આજના યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું રહ્યું છે. દરેક માતા પિતા પોતાના બાળકોને સારું એવું શિક્ષણ અપાવવા માંગતા હોય છે. જેને કારણે તેઓને સારી એવી ગામની અને શહેરોની શાળાઓમાં અભ્યાસ માટે મોકલે છે અને વાલીઓને શાળાના શિક્ષકો ઉપર પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ રહ્યો છે, કારણ કે શિક્ષકો જ એક બાળકનું ખૂબ જ સારું એવું ઘડતર કરી શકે છે.
જેના કારણે બાળકોને સારું એવું શિક્ષણ તેઓ આપે છે પરંતુ અવારનવાર હાલમાં એવા પણ કિસ્સાઓ બની રહ્યા છે કે જેને કારણે શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા મલવાડા ગામમાં બની હતી.
એક પરિવારની દીકરી સાથે કરુણ ઘટના બની જતા પરિવાર આઘાત સહન કરી શક્યો નહીં, પરિવારની દીકરીનું નામ દ્રષ્ટિ પટેલ હતું. તે મલવાડા ગામની શાળામાં અભ્યાસ કરતી હતી. દરરોજ શાળાએ પોતાની બહેનપણીઓ સાથે જતી હતી અને આવતી હતી. દ્રષ્ટિ શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.
દૃષ્ટિના માતા પિતાની તે ખૂબ જ લાડકી દીકરી હતી. દ્રષ્ટિ ભણવામાં હોશિયાર હોવાને કારણે તેના માતા પિતા તેને ખૂબ જ સારું એવું ભણાવવા ઈચ્છા હતા અને સારી એવી પોસ્ટ પર દ્રષ્ટિને જોવા માગતા હતા. દ્રષ્ટિ દરરોજ શાળાએ જતી અને આવતી હતી પરંતુ એક દિવસ શાળામાં પરીક્ષા ચાલુ થઈ હતી.
અને શાળામાં પરીક્ષા લેવામાં આવતી બુક એક દિવસ દ્રષ્ટિ ઘરે ભૂલી ગઈ હતી જેના કારણે ક્લાસમાં શિક્ષકે દરેક વિદ્યાર્થીઓને બુક તપાસ કરી હતી તે સમયે દ્રષ્ટિ પાસે બુક મળી ન હતી. જેના કારણે શિક્ષકે દ્રષ્ટિને ખૂબ જ ખીજાયા હતા અને ઢોરમાર માર્યો હતો. દ્રષ્ટિ ને ક્લાસ વચ્ચે ઢોર માર મારવાને કારણે તે આ આઘાત સહન કરી શકી નહીં.
ઘરે આવીને તે ખૂબ જ ચૂપચાપ ઘરના પાછળના ભાગે જતી રહી હતી. તેના માતા પિતાને દ્રષ્ટિનો આ વ્યવહાર ખૂબ જ અલગ લાગ્યો હતો. તેના માતા હજુ દ્રષ્ટિને શું થયું તે પૂછવા જાય તે પહેલા જ દૃષ્ટિએ ઘરના પાછળના ભાગે જઈને આપઘાત કરી લીધો હતો. દ્રષ્ટિને તેની માતા આ હાલતમાં જોઈને આઘાતમા ઢળી પડી હતી.
અને તેના પિતાને પણ ખૂબ જ આઘાત લાગી ગયો હતો. માતા-પિતાના રડવાના અવાજથી ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને શાળાના શિક્ષકે છે દ્રષ્ટિ સાથે દૂર વ્યવહાર કર્યો હતો તેને આ વાતની જાણ થતા તે શાળા છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ દરેક ગામના લોકોએ મળીને દ્રષ્ટિને ન્યાય આપવા માટે પોલીસને આ વાતની ફરિયાદ કરી હતી.
જેને કારણે પોલીસ તપાસ માટે શાળાએ પહોંચી તે સમયે આચાર્યએ આ વાત પતાવી દેવા માટે કહ્યું હતું. પરંતુ દ્રષ્ટિના માતા-પિતા દૃષ્ટિને ન્યાય આપવા માગતા હતા જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ બાળકો સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અને બાળકો પણ નાની-નાની વાતને પોતાના મગજ પર લઈને તેમના જીવ ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]