Breaking News

15 મિનીટ પહેલા માતા-પિતાને ફોન કર્યો અને ત્યાર બાદ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ..

રાજકોટ જિલ્લામાં વધુ એક પરણિત યુવતીએ ગળાફાસો ખાઈને હસતી ખેલતી જિંદગીને અલવિદા કઈ દીધું હોવાનું સામે આવ્યું છે. ગળા ફાંસો ખાધો એની 15 મિનિટ પહેલા જ યુવતીએ તેના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, તમે અને મમ્મી અહીં મને મળવા જલ્દીને જલ્દી આવો.

દીકરીનો આ પ્રકારનો આવાજ સાંભળીને પિતા પણ ડરી ગયા અને ઉંધી ફાળ પડતા જ તેઓ દીકરીના સાસરે પહોંચ્યા હતા. પરતું તેઓ જયારે ત્યાં પહોચ્યા અને જોયુ તો તેમને દીકરી નહીં પરંતુ દીકરીની લાશ જોવા મળી હતી. લાશ જોતા જ તેના માતા પિતા ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓને ખુબ કારમો આઘાત લાગી ગયો હતો.

બે વર્ષ પૂર્વે દીકરીને જ્ઞાતિના રીત રિવાજ મુજબ જણાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જસદણ તાલુકાના પોલારપર ગામે સાસરુ તેમજ પિયર ધરાવતી કૈલાશબેન ઉર્ફે કોમલ બેન મકવાણાએ શનિવારના રોજ બપોરના બાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર પોતાના ઘરમાં રહેલ પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે.

પત્નીએ ગળાફાંસો ખાધા ની જાણ પતિને થતાં પતિએ તાત્કાલિક અસરથી જસદણ પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરી હતી. પોલીસને આત્મહત્યાના બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ પંખા સાથે લટકતી પરિણીતાની લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી આપઘાતનો કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પરિણીતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન બે વર્ષ પૂર્વે હિતેશ મકવાણા સાથે થયા હતા. મારી દીકરી અને મારા દીકરાનું સામ સામુ લગ્ન નક્કી કર્યું હતું.

જે બનાવ બન્યો તેના પંદર મિનિટ પૂર્વે જ તેનો ફોન આવ્યો હતો કે તમે અને મમ્મી બંને અત્યારે જ અહીં આવો. ફોન મળતાની સાથે છે અમે બંને પતિ-પત્ની ઘરેથી નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં જ અમારા જમાઈ નો મારા પર ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે.

અમે મારી દીકરીના સાસરીએ પહોંચે તે પૂર્વે જ દીકરી નહીં પરંતુ દીકરીની લાશ જોવા મળી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે હિતેશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે અને મારી પત્ની અને કોઇપણ જાતનો પણ બનાવ ન હતો. હું બહારથી આવીને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે મેં મારી પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઇ હતી.

હું આટકોટ થી ગાડી લઈને કપડા બદલવા ઘરે આવ્યો હતો. જ્યારે ઘરે આવીને જોયું તો પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો છે. અમારે સંતાનમાં કંઈ નથી અને કયા કારણોસર મારી પત્નીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે તે બાબતનો મને ખ્યાલ પણ નથી.

સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં મૃતક કૈલાસબેન ઉર્ફે કોમલ બેનને આત્મહત્યા કરવા કોઈએ પ્રેર્યા હતા કે કેમ તે ખુલવા પામે છે કે કેમ તે જાણવું અતિ મહત્ત્વનું બની રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *