જુદી જુદી રીતે ઘણા બધા ગુનાખોરીના કેસો સરકારી ચોપડે નોંધાતા હોય છે. એમાં પણ છેલ્લા પંદર દિવસમાં 30 કરતા વધારે રહસ્યમય રીતે મોતના કેસો સરકારી ચોપડે નોંધાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.
વિનોદભાઈ નામના વ્યક્તિએ બે વર્ષ પહેલાં રાજાનંદન સોસાયટીમાં40 નંબરનું મકાન લીધું હતું. આ મકાન તેઓએ ભાડે આપવા અર્થે ખરીદ્યું હતું. આ મકાન ખરીદવાની સાથે જ તેઓ આ મકાન ભાડે આપી દીધું હતું. તેઓ અવારનવાર આ મકાનમાં ભાડુ લેવા માટે આવતા હતા..
આ મકાન તેઓએ છેલ્લે ગાંસજના કૈલાસબેનને ભાડે આપ્યું હતું. બે મહિના સુધી વિનોદભાઈ કૈલાસબેન પાસે ભાડુ લેવા માટે ગયા ન હતા. તેઓ કૈલાસ બેનને કોલ કરી રહ્યા હતા કે તેઓ ભાડુ લેવા માટે આવી રહ્યા છે. પરંતુ કૈલાશ બહેન છેલ્લા પંદર દિવસથી વિનોદભાઈનો કોલ ઉપાડી રહ્યા ન હતા..
એટલા માટે ખુદ વિનોદભાઈ તેઓના મકાન ખાતે આવીને ભાડું વસૂલ કરવાનો ઇરાદો બનાવ્યો હતો. તેઓ પોતાના મકાને પહોંચ્યા અને જોયું તો મકાનની બહાર તાળુ લટકાવેલું છે. શરૂઆતમાં તો તેઓ વિચાર્યું કે કદાચ કૈલાસબેન મકાન ખાલી કરીને જતા રહ્યા હશે ભાડું ન આપવું પડે એટલા માટે તેઓએ જાણ પણ કરી નઈ હોઈ..
આસપાસના પડોશીઓને પૂછ્યું તો તેઓએ પણ જણાવ્યું કે અહીં તો કોઈએ મકાન ખાલી કર્યું નથી. પરંતુ છેલ્લા પંદર દિવસથી કૈલાશબેન દેખાયા નથી. અંતે મકાનમાલિકે આ તાળુ તોડી નાખ્યું હતું. અને ઘરનો દરવાજો ખોલ્યો તો હોલમાં રહેલા બેડ ઉપર જે જોયું તે જોઈને વિનોદભાઈના હોશ ઉડી ગયા હતા…
દરવાજો ખોલતાની સાથે જ તેની નજર બેડ ઉપર ગઈ હતી. બેડ ઉપર ફૂલી ગયેલી તેમજ જુદી-જુદી રીતે ઈજાગ્રસ્ત હોઈ તેવી લાશ પડેલી હતી. આ જોતાની સાથે જ તેઓ ગભરાઇ ગયા હતા. અને આસપાસના પડોશીઓને ત્યાં બોલાવ્યા હતા. આ લાશ ખૂબ જ દુર્ગંધ મારી રહી હતી…
તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને કોલ કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. નજીક જઈને તેઓએ જોયું કે આ વ્યક્તિ કોણ છે. હકીકતમાં તે એક મહિલા હતી. અને તે ભાડુઆત કૈલાસબેન જ હતા. આ લાશની હાથ પગની ચામડી ઉપર ખૂબ ખરાબ રીતે ફાટી ગઈ હતી. એટલા માટે પોલીસે તાત્કાલિક ધોરણે આ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી..
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આ મહિલાને ખૂબ ઇજા પહોંચાડવામાં આવી છે. તેમજ હેમરેજના કારણે તેમનું મોત થયું છે. આ મહિલાના પરિવારને મકાનમાલિક વિનોદભાઈએ જાણ કરી હતી. પરંતુ પરિવાર સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાને કારણે તેઓ આ મામલામાં પડવા માંગતા નથી તેમ જણાવ્યું હતું..
એટલા માટે પોલીસ અધિકારી સાહેબે ખૂદ ફરિયાદ નોંધાવી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલાને મોતને ઘાટ ઉતારવા પાછળ કયા કારણો જોડાયેલા છે..? તે સૌ કોઈ બાબતની જાણ હાલ પોલીસ મેળવી રહી છે. આ ઘટના બન્યા પછી સમગ્ર રાજાનંદન સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે..
તો બીજી બાજુ આશ્ચર્યની વાત એ છે કે આ મહિલા 15 દિવસ સુધી આ એકની એક રૂમમાં બંધ હાલતમાં હતી. છતાં પણ આસપાસના કોઈ પણ લોકોને આ મહિલાના મૃત્યુની ભનક પણ લાગી નથી. તેમ જ દુર્ગંધ ફેલાય નથી. આ બાબતને લઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]