આજકાલ હૈયા ધમધ્માવે તેવા બનાવો ખુબ જ બની રહ્યા છે. કોઈ જગ્યાએ પ્રેમપ્રકરણના દગાને કારણે તો કોઈ જગ્યાએ આર્થિક ભીંસનો અનુભવ થતા તો કોઈ જગ્યા કે બીમારી કે માઠુ લાગી આવવાને કારણે કેટલાક લોકો આપઘાત જેવું પગલું ભરે છે. દિવસેને દિવસે ન બનવાના બનાવો વધવાને કારણે લોકો મૂંઝાયા છે.
વધુ એક ચોંકાવનારી ઘટના ગાઝિયાબાદના કવિનગરમાં સામે આવી છે. કવિ નગરમાં અરુણ સિંગલ નામના વ્યક્તિ તેના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની શોભના સિંગલ તેમજ 2 દીકરાઓનો સમાવેશ થાય છે. તેઓ કવિનગરના ચિરંજીવ બિહારમાં ગુલમોહર ટાવર પાસે ફ્લોર પર તેના પરિવાર સાથે રહે છે.
પરિવારના મોભી અરુણ પાઇપના કારખાનામાં કામ કરે છે. અરુણ અને તેની પત્ની શોભના સિંગલને બે બાળકો છે. તેનો મોટો દીકરો સ્પેશિયલ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવા ગયો હતો અને નાનો દીકરો નૈતિક તેના રૂમમાં સૂતો હતો. ત્યારે શોભનાએ પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
પરિવારજનોએ જણાવ્યું કે તેની પત્ની શોભના ડિપ્રેશનની દર્દી હતી. શોભના ડિપ્રેશનની સારવાર લઈ રહી હતી. અરુણ કંપનીના કોઈ કામ માટે ઘરની બહાર ગયો હતો. દરમિયાન તેમની પત્ની શોભનાએ પાંચમા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
શોભનાએ જ્યારે છલાંગ લગાવીને પડતું મુક્યું ત્યારે તે ખુબ જ હેબતાઈ ગઈ અને તેના મોઢેથી મરણચીખો પણ નીકળી ગઈ હતી. તે સાંભળીને અન્ય રહીશો પણ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા અને જોયું તો શોભના નીચે પટકાઈ ચુકી હતી. અને તેનામાં જીવ પણ ન હોઈ તેવું લાગ્યું છતાં પણ તેઓ શોભનાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પીટલે સારવાર દરમિયાન તેને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તપાસ શોભનાના રૂમમાંથી એક ડાયરી મળી આવી હતી. મહિલાના આપઘાતનું કારણ ડાયરીમાં લખવામાં આવ્યું છે. કવિ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત કુમારે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પણ શોભનાને ડાયરી લખવાનો શોખ હતો.
આ ડાયરીમાં તેણે ખુલાસે વાત કરી છે અને જેમાં પરિવારને ખુશ ન રાખવા વિશે લખ્યું છે. વધુમાં તેણે જણાવ્યું છે કે તે પરિવારજનોથી ખુબ જ નાખુશ છે. અને હવે તે કંટાળી ગઈ હતી તેના કારણે આ પગલું ભરી લીધું છે. હકીકતમાં કોઈ પ્રશ્ન હોઈ તો પરિવારજનો સાથે વાતચીત કરીને તેને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]