Breaking News

2 બાળકોના પિતાએ પુલની નીચે ગાડી મૂકી નદીમાં ધૂબકો લગાવી મોતને વ્હાલું કર્યું, કારણ જાણવા પોલીસ કરી રહી છે મથામણ..

જ્યારે પણ માણસ પાસે કોઈ પણ બચવાનો ઉપાય બાકી રહેતો નથી, આ ઉપરાંત મદદના તમામ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે તેઓ આપઘાત તરફ પ્રેરાતા હોય છે. પરંતુ આવા સમયે આપઘાત જેવું ખૂબ મોટું પગલું ભરી લેવાને બદલે કોઈ સારા માણસનો સંપર્ક કરવો જોઈએ અને પોતાની સાથે થયેલી તમામ ઘટનાની જાણ ઘરના કોઈ સભ્યો અથવા તો ખાસ મિત્રોને કરવી જોઈએ..

જેથી કરીને તેમાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળી આવે, પરંતુ આજકાલ યુવક યુવતીઓની સાથે સાથે આધેડ વયના વ્યક્તિઓ પણ આપઘાત તરફ પ્રેરવા લાગ્યા છે. અત્યારે વધુ એ આપઘાતનો બનાવ નવસારીમાંથી સામે આવ્યો છે. મૂળ વેજલપુર પાસે આવેલા સાઈ ચેમ્બર્સ એપાર્ટમેન્ટની અંદર પ્રવીણભાઈ પટેલ તેમની પત્ની તેમજ બે બાળકો સાથે રહે છે..

તેઓની ઉંમર 30 વર્ષની છે. પ્રવીણભાઈ નવસારી જિલ્લાના રૂબી કોમ્પ્લેક્સ માં ડાયમંડ ઓફિસની અંદર નોકરીનું કામકાજ કરતા હતા એક દિવસ તેઓએ જિલ્લાના સોનવાડી ફુલ પાસે પસાર થતી અંબિકા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. અને જીવ ટૂંકાવી દીધો છે. તેમણે આ બાઈક પુલ નીચે મૂકી નદીમાં કૂદી ગયા હતા.

જ્યારે આ બનાવવાની જાણ ફાયર વિભાગના અધિકારીઓને થઈ ત્યારે ગણદેવી ફાયરની ટીમો આ યુવકની લાશની શોધખોળ કરવા માટે છેલ્લા 12 કલાકથી મથામણ કરતી હતી. જેમાં ગઈકાલે સાંજના સમયે આ મૃતકની લાશ મળી આવતા તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી..

આ ઉપરાંત ગણદેવી પોલીસે અકસ્માતમાં મૃત્યુનો ગુનો નોંધ્યો છે. અને જરૂરી તપાસ શરૂ કરી છે. આ યુવકે શા માટે આપઘાત કર્યો હોય તેની તો કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ તેઓના આપઘાત કરી લેવાને કારણે તેમની પત્ની સહીત બે બાળકો પણ નિરાધાર બન્યા છે. પરિવારના મોભીએ જ આપઘાત કરી લેતા આવે તેમનો પરિવાર રજળતો થયો છે.

રોજ રોજ જુદા જુદા જિલ્લાઓમાંથી આપઘાતના અનેક બનાવો સામે આવે છે. કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણ તેમજ ભીંસનો અનુભવ થતા જ કંટાળી જઈને આપઘાત કરી લેતા હોય છે. તો કોઈ વ્યક્તિ પ્રેમ સંબંધમાં કંટાળી જઈને આપઘાત કરે છે. જ્યારે અમુક વ્યક્તિ ઘર કંકાસ તેમજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને પણ આપઘાતનું પગલું ભરી લેતા હોય છે.

દિન પ્રતિ દિન આઘાતના બનાવો વધવાને કારણે દરેક સમાજ માટે આ એક ખૂબ મોટો પડકાર જનક પ્રશ્ન સાબિત થયો છે. સરકારી ચોપડી દિન પ્રતિ દિન વધતી ગુનાખોરી માથાના દુખાવા સમાન બની રહી છે. જો જનતા જાગૃત હશે તો તંત્રની મદદ અંને ઈમાનદારીથી આ ગુનાખોરીને એક દિવસ ડામ દઈ શકાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *