વિજાપુર ગામથી થોડે દૂર આવેલા એક શહેરમાં અભિલાષભાઈ લોખંડના બેરિંગ બનાવવાનું કારખાનું ચલાવે છે. તેમનો આ કારખાનું છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ સારું ચાલતું હતું. તેમના કારખાનાની અંદર અંદાજે 15 જેટલા કારીગરો કામકાજ કરે છે. તેમજ બે મેનેજરોને પણ પગાર ઉપર રાખવામાં આવ્યા હતા..
અભિલાષભાઇના દીકરા અને દીકરીના લગ્ન હોવાને કારણે છેલ્લા 13 દિવસથી આ કારખાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને તમામ મેનેજર તેમજ કારીગરોને પણ રજા આપવામાં આવી હતી. અભિલાષભાઈ તેના પરિવારજનો સાથે સમય વિતાવવા માંગતા હતા. એટલા માટે તેઓએ અમુક દિવસો માટે પોતાનો ધંધો બંધ મૂકી પોતાને ગામડે આવી ગયા હતા..
જ્યારે તેમના દીકરા અને દીકરીનું લગ્ન પ્રસંગ પૂર્ણ થયો, ત્યારે તેઓ 13 દિવસ બાદ પોતાની કારખાને ફરી પાછા ગયા હતા. તમામ કારીગરો અને મેનેજરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ જ્યારે પોતાના કારખાનું શટર ખોલીને અંદર જઈને જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈ તેમના હોશ છૂટી ગયા હતા..
તેઓ માથું પકડીને રડવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને તેમના કારખાનામાં કામ કરતા કારીગરો પણ અંદર આવ્યા હતા અને તેઓએ જોયું તો તેમના જ કારખાનાની અંદર મોટાભાગની કામગીરીઓનું મેનેજમેન્ટ કરનાર મેનેજરની સડેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમના કારખાનામાં મૂળ બે મેનેજરો છે..
જેમાંથી એક મેનેજરની લાશ મળી આવતા કારખાનાના માલિક અભિલાષભાઇને ખૂબ જ ઊંડો આઘાત લાગી ગયો હતો. કારણ કે તેઓ આ વિશ્વાસુ મેનેજર ઉપર તમામ જવાબદારીઓ નાખી દેતા હતા. અને આ મેનેજર એટલો બધો સરસ કામગીરી દર્શાવતો હતો કે, અભિલાષભાઈ ને ક્યારે પણ તેમના કારખાનાની કોઈ ચિંતા રહેતી હતી નહીં..
અને એ જ મેનેજરનું રહસ્યમય હાલતમાં મૃત્યુ થઈ ગયું છે. તેની લાશ સડેલી હાલતમાં બંધ કારખાનાની અંદરથી મળી આવતા તેમના હોશ ઉડી ગયા હતા. ત્યાં આસપાસ રહેલા અન્ય કારખાનાના માલિકો પણ ત્યાં આવી પહોંચી અને અભિલાષભાઈને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત મૃતક મેનેજર ના પરિવારજનો સુધી પણ આ ઘટનાની જાણકારી પહોંચાડી દેતા તેઓના પણ હોશ ઉડી ગયા હતા..
તેઓનું કહેવું છે કે આ મેનેજર છેલ્લા 8 દિવસથી ઘરેથી ચાલ્યા ગયા હતા. તેઓ ક્યાં ગયા છે..? તેની કોઈ પણ જાણકારી પરિવાર પાસે ન હતી..? જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને પણ માહિતી આપી દેવામાં આવી હતી કે, એક કારખાનાની અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવી છે..
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. કારખાનના માલિકનું કહેવું છે કે, કારખાનાના મેન શટરની ચાવી માત્ર એ મેનેજર પાસે હતી અને બીજી ચાવી મારી પાસે છે..
આ કારખાનામાં કોઈ પણ પ્રકારની તોડફોડ પણ જોવા મળી નથી. આ ઉપરાંત દરેક ચીજ વસ્તુ પણ સહી સલામત છે. છતાં પણ મેનેજરનું મૃત્યુ થઈ ગયું છે. તો આ પાછળ કયા કારણોસર જોડાયેલા છે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે. જ્યારે જ્યારે પણ આવી રહસ્યમય માહિતીઓ સામે આવે છે..
ત્યારે ત્યાં હાજર રહેલા લોકોના મગજ કામ કરતાં બંધ થઈ જતા હોય છે. કારણ કે જે વ્યક્તિ તેમની નજર સામે રોજ હસતો હસાવતો હોય એ જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેને મૃત હાલતમાં જુવો કોઈપણ વ્યક્તિ માટે સહેલો હોતો નથી. બધા કારીગરો અને કારખાના માલિકો હાલ દુખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]