Breaking News

11 વર્ષનો કૃષ્ણદેવસિંહ સાઈકલ લઈને ટ્યુશન જવા નીકળ્યો અને રસ્તામાં પુરઝડપે આવતી બાઈકે કચડી નાખતા મોત..! વાંચો..!

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. રોજ જુદા જીલ્લાઓમાંથી ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જેમાં વધુ એક અકસ્માત બાવળામાંથી સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. કારણ કે આ અકસ્માતમાં ૧૧ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે..

બાવળામાં સ્વામિનારાયણ રેસીડેન્સીથી જીઈબી બાજુ જતા રસ્તા ઉપર હવે લાઈટ ચાર રસ્તા પાસે પુરઝડપે ચલાવીને આવતી એક બાઈકે બાળકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાવળામાં ડિવાઇન નામના વિસ્તારમાં રહેતા અંબરીસિંહ ગોવુભા વર્ષોથી રહે છે..

તેઓ મૂળ ભાવનગરના છે. અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. પરિવારમાં તેમના 11 વર્ષનો દીકરો પણ છે. તેમનો દીકરો કૃષ્ણદેવ સિંહ બપોરના ત્રણ વાગ્યા આસપાસ ઘરેથી ટ્યૂશને જવા માટે નીકળ્યો હતો સાયકલ લઈને ટ્યુશન જતા દીકરાને શહેર પણ ખ્યાલ હતો નહીં કે આજે તેની સાથે નવ થવાનું થવા જઈ રહ્યું છે..

તે ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરઝડપે ચલાવીને આવતી એક બાઈક સવારે તેને ટક્કર મારી દીધી હતી. અને કૃષ્ણદેવસિંહની સાયકલના કુચે કુચા બોલી ગયા હતા. ટક્કર મારતાની સાથે સાયકલ નીચે પડી ગઈ હતી. અને કૃષ્ણદેવસિંહ જમીન પર જોરદાર નીચે પટકાયો હતો..

જેના કારણે તેને માથાના ભાગ પર અને શરીર ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે તાત્કાલિક ધોરણે તેને બાબરાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમા પહોચતાની સાથે જ તે બેભાન હાલતમાં ચાલ્યો ગયો હતો. અને ફરજ પરના તબીબે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની ભલામણ કરી હતી..

પરંતુ એવા હોસ્પિટલમાં પણ કૃષ્ણદેવસિહ ભાનમાં આવ્યો ન હતો. એટલા માટે તેને વધુ સારવાર માટે ભાવનગર લઈ ગયા હતા. પરંતુ ભાવનગર તેની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અકસ્માતને પગલે ભાણાના કિડ્સ ચાર રસ્તા પાસે હંગામો મચી ગયો હતો. પરિવારના સભ્યોએ આ બાઈક ચાલક સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરિવારના 11 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર આફત આવી પડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *