Breaking News

એક જ પરિવારના 12 લોકોના ઝુલતા પુલ તૂટવાથી થયું મોત, હે મારા નાથ તમે તો આખા પરિવારને જ પોતાની પાસે બોલાવી લીધો..

બે દિવસ અગાઉ મોરબીના ઝુલતા પુલ પર બનેલી આ દુખદ ઘટનાથી રાજ્ય દેશ અને દુનિયાના સૌ કોઈ નાગરિકો ખૂબ જ દુઃખી છે. જ્યારે આ ઘટના બની ત્યારે આખી રાત સુધી બચાવ કામગીરી પણ ચાલી હતી. આ કામગીરીની અંદર રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ હાજર રહ્યા હતા..

મોહનભાઈ કુંડારીયાની બહેનના જેઠ સુંદરજી ભાઈની ચાર દીકરીઓ તેમના ત્રણ જમાઈ અને તેમના પાંચ ભાણેજ આ ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા. પરંતુ અચાનક પુલ તૂટવાને કારણે તેઓ મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા. અને તેમના મૃત્યુ થયા છે. એક જ પરિવારના 12 સગા સભ્યોના મૃત્યુ થવાને કારણે સમગ્ર પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે..

અને સુંદરજીભાઈ માટે તો આ દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે. સુંદરજીભાઈની ત્રણ દીકરીઓ ખાનપર ગામની અંદર સાસરે હતી. એક જ ગામની અંદર સાસરે રહેલી ત્રણેય દીકરીઓના પરિવારજનો ની સાથે સાથે સમગ્ર ગામમાં પણ રોકકળ મચી ગઈ છે..

તેમની ત્રણેય દીકરીઓને રૈયાણી, જીવાણી અને અમૃતિયા પરિવારમાં આપવામાં આવી હતી. સુંદરજીભાઈને છ દીકરીઓ છે. જેમાંથી 3 દીકરીઓને મૃત્યુ થયા છે. ખાનપર ગામમાં સાસરે રહેલી એકતાબેન જીવાણી, દુર્ગાબેન તેમજ ધારાબેન અમૃતિયાની સાથે સાથે ધારા બેનના પતિ હરેશભાઈ, ધારા બેનની દીકરીઓ જેનવી અને ભૂમિ તેમજ દુર્ગા બેનની દીકરી કિંજલ સહિત કુલ બાર સભ્યો ફરવા માટે મોરબીના ઝુલતા પુલ ઉપર ગયા હતા..

ત્યારે ફૂલ તૂટવાને કારણે બારે બાર વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટનાને લઈને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે. તો સમગ્ર ગામ હિબકે ચડ્યું છે. કારણ કે એક જ ગામના 12 વ્યક્તિઓના મૃત્યુ થવાને કારણે સૌ કોઈ લોકો માં ભારે દુઃખી લાગણી દેખાઈ છે.

આ ખૂબ જ દુઃખદ ઘટના સાબીત થઈ છે. જીવાણી પરિવારના ચિરાગભાઈ નામના વ્યક્તિના લગ્ન એકતાબેન નામની મહિલા સાથે આજથી એક વર્ષ પહેલા થયા હતા. પરંતુ આ દુઃખદ ઘટનાની અંદર એકતા બેનનું મૃત્યુ થઈ ગયું છે. આ સાથે સાથે રૈયાણી પરિવારમાં એક દીકરીનું મૃત્યુ થયું છે..

જ્યારે ધારાબેન અમૃતિયા તેમના પતિ હરેશભાઈ અમૃતિયા તેમની બંને દીકરી જૈનવી અને ભૂમિ પણ મૃત્યુ પામી છે. એક જ પરિવારના ચારે ચાર વ્યક્તિને મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવાર ખલાસ થઈ ગયો છે. આ દુઃખદ ઘટનાના પડઘા ખૂબ જ દૂર સુધી પડ્યા છે. અમે અમારા ન્યૂઝ પોર્ટલના માધ્યમથી આ દુઃખદ ઘટનાને લઈ તમામ મૃતોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ..

આ ઘટનાને લઈને આગામી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. એ ઘટના પાછળ કોઈ આ વ્યક્તિ જવાબદાર છે..? અને તેમની કઈ કઈ કામગીરી આ ઘટના પાછળ જવાબદાર હતી.. આ તમામ બાબતોની તપાસ મેળવાય રહી છે. આ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *