અત્યારના સમયમાં લોકો ખૂબ જ ઊંચી વિચારધારા રાખીને જીવી રહ્યા છે. તેઓ નાની નાની વાતમાં પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે અણ બનાવો કરતા દેખાઈ રહ્યા છે, જેના કારણે પારિવારિક જીવનમાં પતિ-પત્નીઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને તેના કારણે પરિવારને ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ કરુણ બની હતી. રાજસ્થાનના પાલી વિસ્તારમાં આવેલા બાપુનગર એક્સટેન્શનમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની તેમ સસરા અને તેમની દીકરી રહે છે. પરિવારમાં સૌ હળીમળીને રહેતા અને પરિવારની મહિલાનું નામ હેમલત્તા હતું. તેમની ઉંમર 30 વર્ષની હતી.
હેમલતાના પતિનું નામ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત છે, જીતેન્દ્રસિંહ ના પિતાનું નામ હનુમાનસિહ રાજપુરોહિત છે અને હેમલત્તા બેનના લગ્ન જીતેન્દ્રસિંહ પુરોહિત સાથે 10 વર્ષ પહેલાં કરવામાં આવ્યા હતા. બંને પરિવારના લોકોએ ધૂમધામથી અને સામાજિક રીત રિવાજો મુજબ બંનેના લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ લગ્ન પછી તે બંનેનું જીવન ખૂબ જ સારી રીતે ચાલ્યું હતું.
થોડા વર્ષો સુધી કોઈ પણ બનાવો કે ઝઘડાઓ થતા ન હતા ત્યારબાદ બંનેને પારિવારિક જીવન દરમિયાન એક દીકરી છે. દીકરીની ઉંમર 8 વર્ષની છે, દીકરી માતા પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. લગ્નના ઘણા વર્ષો ગયા પછી થોડા સમયથી જીતેન્દ્રસિંહ તેમની પત્ની હેમલતાબેનને અવારનવાર મેણા-ટોણા મારી રહ્યા હતા.
હેમલતાબેન કદરૂપા દેખાઈ રહ્યા છે તેમ કહીને જીતેન્દ્રસિંહ તેની સાથે ઝઘડો કરતા અને જીતેન્દ્રસિંહના પિતા હનુમાનશિહ હેમલત્તા બેન પર અવારનવાર ખરાબ નજરો કરતા હતા જેના કારણે હેમલતાબેન ખૂબ જ કંટાળી ગયા અને મહિલાના સસરા હનુમાન સિંહ લગ્નના ઘણા વર્ષો પછી તેમના પિયરેથી દહેજ લાવવાની વાતો કરતા હતા.
અને તે કહેતા હતા કે પિયરથી કાર લઈને આવો, જેના કારણે હેમલતાબેન ખૂબ જ ત્રાસી ગયા હતા. અને મહિલાને તેના પતિ ઝઘડો કર્યા પછી કહેતા હતા કે, તે ફરીવાર લગ્ન કરશે તેવી વાતો કરતા, તેથી હેમલતાબેન એક દિવસ તેમના પિયરે ગયા ત્યારે હેમલતાબેનના પિતાનું નામ જોર સિંગ છે તેમની ઉંમર 58 વર્ષની છે.
અને હેમલતાબેન ના ભાઈની નામ રૂપસિંહ છે તેમણે પિતા અને ભાઈને દરેક વાત જણાવી હતી જેના કારણે પિતાએ હેમલતાબેન ને સમજાવીને ફરી સાસરી મોકલ્યા હતા તેઓ અકડવાસ ગામમાંથી ફરી તેમના સાસરે ગયા હતા અને તેઓ પરિવાર સાથે રહેવા લાગ્યા ત્યારબાદ હેમલતાબેન સાથે આવા જ બનાવો બની જ રહ્યા હતા.
તેમના પતિના કારણે તેઓ એટલા કંટાળી ગયા કે એક દિવસ ઘરે કોઈ ન રહેતા તેણે પોતાના જ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો અને તેમની દીકરી ઘરમાં રમી રહી હતી જેણે પોતાની માતાને આ હાલતમાં જોઇને તે રડવા લાગી હતી જેના કારણે આસપાસના પાડોશીના લોકો ભેગા થઈ ગયા હતા અને પાડોશીના લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
હેમલતાબેન ના પિયરના લોકોને પણ હેમલત્તા બેને આપઘાત કર્યાની વાત જણાવી હતી જેના કારણે પિયરમાં પિતાએ અને ભાઈએ પોલીસ સ્ટેશનમાં જમાઈ જીતેન્દ્રસિંહ અને તેમના સસરા હનુમાનસિંહ સહિત કુટુંબના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમની દીકરીને આપઘાત કરવા માટે આ લોકોએ મજબૂર કરી હોવાનું કહ્યું હતું.
જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. દીકરીએ તેમની માતાની મમતા ગુમાવી હતી. આ જાણીને પિયરના લોકો ખૂબ જ શોખમાં આવી ગયા હતા અને રડી રહ્યા હતા. પરિવારમાં આવા બનાવો બનતા પરિવાર ભાંગી પડે છે. મહિલાઓ પોતાના કંટાળીને જીવ ગુમાવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]