નોકરી કે ધંધા દરેક ચીજ વસ્તુઓમાં આપણે આપણા જીવનું ધ્યાન રાખીને નોકરી કે ધંધો કરવો પડે છે. એમાં પણ ઘણા બધા નોકરી ધંધાઓ જીવના જોખમ સાથે જોડાયેલા હોય છે કે, જેમાં પૈસા કમાવા માટે આપણે આપણા જીવની બાજી લગાવી દેવી પડતી હોય છે. મોટાભાગે રીપેરીંગનું કામકાજ કરનાર વ્યક્તિઓ તેમજ એવું કામ કે જેમાં સામાન્ય વ્યક્તિની સૂઝભુજ કામ આવતી નથી..
આ પ્રકારના કામોમાં ખૂબ જ સાહસ રહેલું હોય છે. અત્યારે લોટસ પાર્ક નામના 12 માળના બિલ્ડિંગમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ બિલ્ડીંગના કેટલાક રહીશોએ થોડા દિવસ પહેલા જ એક મિટિંગમાં નક્કી કર્યું હતું કે, તેઓ બિલ્ડીંગને રંગ રંગાવીને નવી બનાવી દેશે..
કારણ કે છેલ્લા દસ વર્ષથી તેમના બિલ્ડીંગમાં રંગ કરવામાં આવ્યો હતો નહીં અને બહારથી બિલ્ડીંગ એકદમ ફીકી દેખાતી હતી, એટલા માટે તેઓએ રંગકામ માટે કેટલાક વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ મુજબ તેમના બિલ્ડીંગમાં કલર કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જ્યારે આ કામકાજમાં બારમાં માળે બે વ્યક્તિઓ કલરનું કામકાજ કરતા હતા. ત્યારે એક માઠી ઘટના બની જવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું છે. કલર કરવા માટે બારમાં મળે જુલો ગોઠવવામાં આવ્યો હતો અને આ જુલા ઉપર બેસીને યુવક કલરનું કામકાજ કરતો હતો..
પરંતુ તેના નસીબ કામ કરતાં બંધ થઈ ગયા હોય એ મુજબ ઝૂલાનું દોરડું તૂટી ગયું હતું અને યુવક બારમાં માળેથી નીચે પટકાયો હતો. જ્યારે તે નીચે પડી ગયો ત્યારે તેની અંતિમ ચિખો સાંભળીને બિલ્ડિંગમાં રહેતા લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. નીચે પડતાની સાથે જ તેનું શરીર ફાટી ગયું અને તેનો જીવ ત્યાં ને ત્યાં ચાલ્યો ગયો હતો.
આ ઘટના બન્યા બાદ સોસાયટીના સૌ કોઈ રહીશો ત્યાં એકઠા થઈ ગયા અને દરેકના ચહેરા ઉપર દુઃખની લાગણી દેખાઈ આવી હતી. ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી અકસ્માતમાં મોત ની ફરિયાદ પણ આપી હતી. આ ઉપરાંત પોલીસે તપાસ શરૂ કરી છે કે શું એ દોરડા ને પહેલેથી જ કોઈ વ્યક્તિએ કાપી નાખ્યું હતું કે દોરડું તેની જાતે જ તૂટ્યો છે..?
શું અન્ય કોઈ વ્યક્તિ આ મજૂરનો જીવ લેવાની કોશિશ તો કરી નથી કે શું..? વગેરે જેવા પ્રશ્નોને લઈ તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે જુદા-જુદા કામકાજ કરનાર વ્યક્તિઓમાં પણ ભાગદોડ મચી જતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]