અવારનવાર ખેતરોમાં કામ કરતા ખેડૂતોના ઘણા બધા ચોંકાવનારા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં ખેડૂતો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. આ ઘટના હરિયાણાના બહાદુરગઢમાં બની હતી. બહાદુરગઢમાં એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતા હતા.
ખેડૂતનું નામ જીંદના સિંઘવાલ છે. ખેડૂત ઘણા સમયથી ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ખેતરમાં દર વર્ષે નવા નવા પાકોની વાવણી કરીને સારી એવી નીપજ લેતા હતા. પરંતુ ક્યારેક વાવણીમાં નુકસાન થતું હોય ત્યારે સરકાર તરફથી વળતરની માંગણી કરવામાં આવી છે પરંતુ સરકાર વળતર ચૂકવી રહી ન હતી.
જેના કારણે કૃષિ કાયદાને લઈને ખેડૂતે સરકારથી નારાજ થઈને એક દિવસ એવું કર્યું કે તેઓ પોતાના ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યા છે અને ખેતરે પહોંચતા સેક્ટર 9 ના બાયપાસ રોડ પર તેઓ ઝાડ પાસે ઊભા રહી ગયા હતા. ખેડૂતના મગજમાં સતત વિચારો ચાલી રહ્યા હતા તેમને વાવણીમાં પણ ખૂબ જ મોટું નુકસાન થયું હતું.
ખેડૂતભાઈ પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવશે તેને કારણે તેમણે એક પાનામાં ઘણું બધું લખ્યું હતું. તેમાં ખેડૂતે જણાવ્યું હતું કે, ‘તેઓ સરકારથી નારાજ થઈ રહ્યા છે, તેમને પોતાની વાવણીનું વળતર મળી રહ્યું નથી’ ત્યારબાદ ખેડૂતે થોડી જ વારમાં લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
રોડ પરથી પસાર થતા લોકોએ ખેડૂતને આ હાલતમાં જોઈને તરત જ ગામના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. ગામના લોકો ખેડૂત પાસે પહોંચી ગયા હતા અને ખેડૂતના પરિવારના લોકોને પણ ખેડૂતના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. મૃત્યુની જાણ થતા જ પરિવારના લોકો આઘાતમાં ઢળી પડ્યા હતા.
પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ખેડૂતના ખીચ્ચામાંથી એક અંતિમ નોટ મળી હતી. તેમના આર્થિક ગુજરાન ચલાવતા પરિવારના યુવકનું મૃત્યુ થઈ જતાં પરિવારમાં વેર વિખેર થઈ ગયું હતું. અવારનવાર આવા ગંભીર કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]