને તેના પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પવન ભણ્યો હોવાને કારણે દિલ્હીમાં નોકરી કરતો હતો.
ચાર વર્ષથી પવન દિલ્હીમાં નોકરી કરીને ત્યાં જ રહેતો હતો અને રીમા તેમના પરિવાર સાથે ગામમાં રહેતી હતી ત્યારબાદ પવન રીમાને પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો બંને જણા દિલ્હીમાં રહેતા હતા. પવનના ગામનો જ એક યુવક તેની સાથે રહેતો હતો. આ યુવકનું નામ ભગેન્દ્ર છે, ભગેન્દ્ર પવનના ગામનો જ હતો અને તે દિલ્હીમાં લોન લેવાનું કામ કરતો હતો.
જેના કારણે ભગેન્દ્ર અને રીમા સારા એવા મિત્રો બન્યા હતા ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવી ગયા હતા પવન કામધંધે જાય ત્યારે ભગેન્દ્ર ની રીમા બોલાવી લેતી હતી અને બંને સાથે ફરવા જતા હતા અને ઘરે સાથે બેસીને વાતો કરતા હતા બંને વચ્ચે ખૂબ જ સારો પ્રેમ સંબંધ બંધાયો હતો. દિલ્હીની નોકરી છોડીને રીમા ને ભરતપુર લઈને પરત આવી ગયો હતો.
રીમા ભરતપુર આવી જતા તેના બોયફ્રેન્ડ ભગેન્દ્રને તે મળી શકતી ન હતી જેના કારણે તેણે એક દિવસ પોતાના પ્રેમીને મળવાનું કાવતરું કર્યું હતું અને આખા પરિવારને દૂધ અને ચામાં ઊંઘની ગોળીઓ નાખીને પીવડાવી દેતી હતી. જેના કારણે રાતના સમયે પરિવાર ખૂબ જ ઊંઘમાં ઊંઘી રહ્યો હોય ત્યારે બંને ઘરની બહાર મળતા હતા.
અને ધીમે ધીમે તે બંનેની મુલાકાત ખૂબ જ વધતી ગઈ ઘણા મહિનાથી રીમા તેના પરિવારને મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળીઓ લાવીને પીવડાવતી હતી અને પરિવારના લોકો ખૂબ જ મોડે સુધી સૂઈ રહેતા હતા અને તેઓ ભાન ભૂલી જતા હતા ત્યારબાદ પવનની નાની બહેન પરણી થતી જેમ પોતાના પિયરમાં રહેવા આવી હતી.
તેને પણ ઊંઘની ગોળીનો અસર થતી હતી જેના કારણે તે પોતાના પિયરમાં ખૂબ જ રહેતી હતી મોડી સુધી રહેતા તેને શંકા જતી હતી કારણ કે તેણે સાસરીયે હંમેશા વહેલા ઉડતી હતી પરંતુ પિયર એ આવ્યા પછી તેની સાથે આવી ઘટના બનતી હતી જેના કારણે તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને ભાભી દરેક પરિવારના લોકોને ઊંઘની ગોળીઓ આપી રહી છે.
ત્યારબાદ એક દિવસ રીમાએ તેના બોયફ્રેન્ડ ભગેન્દ્રને મળવા માટે બોલાવ્યો હતો અને બંને જણા રૂમમાં મળી રહ્યા હતા ત્યારે પવન ઊંઘવાથી જાગી ગયો હતો અને તેણે રીમાને ભગંદર સાથે જોયો હતો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો ત્યારબાદ સવાર થતા પવન ઘરમાં દેખાઈ રહ્યો ન હતો અને રીમાએ પવન વહેલી સવારે ઘરની બહાર નીકળ્યો છે.
પરંતુ ઘરે પરત આવ્યા નથી તેમ જણાવીને પરિવારને ભટકાવી દીધું હતું ત્યારબાદ રીમા અને ભગેન્દ્ર બંને ખૂબ જ મળતા હતા રોજ સાંજે તેવું પોતાની જ રૂમમાં મળતા હતા એક દિવસ તેમ રિમાના સસરા હરીપ્રસાદ જાગીને બહાર આવ્યા હતા અને તેણે જોયું તો રિમાના રૂમમાં લાઈટ ચાલુ હતી તે સમયે તેણે દરવાજો ખોલીને જોયું તો રીમા અને ભગંદરને પકડી પાડ્યા હતા.
તરત જ પોલીસને રીમાના સસરાએ ઘરે બોલાવી હતી અને રીમાએ જ તેમના પતિને ગુમ કર્યાનો જણાવ્યું હતું પોલીસે કડક પૂછપરછ ચાલુ કરી હતી અને રીમાને દરેક જાણકારી માટે પૂછપરછ કરી હતી તે સમયે જણાવી દીધું હતું કે એક દિવસ રાતે ભગંદર રીમા ને મળવા આવ્યો ત્યારે તે બંને પકડાઈ જતા ભગેન્દ્ર અને રીમાએ મળીને પવનનું ઘણું દબાવીને મારી નાખ્યો હતો.
ત્યારબાદ ભગેન્દ્ર એ તેના મિત્ર ને બોલાવ્યો હતો અને બંનેએ પવનના મૃતદેહને લઈ જઈને કેનાલમાં ૧૫ કિલોના પથ્થર સાથે બાંધીને ફેંકી દીધો હતો જેના કારણે પોલીસ કેનાલમાં તપાસ કરવા માટે પહોંચી ત્યારે તેમણે કેનાલમાંથી 17 હાડકા જ મળ્યા હતા એ પત્નીએ તેમને જ પતિ સાથે આવી ઘટના કરી નાખી હતી.
અને તેમના બાળકોને અનાથ કરી નાખ્યા હતા ત્યારબાદ પોલીસે ભગેન્દ્રની પણ પૂછપરછ ચાલુ કરી હતી અને તેમના મિત્ર ને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે લોકો પોતાના પ્રેમ સંબંધ માટે તેમના અંગત વ્યક્તિઓને જીવ લઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]