જ્યાં સુધી નાનું બાળક સમજણનું ન થાય ત્યાં સુધી તેના માતા પિતાને ખડે પગે તેની સેવા કરવામાં હાજર રહેવું પડતું હોય છે. તેવો સમય વાપરવામાં સહેજ પણ ચૂક દાખલ કે તેમના બાળક ગંભીર રીતે ઘાયલ અથવા તો મૃત્યુ પણ પામતા હોય છે. આવા ઘણા બધા બનાવવા આપણી સામે આવી ચૂક્યા છે કે, જેમાં રમકડાથી રમતી વખતે નાના બાળકના મૃત્યુ થયા હોય..
આ ઉપરાંત અજાણતા જ કોઈ એવી ઘટના બની જાય કે. જેના કારણે તેમના બાળકોનો જીવ ખોવાનો વારો આવે છે/ ત્યારબાદ માતા-પિતા સમગ્ર જિંદગીભર પછતાઈ થાય છે. પરંતુ ત્યાર પછી પછતાવાનો કોઈ પણ વિકલ્પ રહેતો નથી. અત્યારે ઉત્તર પ્રદેશના મુજબ ભાવનગર જિલ્લામાંથી માત્ર 11 વર્ષના બાળક સાથે કંઈક આ પ્રકારનો જ એક બનાવ બન્યો છે..
બનાવો મુજફ્ફરનગર જિલ્લાના ચોઠાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બન્યો છે. જ્યાં હેબતપુર ગામ આવેલું છે. આ ગામની અંદર અરવિંદ નામનો એક વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. અરવિંદના લગ્ન માત્ર એક વર્ષ પહેલા થયા હતા. અને લગ્ન થતાં જ તેની પત્નીએ એ બાળકને જન્મ આપ્યો હતો..
આ બાળક હાલ 11 મહિનાનો થઈ ગયો હતો અને તેનું નામ વંશ હતું. વંશ પોતાના ઘરમાં અન્ય નાના બાળકો સાથે રમી રહ્યો હતો. અડોશ પડોશના અન્ય બાળકો પણ તેમના ઘરે રહેવા માટે આવતા હતા. અરવિંદ નોકરી ધંધે ચાલ્યા ગયો, જ્યારે અરવિંદની પત્ની પોતાના બાળકને રમતો મૂકી ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી..
આ બાળક રમતો રમતો ઘરના આંગણામાં ભરેલી પાણીની એક ડોલ પાસે પહોંચ્યો અને ડોલની અંદર રહેલા ટબલરને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તેની ઊંચાઈ ખૂબ જ ઓછી હોવાને કારણે તે ટબલર સુધી પહોંચી શકતો નહીં અને તે વારંવાર પ્રયત્ન કરીને ડોલમાંથી ટમ્લર કાઢવાની કોશિશ કરતો રહ્યો એમાં તેણે શરીરનું સંતુલન ગુમાવ્યું..
અને તે પાણી ભરેલી ડોલની અંદર પડી ગયો હતો, માતા ઘરકામમાં વ્યસ્ત હતી. જ્યારે પિતા ઘરે હાજર ન હોવાને કારણે કોઈપણ વ્યક્તિનું ધ્યાન આ બાળક પર ગયું નહીં. અને તે ધીમે ધીમે પાણી પીઈ ગયો અને જોતજોતામાં તે મૃત્યુ પામ્યો હતો, ત્યારે માતાએ જોયું કે, તેનો બાળક ઘરમાં રમી રહ્યો નથી…
ત્યારે તેણે ઘરમાં અન્ય જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી. જ્યાં આંગણામાં આવેલી ડોલ પાસે પહોંચવી તો તે પણ હેબતાઈ ગઈ અને તેના ડોળા ફાટી નીકળ્યા હતા. કારણકે તેમાં બાળક ડોલની અંદર ઊંધો પડ્યો હતો. અને તેને બહાર કાઢતા જ તે આંખો ખોલી રહ્યો હતો નહીં. તેને તાત્કાલિક ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો..
ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટર એ તેને મૃત જાહેર કરી દીધો હતો. જ્યારે અરવિંદને જાણ થઈ કે તેના 11 મહિનાના દીકરા વર્ષનું મૃત્યુ થયું છે. ત્યારે તે પણ ખૂબ જ ભાંગી પડ્યો હતો. નાના બાળકની સહેજ અમથી ચુકને કારણે તેનો જીવ ચાલ્યો ગયો છે..
આ પ્રકારના ઘણા બધા બનાવો બની ચૂક્યા છે, કેટલાક બનાવવામાં બાળકના જીવ બચી જાય છે. તો કેટલાક બનાવવામાં બાળક હંમેશા માટે ઇજાગ્રસ્ત થઈ જતું હોય છે. નાના બાળકોનો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. રમત રમતમાં કેટલાય બાળકોના જીવ ગયા છે, કોઈક રમકડાને કારણે તો કોઈ વીજ કરંટ લાગવાને કારણે મોતને ભેટ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]