Breaking News

પાડોશીને ઘરની ભલામણ કરીને બા-દાદા તેમના દીકરાને મળવા શહેરમાં ગયા, પરત આવીને જોયું તો મળ્યું એવું કે આવ્યો રોવાનો વારો..!

હાલના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. લોકોને એકબીજા પર વિશ્વાસ રહ્યો નથી. કારણકે અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં દરેકની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મેરઠ જિલ્લાના કાકરખેડા વિસ્તારમાં બની હતી.

એક પરિવાર તેમના દીકરાને મળવા ગયું હતું. પરિવાર કાંકર ખેડા ડિફેન્સ કોલોનીમાં આવેલી બી બ્લોકમાં રહેતું હતું. આ મકાનમાં રીટાયર્ડ કર્નલ વિજયપાલસિંહ તેમના પરિવાર સાથે રહેતા હતા. વિજય પાલ સિંહનો દીકરો ઘણા સમયથી ઇન્દોરમાં રહેતો હતો. અને તે ઇન્દોરમાં સારી એવી નોકરી કરતો હતો.

જેના કારણે વિજયપાલ અને તેમની પત્ની જ આ મકાનમાં એકલા રહેતા હતા પરંતુ વિજય પાલ 3 મહિનાથી તેમના દીકરાને મળવા માટે ઈન્દોર ગયા હતા અને તેઓ ઇન્દોરમાં રહેતા. જેના કારણે વિજયપાલે આ મકાનની જવાબદારી તેમના પાડોશી મોહનલાલને સોંપી હતી. બંને સારા એવા મિત્રો હતા.

મોહનલાલ અવારનવાર વિજયપાલ સિંહના ઘરની સાર સંભાળ રાખતા હતા અને તેઓ અવારનવાર આટા ફેરા કરવા માટે જ હતા પરંતુ એક દિવસ મોહનલાલ બહારગામ ગયા હતા જેના કારણે તેઓ બે દિવસ પછી પરત આવ્યા બાદ વિજયપાલ સિંહના ઘરે સાર સંભાળ માટે ગયા, ત્યારે તેમણે જોયું તો જોઈને જ તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા.

અને બૂમાબૂમ કરવા લાગ્યા, જેથી પાડોશીના લોકો બહાર આવ્યા અને મોહનલાલને શું થયાનું પૂછ્યું? ત્યારે મોહનલાલે પાડોશીના લોકોને કહ્યું કે, ‘વિજયપાલ સિંહના ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે’, જેના કારણે પાડોશીના લોકો અને મોહનલાલ ધીમે ધીમે ઘરમાં ગયા હતા અને ત્યારે તેમણે ઘરમાં જોયું તો દરેક વસ્તુઓ જેમ તેમ ફગોવી દીધી હતી.

ઘરમાં વેરવિખેર કરી નાખ્યું હતું. દરેક સામાન જેમતેમ પડ્યો હતો અને મકાનમાં વાસણો અને કપડા ઘરની વચ્ચે ઢગલો કરીને મૂકી દેવામાં આવ્યા હતા. દરેક રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને પલંગ પર દાગીનાની પેટીઓ ખાલી મૂકી દેવામાં આવી હતી. કબાટના તાળા પણ તૂટેલા હતા. તેમાં તિજોરી પણ ખુલ્લી હતી.

જેના કારણે મોહનલાલે તરત જ વિજયપાલને આ ઘટનાની જાણ કરી હતી. વિજય પાલને પોતાના ઘરે ચોરી થયાની જાણ થતાં તેઓ તરત જ ઈન્દોરથી પોતાના ઘરે આવ્યા હતા અને તેમણે પોલીસ ની આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ પણ વિજયપાલ સિંહના ઘરે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી.

પોલીસ ઘરે લૂંટ કરવા આવેલા લુટેરાઓને શોધી રહી હતી. વિજયપાલે જણાવ્યું કે તેમના ઘરમાંથી ઘણું બધું સોનુ અને રોકડ પૈસા લુટેરાઓ લૂંટી ગયા છે જેના કારણે પોલીસ તપાસ કરી રહી હતી. અવારનવાર આવા બનાવો બનતા લોકો પોતાના ઘરેથી બહાર ઘર બંધ કરીને જતા પણ ડરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *