શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ગુનાખોરીનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે સાંભળીને કોઈના પર વિશ્વાસ કરવો અઘરો બની ગયો છે. આજકાલ શહેરોમાં બંધ મકાનો અને બંધ ઓફિસ કે બંધ દુકાનમાં એવી ઘટનાઓ બની રહી છે.
જે સાંભળીને પણ લોકો પોતાના ઘર મકાન અને દુકાનો બંધ કરતા પહેલા વિચારી રહ્યા છે. હાલમાં ચૌમુ શહેરમાં મોડી રાતના સમયમાં બનેલી ગંભીર ઘટના સામે આવી હતી. ચૌમુ શહેરમાં બજારમાં કરિયાણાની દુકાન ચલાવી રહેલા વ્યક્તિએ રાતના સમયે તેમની કરિયાણાની દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા.
દુકાનદારનું નામ મહાવીર અગ્રવાલ હતું. તેઓ ઘણા સમયથી આ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા અને દરરોજ તેઓ સમય રાતનો સમય થતા સમયસર દુકાન બંધ કરીને તેમના ઘરે જતા હતા. ફરી બીજા દિવસે સવારે આવીને સમયસર દુકાન ખોલતા હતા પરંતુ એક દિવસ તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા.
ત્યારબાદ સવાર થતાં દુકાનની આસપાસ થી પસાર થતા લોકોએ દુકાનમાં એવું જોયું કે જોતાં જ તરત દુકાનદાર મહાવીર ભાઈને સ્થાનિક લોકોએ ફોન કરીને એવું જણાવ્યું કે, મહાવીર ભાઈ તરત જ દોડતા દોડતા પોતાની દુકાને પહોંચ્યા હતા. મહાવીર ભાઈએ પોતાની દુકાન પાસે આવીને જોયું તો તેમના દુકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.
અને દુકાનનું શટર પણ ખુલ્લું હતું. જેના કારણે દુકાનમાં જઈને મહાવીર ભાઈએ જોયું તો તેમના દુકાનનો ઘણો બધો સામાન ગાયબ હતો. દુકાનમાંથી મોંઘી વસ્તુઓ તેમજ તેમની બાકડીમાં મુકેલા પૈસા પણ ગાયબ હતા. જેના કારણે મહાવીરભાઈને માથે હાથ મૂકીને બેસી ગયા હતા. મહાવીર ભાઈ માંડ માંડ આ દુકાન ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
અને તેની સાથે જ આવી ઘટના બની જતા તેઓ બેધાર આંસુએ રડી રહ્યા હતા, ત્યારબાદ મહાવીર ભાઈની દુકાનની બાજુમાં આવેલી પાડોશી દુકાનદાર રતનલાલ તેમની દુકાને પહોંચ્યા હતા અને ત્યારે તેમણે દુકાને આવીને જોયું તો તેમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જેના કારણે તેમણે પણ પોતાની દુકાનનું શટર ખોલીને જોયું, તો તેમની દુકાનના ફક્ત તાળા જ તોડેલા હતા.
દુકાનનો કોઈ પણ સામાન ગાયબ થયો ન હતો. કારણ કે લુટેરાઓએ કદાચ કોઈના અવાજ સાંભળીને તેઓ ભાગી પણ ગયા હોય. જેના કારણે રતનલાલની દુકાન બચી ગઈ હતી અને મહાવીર ભાઈ ની દુકાનમાંથી લુટેરાઓ ઘણી બધી લૂંટ કરી ગયા હતા. એક તો મહાવીર ભાઈ ગરીબીમાં જીવી રહ્યા હતા ત્યાં લુટેરા હોય તેમના પેટ ઉપર પાટુ મારી દીધું હતું.
જેના કારણે પરિવારને બે ધારાસુએ રોવાનો વારો આવ્યો હતો. મહાવીર ભાઈએ તરત જ ચૌમુ પોલીસ સ્ટેશનમાં પોતાની દુકાને ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ તપાસને હાથ ધરી હતી અને આ લુટેરાઓને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી હતી. અવારનવાર આવી ઘટનાઓ આ વિસ્તારમાં ખૂબ જ બનતી હોવાને કારણે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]